જિલ્લા પંચાયત છોટાઉદેપુર દ્વારા આયોજિત વહીવટી પાંખ ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર ગાર્ગી જૈન

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર       જિલ્લા પંચાયત છોટાઉદેપુર દ્વારા વહીવટી પાંખ વચ્ચે સૌહાર્દ અને ટીમ સ્પિરિટ વધારવાના હેતુસર ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટનો શુભ પ્રારંભ જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના હસ્તે કરવામાં આવ્યો હતો. પ્રારંભ સમારોહ દરમિયાન જિલ્લા કલેકટરએ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી અને જણાવ્યું હતું કે રમતગમત માત્ર શારીરિક તંદુરસ્તી માટે જ નહીં, પરંતુ ટીમવર્ક, નેતૃત્વ અને સંકલનના ગુણો વિકસાવવા માટે પણ મહત્વપૂર્ણ છે. તેમણે ભાગ લેનાર તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ ટૂર્નામેન્ટમાં વિવિધ વહીવટી વિભાગોની ટીમો ભાગ લઈ રહી છે. સાથે પ્રથમ વખત…

Read More

 ‘‘ब्लॉकचेन और वेब3 का उपयोग करके नागरिक-केंद्रित नवोन्मेषी समाधान विकसित करने के लिए स्टार्टअप चैलेंज’’ नवोन्मेष आधारित सरकारी उपयोग के मामलों के विकास का अवसर प्रदान करते हैं

हिन्द न्यूज़, दिल्ली      इलेक्ट्रॉनिक्स और सूचना प्रौद्योगिकी मंत्रालय (एमईआईटीवाई) ने ‘‘ब्लॉकचेन और वेब3 का उपयोग करके नागरिक-केंद्रित नवोन्मेष आधारित समाधान विकसित करने के लिए स्टार्टअप चैलेंज’’ नामक एक परियोजना शुरू की है। यह ब्लॉकचेन और वेब3 स्टार्टअप को अनुमति-आधारित ब्लॉकचेन का उपयोग करके नवोन्मेष आधारित सरकारी उपयोग के मामले विकसित करने के अवसर प्रदान करता है। यह चुनौती स्टार्टअप्स को प्रोत्साहन प्रदान करती है, जिसे चार मूल्यांकन चरणों में व्यवस्थित किया गया है। पहले चरण में, चयनित टीम विचार निर्माण से अवधारणा का प्रमाण (पीओसी) की ओर बढ़ती…

Read More

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા. 31 માર્ચ, 2026ના રોજ ગુજરાતની મુલાકાતે

હિન્દ ન્યુઝ, અમદાવાદ     અમદાવાદના સાણંદ ખાતેથી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા સંપન્ન થયેલા ₹271.20 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. સાણંદમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ ₹244 કરોડના ખર્ચે RCC સ્ટોર્મ વોટર ડ્રેઈન પ્રોજેક્ટ પૂર્ણ આ પ્રોજેક્ટ્સથી સાણંદ વસાહત હવે ‘ઝીરો વોટર લોગિંગ’ ઝોન બનશે. નરોડા ઔદ્યોગિક વસાહતનું ₹27.20 કરોડના ખર્ચે નવીનીકરણ આધુનિક માળખાકીય સુવિધાઓથી ઉદ્યોગોને મળશે વેગ

Read More

જૂનાગઢ એગ્રીકલ્ચર કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે એક દિવસીય યોગ શિબિર અને સંવાદ કાર્યક્રમ સંપન્ન

હિન્દ ન્યુઝ, જૂનાગઢ     જૂનાગઢ સ્થિત એગ્રીકલ્ચર કોલેજ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ માટે એક દિવસીય વિશેષ યોગ શિબિર અને સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યોગના વિવિધ આસનો અને પ્રાણાયામના પ્રાયોગિક નિદર્શન સાથે વિદ્યાર્થીઓને તેના સ્વાસ્થ્યવર્ધક લાભો વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ અવસરે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચલાવવામાં આવતી ૧૦૦ કલાકની વિશેષ તાલીમ અંગે પણ ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી.  આ શિબિરમાં અંદાજે ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાના દૈનિક જીવનમાં નિયમિત યોગનો સમાવેશ કરવા…

Read More

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વર્ચ્યુઅલી જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રેરણા આપી

હિન્દ ન્યુઝ, જૂનાગઢ    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને વર્ચ્યુલી પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. બાયસેગ દ્વારા ‘વંદે ગુજરાત’ ચેનલ અને યુટ્યુબના માધ્યમથી આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ ખેડૂતોને ગાય આધારિત અને રસાયણમુક્ત ખેતી અપનાવા માર્ગદર્શન કર્યું હતું.  જિલ્લાના વિવિધ કેન્દ્રો પર મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોએ ટેકનોલોજીના માધ્યમથી આ પ્રેરણાદાયી સંબોધનનો લાભ લીધો હતો. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ જૂનાગઢ જિલ્લાના વિવિધ સ્થળોએ પંચાયત કચેરીઓ, શાળાઓ અને તાલીમ કેન્દ્રો ખાતે કરવામાં આવ્યું હતું. અહીં મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતો, કૃષિ સખીઓ, સી.આર.પી., આત્મા પ્રોજેક્ટનો સ્ટાફ, શૈક્ષણિક સ્ટાફ…

