જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા સેવાસદનના કોન્ફરન્સ હોલ, ઈણાજ ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લાભરમાંથી વિવિધ વિભાગોને લગત વણઉકલાયેલ પ્રશ્નો સાથે અરજદારઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

જિલ્લાના અરજદારોએ મહેસૂલ શાખા, જમીન શાખા, આવાસ યોજના, માર્ગ મકાન વિભાગ, જમીન માપણી, ગામતળ દબાણના પ્રશ્નો, બાબતે રજૂઆત કરી હતી. આ રજૂઆત પ્રત્યે હકારાત્મક અભિગમ અપનાવી જિલ્લા કલેક્ટરએ સંબંધિત વિભાગના અધિકારીઓને જે-તે પ્રશ્નો સત્વરે ઉકેલાય તે માટેના જરૂરી માર્ગદર્શન સાથે સૂચના આપી હતી.

કલેક્ટર એ રજૂ થયેલા પ્રશ્નો પરત્વે નિયમ મુજબની આગળની કાર્યવાહી કરીને જરૂરી પૂર્તતા કરવા અને નાગરિકોના પ્રશ્નનો સકારાત્મક નિકાલ કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ અરજદારોને તેમના યોગ્ય પ્રશ્નોનો નિયમ મુજબ સમય મર્યાદામાં હકારાત્મક ઉકેલ લાવવા હૈયાધારણ આપી હતી.

જિલ્લાનાં સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એન.એમ.તરખાલા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર સુનિલભાઈ મકવાણા, મામલતદાર સર્વ આરઝૂ ગજ્જર, એન.જી.રાદડીયા સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.


Advt.

 

 

 

 

Related posts

Leave a Comment