જામનગર મહાનગર યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા રાષ્ટ્ર કલ્યાણના સંકલ્પને વધુ સુદ્રઢ કરવા સંદર્ભે ચાલી રહેલ યુવા સંકલ્પ યાત્રાનું ઉત્સાહપૂર્વક આયોજન

હિન્દ ન્યુઝ, જામનગર

આજ-રોજ યુવા ભાજપ જામનગર મહાનગર દ્વારા આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત યુવા સંકલ્પ યાત્રા મેરેથોન દોડ ૨૦૨૧ લાલ બંગલા સર્કલએ થી મેરેથોન પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ મેરેથોનમાં ૧૦૦૦ જેટલા યુવાનો, મહિલાઓ, બાળકો અને દિવ્યંગોએ પણ ભાગ લીધો હતો. આ મેરેથોન દોડમાં રાજયકક્ષાનામંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) અને શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા, મયેર બીનાબેન, મહામંત્રી પ્રકાશભાઈ, વિજયસિંહ, મેરામણભાઈ, ચેરમેન મનીષભાઈ, રાજુભાઈ, ડેમયેર તપનભાઈ, શાશકપક્ષ નેતા કુશુમ્બેન, કેતનભાઈ, કોર્પોરેટર વોર્ડ પ્રમુખ તેમજ વોર્ડ ના પદાધિકારીઓ અને તમામ મોરચાના પદાધિકારીઓની ઉપસ્થિતમાં જામનગર મહાનગર યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા રાષ્ટ્ર કલ્યાણના સંકલ્પને વધુ સુદ્રઢ કરવા સંદર્ભે ચાલી રહેલ યુવા સંકલ્પ યાત્રાનું ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : નાગજી પરમાર, જામનગર

Related posts

Leave a Comment