Read More

જૂનાગઢ ખાતે ઔદ્યોગિક ભરતી મેળામાં ૪૫ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

હિન્દ ન્યુઝ, જૂનાગઢ     જૂનાગઢ જિલ્લાના શિક્ષિત બેરોજગાર યુવાનોને સ્થાનિક સ્તરે રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાના આશયથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આજે બહુમાળી ભવન ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. નોકરીદાતા અને નોકરીની શોધમાં રહેલા યુવાનો વચ્ચે સેતુરૂપ બનતા આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી ઉમેદવારોને ડિજિટલ માધ્યમો દ્વારા ઈન્ટરવ્યુ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા, જે પૈકી હાજર રહેલા લાયક ઉમેદવારોમાંથી ૪૫ જેટલા યુવાનોની પ્રાથમિક પસંદગી વિવિધ ખાનગી સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે. આ ભરતીમેળામાં જૂનાગઢની વિવિધ નોકરીદાતા સંસ્થાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારોને સંસ્થામાં ખાલી રહેલ…

Read More

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે બાજરી, જુવાર તથા મકાઈની કરાશે સીધી ખરીદી

રવિ માર્કેટિંગ સીઝન 2026-27  હિન્દ ન્યુઝ, ગાંધીનગર      લઘુત્તમ ટેકાના ભાવે બાજરી, જુવાર તથા મકાઈના વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતો ઓનલાઇન નોંધણી તા. 01 થી 30 એપ્રિલ, 2026 સુધી કરી શકશે. ખરીદી તા. 01 મે થી 15 જુલાઈ, 2026 સુધી કરવામાં આવશે. નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નંબર 8511171718 તથા 8511171719 ઉપર સંપર્ક કરવાનો રહેશે.

Read More

બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે I-Khedut પોર્ટલ ખુલ્લુ મૂકાયું

હિન્દ ન્યુઝ,       દાહોદ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે વિવિધ ૯૫ સહાયલક્ષી યોજનાઓમાં લાભ લેવા માટે વિવિધ ઘટકો જેવા કે શાકભાજી પાકો વાવેતર, ફળ પાક વાવેતર આંબા, ટીશ્યુ કેળ, ટીશ્યુ ખારેક, કમલમ, પપૈયા, નાળિયેરી, જામફળ, લીંબુ, દાડમ વગેરે, ફળપાક પ્લાન્ટીંગ મટીરીયલ, શાકભાજીની પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વાવેતર, સરગવાની ખેતી, દાંડી ફૂલો, કંદ ફૂલો, છુટા ફૂલો, પેકિંગ મટીરિયલ, કોપ કવર/ફ્રૂટ કવર, જૂના બગીચાનું નવીનીકરણ, સ્વરોજગારલક્ષી નર્સરી, બાગાયતી યાંત્રીકરણ માં મીની ટ્રેક્ટર જેવા વિવિધ ખેતી સાધનો, મહિલા વૃતિકા વગેરે માટે તા.૨૭/૦૩/૨૦૨૬ થી તા.૨૬/૦૪/૨૦૨૬ સુધી આઈ ખેડૂત ૨.૦ પોર્ટલ…

Read More

જામનગરની ૧૮૧ મહિલા હેલ્પલાઈન ટીમે મહિલા કંડક્ટર સાથે અભદ્ર વર્તન કરનાર વૃદ્ધને કાયદાનું ભાન કરાવ્યું

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર શહેરમાં મહિલાઓની સુરક્ષા અને સહાય માટે કાર્યરત ૧૮૧ મહિલા હેલ્પલાઈનની ટીમે આજે એક મહિલા કંડક્ટરની વહારે આવી માનવીય અભિગમ સાથે કાયદાકીય સમજ પૂરી પાડી હતી. આ બનાવની વિગતો મુજબ, બસમાં ફરજ બજાવતા મહિલા કંડક્ટર જ્યારે મુસાફરોની ટિકિટ કાપી રહ્યા હતા ત્યારે એક ૬૦ વર્ષીય વૃદ્ધ મુસાફર સાથે ટિકિટના પેમેન્ટ બાબતે બોલાચાલી થઈ હતી. વૃદ્ધે રાજકોટની ટિકિટ લીધા બાદ ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહેતા મહિલા કંડક્ટરે વિનમ્રતાથી જણાવ્યું હતું કે અંકલ, ટિકિટ કપાઈ ગઈ છે તે પહેલા જણાવવું જોઈતું હતું. આ સાંભળતા જ વૃદ્ધ ઉશ્કેરાઈ ગયા…

Read More

‘રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડ’ હેઠળ 3300 કિ.મીથી વધુ બલ્ક પાઈપલાઈનના કામો પૂર્ણ કરાયા

હિન્દ ન્યુઝ, ગાંધીનગર    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અમીરગઢ તાલુકાના આદિવાસી વિસ્તારો તેમજ પવિત્ર યાત્રાધામ અંબાજી માટે અંદાજિત ₹141 કરોડની રકમની ‘અંબાજી જૂથ પાણી પુરવઠા યોજના ભાગ-1 અને 2’નું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે; દાંતા અને અમીરગઢ તાલુકાના કુલ 34 ગામો અને અંબાજી શહેરના અંદાજે 78 હજાર નાગરિકોને આ યોજનાનો સીધો લાભ મળશે.

Read More