હિન્દ ન્યૂઝ, વાંકાનેર, વાંકાનેરના વઘાસિયા ટોલનાકા નજીક સિટી પોલીસની ટીમે જુવાનસિંહ બીજલભાઈ પટેલ ઉ.વ.24 રહે. ગોધરાવાળાને જીજે 03 ઇએસ 2456 નંબરના ચોરાઉ પ્લેન્ડર બાઇક સાથે પકડી પાડયો હતો. પ્રાથમિક તપાસમાં આ શમ્સ અગાઉ ગોધરા એ ડિવિઝન વિસ્તારમાં પણ બાઇક ચોરીના ગુનામાં પકડાયેલ હોવાનું ખુલ્યું છે. આ કામગીરીમાં વાંકાનેર સિટી પોલીસના હેડ કોન્સ. કિરીટસિંહ ઝાલા, અશ્વિનસિંહ આનંદસિંહ, વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. સંજયસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ ઝાલા સહિતના જોડાયા હતા. રિપોર્ટર : ચતુર બાબરીયા, વાંકાનેર
Read MoreMonth: October 2020
વાંકાનેર: ૪૭.૧૪ લાખની કિંમતના વિદેશી દારૂ પર પોલીસે રોલર ફેરવ્યું
હિન્દ ન્યૂઝ, વાંકાનેર, વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં દ્વારા અત્યારસુધીમાં અલગ અલગ સમયે કુલ 25 ગુનાઓમાં પકડાયેલા રૂ.47,14,345 ની કિંમતનો 14,895 જેટલી વિદેશી દારૂની બોટલ નાશ કરવા અંગે કોર્ટમાં તાલુકા પોલીસ દ્વારા મંજૂરી માગવામાં આવી હતી. જે બાદ કોર્ટ દ્વારા આ દારૂ નાશ કરવા હુકમ કરવામાં આવતા જિલ્લા પોલિસ વડા એસ.આર.ઓડેદરા ની સૂચનાથી વાંકાનેર તાલુકા બાઉન્ડ્રી વિસ્તારમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એન એફ.વસાવા ડી.વાય.એસ.પી રાધિકા ભારાઈ, નશાબંધી અધિકારી એચ.જે ગોહિલ તેમજ વાંકાનેર મામલતદાર તાલુકા પોલીસ મથકના પી.એસ.આઈ આર.પી જાડેજાની હાજરીમાં આ તમામ દારૂના મુદામાલ પર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.…
Read Moreગીર સોમનાથ જિલ્લામાં સભા સરઘસબંધી અંગેના આદેશ જારી કરાયો
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ, તા. ૧૫, ગીર સોમનાથ જિલ્લામાં પ્ર. પાટણ ખાતે સોમનાથ મંદિર આવેલ છે. જેની તકેદારી રાખવા તેમજ આગામી તહેવારો અને જિલ્લાના વેરાવળ/પ્ર. પાટણ, કોડીનાર તથા ઉના કોમી દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ હોય ઉપરાંત જિલ્લામાં આગામી સમયમાં તહેવારો આવનાર હોય ત્યારે તમામ સ્તરે કાયદો અને વ્યવસ્થા જાળવાઇ રહે તે હેતુથી કોઇપણ સભા કે સરઘસ વગર પરવાનગીએ ના કાઢે તે માટે સમગ્ર જિલ્લામાં અધીક જિલ્લા મેજસ્ટ્રેટ ડો.બી.એસ.પ્રજાપતિને મળેલ સત્તાની રૂએ પ્રતિબંધાત્મક આદેશ જારી કરેલ છે. આ આદેશ સરકારી ફરજમાં હોય તેવી ગૃહ રક્ષણ મંડળીઓ, સરકારી નોકરીએ અવર જવર કરતી હોય…
Read Moreગીર સોમનાથ જિલ્લાની સરકારી કચેરીમાં કોવિડ-૧૯ની સાવચેતી માટે શપથ ગ્રહન
