ઔદ્યોગિક વિકાસનો આનંદ, “આત્મનિર્ભર ભારત” અભિયાનનું ગૌરવ….

હિન્દ ન્યુઝ, ગાંધીનગર       મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારની ઉદ્યોગ-સાહસિક નીતિઓ અને સુદૃઢ આંતરમાળખાને કારણે મધ્ય ગુજરાત આજે રાજ્યના અર્થતંત્રના મુખ્ય ગ્રોથ એન્જિન તરીકે વૈશ્વિક નકશા પર ઉભરી આવ્યું છે… વડોદરા જિલ્લામાં 15926 હેક્ટરમાં પથરાયેલી 8 પ્રમુખ GIDCમાં 4984 જેટલા ઉદ્યોગો રાજ્યના ઔદ્યોગિક માળખાને મજબૂતી પ્રદાન કરી રહ્યા છે… વડોદરાની મકરપુરા GIDC 2354 સક્રિય એકમો સાથે પ્રગતિશીલ ઉદ્યોગોનું મુખ્ય પાવરહાઉસ બનીને નેતૃત્વ કરી રહી છે… પંચમહાલમાં 1897 એકમો, દાહોદમાં 527 અને છોટાઉદેપુરમાં 27 એકમો GIDC અંતર્ગત કાર્યરત થતાં સ્થાનિક સ્તરે આર્થિક સમૃદ્ધિ અને રોજગારીનું ભવ્ય સર્જન થયું છે……

Read More

કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ ભુજ પ્રાંત અધિકારીએ ખાવડામાં ગેરકાયદે ખનીજનું વહન કરતા ૭ વાહનો સીઝ કર્યા

હિન્દ ન્યુઝ, કચ્છ    કચ્છના ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ખનન અને વહન પર અંકુશ લાવવા માટે કચ્છ વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શન અંતર્ગત ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવ દ્વારા આજે સવારે ખાવડા ગામ નજીક આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.  આ તપાસ દરમિયાન ખનીજનું વહન કરતા ઓવરલોડ અને રોયલ્ટી પાસ વિનાના અંદાજિત ૭ જેટલા ટ્રકો ઝડપાયા હતા. ગેરકાયદેસર રીતે ખનીજની હેરાફેરી કરતા આ વાહનોને રોકીને ચકાસણી કરવામાં આવતા વાહનચાલકો પાસે કોઈ માન્ય રોયલ્ટી પાસ કે આધારભૂત દસ્તાવેજો મળી…

Read More

અબડાસાના કેરવાંઢ-વડસર વિસ્તારમાં ગેરકાયદે ખનન સામે ખાણ-ખનીજ વિભાગની કાર્યવાહીમાં રૂ.૨ કરોડનો મુદ્દામાલ જપ્ત

હિન્દ ન્યુઝ, ભુજ      કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનીજોની બિનઅધિકૃત હેરફેરને રોકવા માટે વહીવટી તંત્ર દ્વારા ઝુંબેશરૂપે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવાસિયાના માર્ગદર્શન હેઠળ ભૂસ્તરશાસ્ત્રીની કચેરી, પશ્ચિમ કચ્છ દ્વારા જિલ્લાભરમાં સર્વેલાન્સ અને સઘન ચેકીંગની કામગીરી કરવામાં આવી રહી છે.‌ આ ઝુંબેશના ભાગરૂપે કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છના ભૂસ્તરશાસ્ત્રીશ્રી દેવેન્દ્રસિંહ બારીયાએ ખાણ-ખનીજ વિભાગની વિશેષ તપાસ ટીમ બનાવી અબડાસા તાલુકાના કેરવાંઢ-વડસર વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી.  આ ચકાસણી દરમિયાન સાદી માટીનું ગેરકાયદેસર ખનન અને પરિવહન થતું હોવાની ગંભીર પ્રવૃત્તિઓ સામે આવતા તાત્કાલિક…

Read More

કચ્છ: પ્રગતિનો પ્રવેશોત્સવ : શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૬-૨૭

