છોટાઉદેપુર લોકસભા મતદાર વિભાગમાં ૫ ઉમેદવારી પત્રો રદ થયા

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

   લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ૨૧-છોટાઉદેપુર લોકસભા મતદાર વિભાગમાં ત્રીજા તબક્કામાં તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન થનાર છે. જે અંતર્ગત ઉમેદવારો દ્વારા કુલ ૧૮ ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા હતા.

આજે તા.૨૦/૦૪/૨૦૨૪ ના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવતા ૫ ઉમેદવારી પત્રો રદ થાય છે. જેમાં ઉમેશભાઈ રાયસિંહ રાઠવાના ૨ ઉમેદવારી પત્રો, હેમંતકુમાર સુખરામભાઈ રાઠવાના ૨ ઉમેદવારી પત્રો તથા જામસીંગભાઈ હીરાભાઈ રાઠવાનું ૧ ઉમેદવારી પત્ર રદ થયું છે.

Related posts

Leave a Comment