પુર્વ કેબીનેટ મંત્રી આઇ.કે.જાડેજા દ્વારા જોગાસર તળાવ ખાતે સિનિયર સિટિઝન સાથે મીટીંગ યોજવામાં આવી સાથે સિનિયર સિટીઝન નું સન્માન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા

સુરેન્દ્રનગર જિલ્લા ના ધાંગધ્રા શહેરનું હૃદય સમા એટલે કે જોગાસર તળાવ જ્યાં સિનિયર સિટીઝનો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે ખાસ કરીને બગીચાની સાર સંભાળ તળાવની સાર સંભાળ, સ્વચ્છતાને લગતી અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેમની આ કામગીરી ને જોઈ ધાંગધ્રા પૂર્વ કેબિનેટ મંત્રી જાડેજા દ્વારા સિનિયર સિટીઝનો સાથે મિટિંગ યોજી હતી આ મિટિંગમાં જોગાસર તળાવ માં કાયમી ધોરણે પાણીની વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, વોકિંગ, સ્કેટીગ સહીત વ્યવસ્થા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી આ મિટિંગમાં નગરપાલિકાના હોદ્દેદારો, સંગઠનના હોદ્દેદારો, સભ્યો, વિવિધ મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર : સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા

Related posts

Leave a Comment