હિન્દ ન્યુઝ, કચ્છ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત આજરોજ તૃતીય દિવસે શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ નખત્રાણા તાલુકાની સંતશ્રી ખેતાબાપા હાઈસ્કૂલ વિથોણ, ટી.ડી.વેલાણી કન્યા માધ્યમિક શાળા નખત્રાણા અને મથલ કન્યા શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો પ્રારંભ કરાવીને બાલવાટિકા, આંગણવાડી અને પ્રાથમિક શાળા તેમજ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો હતો. શિક્ષણ રાજ્યમંત્રીએ વિથોણ કુમાર પ્રાથમિક શાળા અને શ્રી મથલ પ્રાથમિક કન્યા શાળાના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કચ્છ જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય…

Read More

નીતિ આયોગના ‘એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ’ અંતર્ગત કેન્દ્રીય પ્રભારી અધિકારી (Central Prabhari Officer) શેખ અમીનખાન ૨૬ જૂનથી કચ્છની મુલાકાતે

હિન્દ ન્યુઝ, ભુજ નીતિ આયોગના ‘એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ’ (ABP) હેઠળ નિયુક્ત કેન્દ્રીય પ્રભારી અધિકારી (CPO) અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના ડાયરેક્ટર શ્રી શેખ અમીનખાન (IRS-C&IT: 2011) આગામી ૨૬ થી ૨૮ જૂન, ૨૦૨૫ દરમિયાન કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. આ ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન તેઓ જિલ્લાના બે એસ્પિરેશનલ બ્લોક— રાપર અને લખપત માં ચાલી રહેલા વિકાસ કાર્યોની ગ્રાઉન્ડ લેવલ પર સમીક્ષા કરશે. આ મુલાકાતનો મુખ્ય હેતુ કાર્યક્રમ અંતર્ગત નક્કી કરાયેલા ૩૯ મુખ્ય લક્ષ્યાંકો (KPIs) ની પ્રગતિ ચકાસવાનો છે. પ્રવાસ દરમિયાન કેન્દ્રીય પ્રભારી અધિકારી શેખ અમીનખાન જિલ્લા વહીવટી તંત્રના…

Read More

બેમ્બૂક્રીટ : ટકાઉ બાંધકામ ક્ષેત્રે એક નવીન અભિગમ

હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરાના એક મિકેનિકલ એન્જિનિયર અને ‘બેમ્બૂક્રીટ’ ના સ્થાપક મનીષ નાઈક, કૃષિ કચરાને પર્યાવરણને અનુકૂળ પ્રીકાસ્ટ બિલ્ડિંગ મટિરિયલ્સમાં રૂપાંતરિત કરીને ટકાઉ બાંધકામ ક્ષેત્રે એક નવીન અભિગમની શરૂઆત કરી રહ્યા છે. કપાસના સાંઠા, વાંસનો કચરો અને શેરડીના કૂચા જે સામાન્ય રીતે લણણી પછી ખેડૂતો દ્વારા સળગાવી દેવામાં આવે છે તેનો ઉપયોગ કરીને બેમ્બૂક્રીટ પ્રીકાસ્ટ પેનલ્સ, બ્લોક્સ, કેબિન અને અન્ય બાંધકામ ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. કંપની લગભગ ૮૫% કૃષિ કચરાની સાથે ૧૫% પર્યાવરણને અનુકૂળ, બિન-ઝેરી બાઈન્ડર્સનો ઉપયોગ કરે છે, જે સિમેન્ટના વિકલ્પ તરીકે કામ કરે છે. બેમ્બૂક્રીટ રેતી અને પથ્થરોનો…

Read More

મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ખેરગામ અને ચીખલી તાલુકામાં ‘શાળા પ્રવેશોત્સવ’નો ભવ્ય પ્રારંભ

હિન્દ ન્યુઝ, નવસારી     રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ, કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી નરેશભાઈ પટેલના પ્રેરણાદાયી અધ્યક્ષ સ્થાને ‘કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ’ મહોત્સવની જિલ્લાના વિવિધ સ્થળોએ ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત શાળા પ્રવેશોત્સવના અંતિમ દિને તા.૨૫ જૂનના રોજ ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળા તેમજ ચીખલી તાલુકાના પીપલગભણ અને ખૂંધ ખાતે ત્રિવિધ સ્થળોએ યોજાયો હતો.  કેન્દ્ર અને રાજ્ય સરકારના સહકારથી ચાલતા ‘સર્વ શિક્ષા અભિયાન મિશન’ ના મુખ્ય ધ્યેયો ૧૦૦% નામાંકન, સ્થાપયીકરણ અને ગુણવત્તાસભર શિક્ષણને ચરિતાર્થ કરવાના હેતુથી આ પરિણામલક્ષી શૈક્ષણિક મહોત્સવ યોજવામાં આવ્યો હતો.  …