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ, તા.૧૫, કોવિડ-૧૯ જન આંદોલન અને સાવચેતીના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લાની સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓએ શપથ ગ્રહન કર્યા હતા. કોરોનાના સંક્રમણથી બચવા માટે કર્મચારીઓ સંકલ્પબધ્ધ થયા હતા. હું માસ્ક પહેર્યા વિના ઘરની બહાર નહીં નીકળું, દરેકથી ઓછામાં ઓછું ૬ ફૂટ નું અંતર જાળવીશ, વારંવાર સાબુથી હાથ ધોઈશ કે સેનેટાઈઝ કરતો રહીશ, મારી તથા મારા સ્વજનોની રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુષની ઉપચાર પદ્ધતિઓ અપનાવીશ અને યોગ-વ્યાયામ ઈત્યાદિથી જીવનશૈલી સુધારીશ, મારા પરિવાર અને સમાજના વડીલો, બાળકો અને બીમાર લોકોની વિશેષ કાળજી રાખીશ તે માટે પ્રતિજ્ઞા લીધી હતી. રિપોર્ટર :…
Read Moreગીર સોમનાથ જિલ્લામાં હથિયારબંધી
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ, તા. ૧૫, ગીર સોમનાથ જિલ્લામાં પ્ર. પાટણ ખાતે સોમનાથ મંદિર આવેલ છે. જેની તકેદારી રાખવા તેમજ, ગીર/જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓના શીકારના બનાવો બનતા હોય તેમજ આગામી તહેવારો અને જિલ્લાના વેરાવળ/પ્ર. પાટણ, કોડીનાર તથા ઉના કોમી દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ હોય ઉપરાંત જિલ્લામાં આગામી સમયમાં તહેવારો આવનાર હોય ત્યારે તમામ સ્તરે કાયદો અને વ્યવસ્થા જાળવાઇ રહે તે હેતુથી સમગ્ર જિલ્લામાં અધીક જિલ્લા મેજસ્ટ્રેટ ડો.બી.એસ.પ્રજાપતિને મળેલ સત્તાની રૂએ પ્રતિબંધાત્મક આદેશ જારી કરેલ છે. જે અંતર્ગત શસ્ત્ર દંડા, તલવાર, ભાલા, ચપ્પુ, લાકડી અથવા શારિરીક હિંસા પહોંચાડવામાં ઉપયોગી થઇ શકે તેવી…
Read Moreજુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા ના સાંસદ રાજેશભાઈ ચુડાસમા ની વિશેષ ઉપસ્થિત માં ખાટલા બેઠક નું આયોજન
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ ગત રોજ જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા ના સાંસદ રાજેશભાઈ ચુડાસમા ની વિશેષ ઉપસ્થિત માં ગીર સોમનાથ જિલ્લાના ભાલપરા જીલ્લા પંચાયત ની સીટના આગેવાનો તેમજ ખેડુતો મિત્રો સાથે ખાટલા બેઠક આયોજન કરી કૂષિ બિલ વિષે માહિતગાર કર્યા હતા. જેમાં પુવૅ કેબીનેટ મંત્રી જશાભાઇ બારડ તેમજ બીજ નિગમ ના ચેરમેન રાજશીભાઇ જોટવા તેમજ પ્રદેશ કારોબારી સદસ્ય શૈલેન્દ્રસિંહ રાઠોડ તેમજ ગીર સોમનાથ ભાજપ ના મહામંત્રી મહેન્દ્રભાઈ પીઠડીયા તેમજ માનસિંગ ભાઇ પરમાર તેમજ પ્રવિણભાઇ આમહેડા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ હરદાસ ભાઇ સોલંકી તથા જીલ્લા પંચાયત ના સદસ્ય તેમજ ભાલપરા…
Read Moreઅંબુજા કંપની ખાતે સ્થાનિક રોજગારીના મુદ્દે આંદોલન બન્યું ઉગ્ર
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ # ડસ્ટિંગ ઉડતા મહિલાઓએ કંપનીનો રસ્તો કર્યો બંધ # પ્રવિણ રામે સ્થળ પર જઈ આંદોલનકારીઓને આપ્યું સમર્થન # જ્યાં સુધી મુદ્દાનું નિરાકરણ ના થાય ત્યાં સુધી જગ્યા ના છોડી પ્રવિણ રામે ગાંધીસિંધ્યા માર્ગે લડાઇ ચાલુ રાખવા કર્યું આહવાન # પ્રવિણ રામ આંદોલનમાં સક્રિય થતા આવતી કાલે કંપનીના અધિકારીઓ કરી શકે છે બેઠક રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ
