નર્મદા જિલ્લામાં ભારે વરસાદના વિરામ બાદ માર્ગોની મરામત

હિન્દ ન્યુઝ, નર્મદા     ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલા માર્ગોને પુનઃ કાર્યરત કરવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. કેવડિયા–તણખલા માર્ગ પર ત્રણ સ્થળોએ ડાયવર્ઝન રિપેરીંગની કામગીરી પૂર્ણ કરી વાહન વ્યવહાર સુચારુ રીતે શરૂ કરવામાં આવ્યો છે. બાકીના સ્થળોએ પણ વહેલી તકે રસ્તાઓ ખુલ્લા કરવા મશીનરી અને માનવબળ સાથે કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

Read More

રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 69 મિ.મી. વરસાદ નોંધાયો 

હિન્દ ન્યુઝ, રાજકોટ     રાજ્યના સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા આજે સવારે 6:00 થી સાંજે 4:00 વાગ્યા સુધી નોંધાયેલા વરસાદના આંકડા મુજબ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લાના પડધરીમાં 38 મિ.મી., વાવ-થરાદ જિલ્લાના દિયોદરમાં 33 મિ.મી., અરવલ્લીના મોડાસામાં 31 મિ.મી. અને કચ્છના મુન્દ્રામાં 27 મિ.મી. વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વાવ-થરાદના ધરણીધર વિસ્તારમાં 25 મિ.મી., જ્યારે સુરતના ઉમરપાડા તથા જૂનાગઢ શહેરમાં 23-23 મિ.મી. વરસાદ નોંધાયો છે.

Read More

“નારી વંદન ઉત્સવ ઉજવણી ” અંતર્ગત વઘઇ ખાતે ૪ ઓગસ્ટના રોજ મહિલા રોજગાર ભરતીમેળો યોજાશે

હિન્દ ન્યુઝ, ડાંગ     “નારી વંદન ઉત્સવ ઉજવણી” અંતર્ગત “મહિલા સ્વાવલંબન દિવસ” નિમિતે, ડાંગ જિલ્લાની મહિલાઓને રોજગારી મળે તે માટે ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ દ્વારા રોજગાર ભરતી મેળાના માધ્યમથી ભરતી કરવા માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી આહવા-ડાંગ ના સંયુક્ત ઉપક્રમે તારીખ ૪/૮/૨૦૨૬ (મંગળવાર) સમય-સવારે ૧૦-૩૦ કલાકે, વસુધારા ડેરી, દુધ શીત કેન્દ્ર, વઘઇ ખાતે મહિલા રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામા આવેલ છે.  આ ભરતી મેળામાં ધોરણ ૧૦,૧૨ પાસ, આઇ.ટી.આઇ, ગ્રેજ્યુએશન લાયકાત ધરાવતી મહિલા ઉમેદવારો ઉપસ્થિત રહી શકશે. વય મર્યાદા ૧૮ થી ૩૫ ની રહેશે. આ રોજગાર ભરતી મેળામાં…

Read More

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતની રાછવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત

હિન્દ ન્યુઝ, દાહોદ    દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત દ્વારા ધાનપુર તાલુકાના રાછવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલી સ્ટાફ મિટિંગમાં હાજરી આપી આરોગ્ય સેવાઓની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. મિટિંગ દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. વિવિધ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોની પ્રગતિ, સેવા ગુણવત્તા, સમયસર કામગીરી તેમજ દર્દીઓને વધુ સારી અને અસરકારક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ડૉ. ઉદય ટીલાવત દ્વારા આશા વર્કરો સાથે સંવાદ યોજાયો હતો. સંવાદ દરમિયાન આશા વર્કરો દ્વારા…

Read More

ખુલ્લામાં થૂંકવાની આદત છોડો, ટીબી-મુક્ત ભારત અભિયાનને સફળ બનાવો : આરોગ્ય વિભાગની અપીલ

હિન્દ ન્યુઝ, દાહોદ     ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા નેશનલ હેલ્થ મિશન દ્વારા “ટીબી-મુક્ત ભારત અભિયાન” અંતર્ગત નાગરિકોને ખુલ્લામાં થૂંકવાની આદત છોડવા અપીલ કરવામાં આવી છે.  ખુલ્લામાં થૂંકવાથી ટીબીના જીવાણુઓ હવામાં ફેલાઈ અન્ય લોકોમાં સંક્રમણ ફેલાવાનું જોખમ વધે છે, જેના કારણે પરિવાર તેમજ સમાજના આરોગ્ય પર ગંભીર અસર થઈ શકે છે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે, ટીબી એક ચેપી પરંતુ સંપૂર્ણપણે સારવારયોગ્ય રોગ છે. સમયસર તપાસ અને નિયમિત સારવારની સાથે જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવી અને ખુલ્લામાં થૂંકવાનું ટાળવું એ ટીબીના નિયંત્રણ માટે અત્યંત જરૂરી છે. નાગરિકોને અપીલ…