Read More

કેસલી ખાતે કલેક્ટર મનીષ ગુરવાનીની ગરિમામય ઉપસ્થિતિમાં ‘શાળા પ્રવેશોત્સવ’ ઉજવાયો

હિન્દ ન્યુઝ, નવસારી    ગણદેવી તાલુકાની એન. બી. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ, કેસલી ખાતે તા.૨૫ જૂનના રોજ ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ અંતર્ગત ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ જ ઉત્સાહભેર યોજાયો. કલેક્ટર શ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષ સ્થાને તેમજ પ્રાથમિક શાળા કેસલી અને પ્રાથમિક વિદ્યામંદિર અંભેટાના સંયુક્ત સહયોગથી આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શિક્ષણમાં ૧૦૦% નામાંકન અને કન્યા કેળવણીના ઉમદા ધ્યેયને સિદ્ધ કરવાના હેતુથી સરકારશ્રીના સર્વ શિક્ષા અભિયાન મિશન હેઠળ આ પરિણામલક્ષી શૈક્ષણિક કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ ના પ્રવેશોત્સવ પ્રસંગે કલેક્ટર મનીષ ગુરવાની દ્વારા શાળામાં નવપ્રવેશી…

Read More

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી આરોગ્ય સુવિધાઓ વધુ સુદ્રઢ બનાવવા ગહન ચર્ચા કરી

હિન્દ ન્યુઝ, જામનગર     રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જામનગરની ખ્યાતનામ ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલના વિવિધ વિભાગોના વડાઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન હોસ્પિટલની આરોગ્ય વિષયક સુવિધાઓને વધુ સુદ્રઢ, આધુનિક અને લોકાભિમુખ બનાવવા અંગે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.વિજય પોપટ અને ડીન ડો.નંદીની દેસાઈ દ્વારા પ્રેસન્ટેશનના માધ્યમથી હોસ્પિટલની સમગ્રતયા કામગીરીનો ચિતાર રજૂ કરાયો હતો. જેમાં હોસ્પિટલનું મંજૂર મહેકમ, દૈનિક ઓ.પી.ડી., ઇન્ડોર દર્દીઓની સંખ્યા, પેરા મેડિકલ, નર્સિંગ તથા એડમીન સ્ટાફની વિગતો અને હોસ્પિટલની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ સાથેની સંક્ષિપ્ત માહિતી પ્રસ્તુત કરવામાં…

Read More

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની ઉપસ્થિતમાં જામનગરના લાખાબાવળ, સરમત તથા રાવલસર ખાતે ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર ગ્રામ્ય વિસ્તારના લાખાબાવળ, સરમત તથા રાવલસર કેન્દ્રો ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની ઉપસ્થિતિમાં ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો. શિક્ષણના વ્યાપ અને ગુણવત્તાને વધારવાના ઉમદા આશય સાથે યોજાયેલા આ જ્ઞાનયજ્ઞ અંતર્ગત લાખાબાવળની કુમાર શાળા, કન્યાશાળા, વાડી શાળા અને ચાપા બેરાજા પ્રાથમિક શાળા તેમજ સરમત પ્રાથમિક શાળા, વાડી શાળા અને રાવલસર ખાતે આવેલ શ્રી નવસર્જન ઉત્તર બુનિયાદી વિદ્યાલય તથા વાડી તાલુકા શાળાના બાળકોનો પ્રવેશોત્સવ યોજાયો હતો. આ શૈક્ષણિક અભિયાન અંતર્ગત ઉજવણીના આ અવસરે બાલવાટિકામાં ૧૦૫ ભુલકાઓએ અને ધોરણ-૯ માં…

Read More