અરવલ્લી જિલ્લા કલેકટરે કોરોના મહામારીને નાથવા માટેના શપથ લીધા

હિન્દ ન્યૂઝ, મોડાસા,

અરવલ્લી જિલ્લામાં ભારત સરકાર ધ્વારા કોવિટડ-૧૯ જન આંદોલન અભિયાન તા. ૭ ઓકટોબર થી સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવેલ છે. આ આંદોલનના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર તથા અધિક જિલ્લા કલેકટર આર.જે. વલવી અને જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારી/કર્મચારીઓએ કોરોના મહમારીને અટકાવવા માટે લોકોમાં જાગૃત્તિ આવે અને લોકો માસ્ક પહે્ર્યા વિના ઘરની બહાર નહી નીકળવા, દરેકથી ઓછામાં ઓછું ૬ ફૂટ નું અંતર જાળવવા, વારંવાર સાબુથી હાથ ધોવા કે સેનેટાઇઝ કરતા રહેવા, પોતાની તથા સ્વજનોની રોગપ્રતિકારક શકિત વધારવા આયુષની ઉપચાર પધ્દ્રતિઓ અપનાવવા અને યોગ- વ્યાયામ ઇત્યાદિથી જીવનશૈલી સુધારવા, પરિવાર અને સમાજના વડીલો, બાળકો અને બીમાર લોકોની વિશેષ કાળજી રાખવા અંગેની પ્રતિજ્ઞા લીધી હતી અને દરેક અધિકારી/કર્મચારીઓને અનુસવા તથા અરવલ્લી જિલ્લાની જનતાને માહિતગાર કરવા કલેકટરએ અપીલ કરી હતી.

રિપોર્ટર : મુન્ના ખાન પઠાણ, મોડાસા

Related posts

Leave a Comment