Read Moreહિન્દ ન્યુઝ ઈમ્પૅક્ટ : ડીસા તાલુકાના વિઠોદર થી રોબસ મોટી જવાના માર્ગ પર જર્જિત માર્ગ નું સમારકામ શરૂ
હિન્દ ન્યૂઝ, ડીસા ડીસા તાલુકાના વિઠોદર થી રોબસ મોટી જવાના માર્ગ પર જે ઠેર ઠેર ગાબડા પડેલા બે દિવસ પહેલા તા. 13 ના રોજ હિન્દ ન્યુઝ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો જે કારણે તંત્ર થયું દોડતું થયું. હિન્દ ન્યૂઝના અહેવાલ બાદ જાણે તંત્ર અને કોન્ટ્રાક્ટર જાગ્યા હોય તેવું લાગી રહ્યું છે. લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર કરતા કોન્ટ્રાક્ટર સામે સરકારી અધિકારીઓ ક્યારે પગલાં ભરશે તેવું લોકમુખે ચર્ચાઇ રહી છે. આ રોડ 18 મહિનાની અંદર બે વખત તૂટ્યો છે. અને બે વખત પણ કોન્ટ્રાક્ટર દ્વારા આ રીતના માટીથી ખાડા પૂરવામાં આવ્યા છે. શું…
Read Moreઅરવલ્લી જિલ્લા કલેકટરે કોરોના મહામારીને નાથવા માટેના શપથ લીધા
હિન્દ ન્યૂઝ, મોડાસા, અરવલ્લી જિલ્લામાં ભારત સરકાર ધ્વારા કોવિટડ-૧૯ જન આંદોલન અભિયાન તા. ૭ ઓકટોબર થી સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવેલ છે. આ આંદોલનના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર તથા અધિક જિલ્લા કલેકટર આર.જે. વલવી અને જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારી/કર્મચારીઓએ કોરોના મહમારીને અટકાવવા માટે લોકોમાં જાગૃત્તિ આવે અને લોકો માસ્ક પહે્ર્યા વિના ઘરની બહાર નહી નીકળવા, દરેકથી ઓછામાં ઓછું ૬ ફૂટ નું અંતર જાળવવા, વારંવાર સાબુથી હાથ ધોવા કે સેનેટાઇઝ કરતા રહેવા, પોતાની તથા સ્વજનોની રોગપ્રતિકારક શકિત વધારવા આયુષની ઉપચાર પધ્દ્રતિઓ અપનાવવા અને યોગ- વ્યાયામ ઇત્યાદિથી જીવનશૈલી સુધારવા,…
Read Moreભાવનગરનો વિક્ટોરિયા પાર્ક ખુલ્લો મુકવામાં આવ્યો
હિન્દ ન્યૂઝ, ભાવનગર, કોરનાની મહામારીના કારણે વિક્ટોરિયા પાર્ક અનામત જંગલ મુલાકાતીઓ માટે બંધ જાહેર કરવામાં આવેલ હતો. તાજેતરમાં મોટાભાગના પાર્ક ખોલવા અંગે માર્ગદર્શિકા જાહેર થયેલ છે. જે અન્વયે વિક્ટોરિયા પાર્કમાં મુલાકાતીઓને નિયત કરેલ માર્ગદર્શક સિદ્ધાંતોના અમલની શરતે સવારે ૦૬:૦૦ કલાકથી ૦૮:૩૦ કલાક અને સાંજે ૦૪:૦૦ કલાક થી ૦૬:૩૦ કલાક દરમિયાન પ્રવેશ આપવામાં આવશે. આ અંગે રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ક્ષેત્રીય રેન્જ, ભાવનગરે વધુમાં જણાવેલ કે જ્યારે પાર્ક બંધ રાખવામાં આવેલ તે દરમિયાન થયેલ અવલોકનો મુજબ વન્ય જીવોને ખલેલ બંધ થવાના કારણે ખુબજ સુંદર વાતાવરણ નું નિર્માણ તેમના માટે થયેલ અને વન્ય…
Read More