Read More

ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત દાહોદ જિલ્લાને કુલ ૬ બસોની ફાળવણી

હિન્દ ન્યુઝ, દાહોદ    ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત દાહોદ જિલ્લાને કુલ ૬ બસોની ફાળવણી કરવામાં આવી છે.  સાંસદ સભ્ય જશવંતસિંહ ભાભોર દ્વારા ૬ બસોને ફલેગ ઓફ કરીને શરૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, પ્રાયોજના વહીવટદાર પ્રતીક જૈન (I.A.S.), દાહોદ ચીફ ઓફિસર દીપસિંહ હઠીલા તેમજ ગોધરા S.T. ડિવિઝનના D.C. યોગેશ પટેલ હાજર રહ્યા હતા.  સરકારનીના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ફાળવવામાં આવેલી આ બસોમાં અંતરિયાળ વિસ્તારમાં રહેતા અને સરકારી શાળાઓ ખાતે અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ પાસ મેળવી મફતમાં અપડાઉન કરી શકશે.  આ થકી…

Read More

સુરત જિલ્લાના પૂરગ્રસ્ત ગામોમાં યુદ્ધના ધોરણે નુકસાન સર્વે શરૂ: ૧૧૭ ગામોના ૬,૦૧૦ પરિવારોના સર્વે માટે ૧૩૬ ટીમો કાર્યરત

હિન્દ ન્યુઝ, સુરત   સુરત જિલ્લામાં છેલ્લા દિવસોમાં થયેલા અતિભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આ આપત્તિજનક સ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્રની સક્રિયતાના ભાગરૂપે હવે જિલ્લા પંચાયત દ્વારા નુકસાનના સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. જિલ્લાભરના ૧૧૭ ગામોના અંદાજે ૬,૦૧૦ અસરગ્રસ્ત પરિવારોના સર્વે માટે કુલ ૧૩૬ સમર્પિત ટીમો મેદાનમાં તૈનાત કરવામાં આવી છે. પૂરના પાણી ઓસરતાની સાથે જ આ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને નુકસાનનું સાચું આકલન કરી રહી છે, જેથી રાજ્ય સરકારના આપત્તિ…

Read More

ડાંગ જિલ્લા વહીવટીતંત્ર અને પંચાયત માર્ગ-મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ

હિન્દ ન્યુઝ, ડાંગ    ડાંગ જિલ્લામાં ગત દિવસો દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે વિવિધ ગ્રામીણ માર્ગો અને કોઝવે પર ભૂસ્ખલન, માટી-પથ્થર અને લાકડાં ધસી આવવાના બનાવો સામે આવ્યા હતા.  જેને પગલે જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્વરિત અને અસરકારક કામગીરી હાથ ધરીને અવરોધાયેલા માર્ગો વાહનવ્યવહાર માટે પુનઃ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. જે મુજબ (૧) ડાંગના પહાડી વિસ્તારમાં ભારે વરસાદને પગલે ગડદ–ડોન માર્ગ પર ભૂસ્ખલન થતાં માટી અને પથ્થરોનો જમાવડો થયો હતો, જેના કારણે વાહનવ્યવહાર ક્ષણિક અવરોધિત થયો હતો. ઘટનાની જાણ થતાં જ પંચાયત માર્ગ…

Read More

વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, વલસાડ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિને ધ્યાને રાખીને વલસાડ-ડાંગ લોકસભા ક્ષેત્રના સાંસદ ધવલભાઈ પટેલ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવ્યા છે. સાંસદએ નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના પૂરગ્રસ્ત અને વરસાદથી પ્રભાવિત વિવિધ વિસ્તારોની સ્થળ પર જઈને મુલાકાત લીધી હતી તેમજ થયેલા નુકસાન અંગે વિસ્તૃત સમીક્ષા કરી હતી. દરમિયાન સાંસદ પટેલે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અસરગ્રસ્ત ગામોની ખાસ મુલાકાત લીધી હતી. ભારે વરસાદને કારણે મુશ્કેલીમાં મુકાયેલા ગ્રામજનોને રૂબરૂ મળીને તેમની સ્થિતિ જાણી હતી, અને જરૂરિયાતમંદ પરિવારજનોને રાહત કીટનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત ડાંગ જિલ્લામાં…

Read More

ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ બાદ તંત્રની સતર્કતા

હિન્દ ન્યુઝ, ભરૂચ      નાગરિકોની સુરક્ષિત અવરજવર માટે ક્ષતિગ્રસ્ત રસ્તાઓની તાત્કાલિક દુરસ્તીકરણની કામગીરી હાથ ધરવામાં આવી. ભરૂચ, નેત્રંગ, ઝઘડિયા, વાલિયા અને અંકલેશ્વર તાલુકામાં ભારે વરસાદથી નુકસાન પામેલા રસ્તાઓનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક દુરસ્તીકરણ કરવામાં આવી રહ્યું છે; તેમજ કાદવ-કચરાની સફાઈ, સાઈડ શોલ્ડરનું પુરાણ અને નાળાઓની સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.

Read More