કાર્તિકીપૂર્ણીમાંના દિવસે તા.08/11/2022 મંગળવારના રોજ ચંદ્રગ્રહણને લઇ  સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોના નિત્યપૂજન-આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર.

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

       તા.08/11/2022 મંગળવારના ચંદ્રગ્રહણને લઇ,  સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોના નિત્યપૂજન – આરતીના તથા દર્શનના સમયમાં ફેરફાર.

       તા.08 નવેમ્બરના રોજ ચંદ્રગ્રહણ હોય, શાસ્ત્રોક્ત રીતે ચંદ્રગ્રહણ પ્રભાસ ક્ષેત્રને સ્પર્ષતુ હોવાથી પાળવાનુ આવશ્યક હોય, જે અનુસંધાને સોમનાથના સ્થાનીક સમય પ્રમાણે નિચે મુજબ સમયે વેધ-સ્પર્ષ-મધ્ય-મોક્ષ વિગેરે થાય છે.  સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં આરતી તેમજ નિત્ય- પૂજન,આરતી ગ્રહણ દરમીયાન બંધ રહેશે. સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં ગ્રહણ મોક્ષ બાદ પૂજા-આરતી થશે.

       ગ્રહણ દરમીયાન તારીખ-08/11/2022 મંદિરના પૂજામાં પ્રાતઃમહાપૂજન-આરતી, મધ્યાહ્ન મહાપૂજન આરતી-ગંગાજળ અભિષેક, બિલ્વપૂજા, ધ્વજાપૂજા, સોમેશ્વર મહાપૂજન, યજ્ઞો સહિતની તમામ પૂજાઓ બંધ રહેશે. તા. 08/11/2022 ગ્રહણ મોક્ષ પછી પૂજન સાંજે 6-50 થી પ્રારંભ થશે, તેમજ સાયં આરતી 7-45 કલાકે કરવામાં આવશે. ગ્રહણના રોજ શ્રી સોમનાથ મંદિર દર્શનનો સમય પ્રાતઃ 6-00 થી રાત્રે 01-00 સુધીનો રહેશે. સોમનાથ મંદિર ખાતે પ્રથમ પ્રહરની મહાપૂજા રાત્રે 10-45 વાગ્યે, તથા મહા આરતી રાત્રે 12-00 વાગ્યે કરવામાં આવશે.

ગ્રહણ વિગત
ગ્રહણ માહિતી તારીખ સમય
વેધ પ્રારંભ 08/11/2022 સવારે 5-39
ગ્રહણ સ્પર્શ “”  “” બપોરે 2-21
ગ્રહણ મધ્ય “”  “” સાંજે 4-11
ગ્રહણ મોક્ષ “”  “” સાંજે 6-11

Related posts

Leave a Comment