હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી ખાતે આમ આદમી પાર્ટી નાં ચૈતર વસાવા ની ઉપસ્થિતિમાં આદિવાસી સ્નેહ મિલન સોમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો, યુવાનો અને માતા- બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ અમારું ઉત્સાહભેર સ્વાગત કર્યું. સમાજ માં ચાલી રહેલા દૂષણો દૂર કરવા,આદિવાસી સમાજ ની સંસ્કૃતિ જાળવવા અને આદિવાસી સમાજના તમામ લોકોને પક્ષ પાર્ટી, ધર્મ સંપ્રદાય, સંગઠનો ભૂલીને સમાજ માટે આગળ આવે અને યુવાનો તેમનો જુસ્સો પદ યાત્રા કે નાચવા માટે નહી પણ, ભણવા માટે અને તેમના કેરિયર બનાવવામાં વાપરે…
Read MoreMonth: November 2024
સદ્દભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આયોજિત પૂજ્ય મોરારીબાપુની રામકથા
હિન્દ ન્યુઝ, રાજકોટ સદ્દભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આયોજિત પૂજ્ય મોરારીબાપુની રામકથામાં ઉપસ્થિત રહ્યા બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજકોટ ખાતેના આર્ષ વિદ્યા મંદિરની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મંદિરના સ્વામી શ્રી પરમાત્માનંદજીના જનહિતના સેવાકાર્યને બિરદાવતા કહ્યું હતું કે, સાચો ધર્મ અને કર્મ એ જ છે કે, જેમાં લોકોનું હિત સમાયેલું હોય છે. સદ્દભાવના વૃદ્ધાશ્રમ આજે અનેક વૃદ્ધ માતા – પિતાના કલ્યાણ માટે નિમિત્ત બની રહ્યું છે અને શુભ કાર્યોમાં ઉપયોગ થકી દાતાઓના ધનને પણ સાર્થક કરી રહ્યું છે. રાજ્યપાલએ સંસ્થામાં જોડાયેલા સેવાકર્મીઓને જનકલ્યાણ હેતુ પૂરા તન – મન…
Read Moreસદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આયોજિત રામકથાના બીજા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ ખાતે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આયોજિત રામકથાના બીજા દિવસે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વિશ્વ માટે વિકરાળ સમસ્યા બનેલા ગ્લોબલ વોર્મિંગ અને તેની અસરો વિશે વાત કરતા રાજ્યપાલએ કહ્યું હતું કે, સમગ્ર વિશ્વ પર્યાવરણની બદલાતી પરિસ્થિતિથી ચિંતિત છે ત્યારે સદ્દભાવના વૃદ્ધાશ્રમ દ્વારા દેશભરમાં લાખો વૃક્ષોનું વાવેતર અને જતન થઈ રહ્યું છે. આજે પર્યાવરણનું સ્વાસ્થ્ય બગડ્યું છે ત્યારે વૃક્ષોનું જતન કરવું ખૂબ જરૂરી બન્યું છે. સદ્દભાવના વૃદ્ધાશ્રમના આગામી સમયમાં ૧૫૦ કરોડ વૃક્ષો વાવવાના તથા તેનું જતન કરવાના સંકલ્પને વધાવ્યો હતો. આ તકે રાજ્યપાલએ…
Read Moreકૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર સર્કીટ હાઉસ ખાતે નાગરિકો તથા આગેવાનો સાથે લોકસંપર્ક યોજી વિકાસ કાર્યોની તલસ્પર્શી ચર્ચા કરી
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઇ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે વિસ્તારના નાગરિકો અને આગેવાનો સાથે લોકસંપર્ક યોજી વિકાસ કાર્યોની તલસ્પર્શી ચર્ચા – વિચારણા કરી હતી. મંત્રીએ ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળ્યા હતા.તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતોનું ઝડપી નિરાકરણ લાવવા આશ્વાસન આપ્યું હતું. મંત્રી દ્વારા યોજવામાં આવેલ આ લોકસંપર્ક કાર્યક્રમમાં જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેઓએ પોતાની રજૂઆત મંત્રી સમક્ષ મૂકી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે,કૃષિમંત્રી દ્વારા જાહેર…
Read Moreકુ. નિર્મલ વેલજી બામણિયાએ એમ. બી. એ. કોમર્સમાં રજવાડી યુનિવર્સીટી રાજકોટમાં ગૉલ્ડ મેડલ મેળવી દીવનું ગૌરવ વધાર્યું
સમગ્ર ભારતનું ગૌરવ હિન્દ ન્યુઝ, દીવ દીવના નાનકડા ગામ નાગવા ગામનો વતની કુ. નિર્મલ વેલજી બામણિયાએ એમ. બી. એ. કોમર્સમાં રજવાડી યુનિવર્સીટી રાજકોટમાં ગૉલ્ડ મેડલ મેળવી દીવનું ગૌરવ વધાર્યું છે. વર્ષ 2022 થી 24 દરમ્યાન પ્રથમ ભારતીય વિદ્યાર્થીએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી દેશનું ગૌરવ વધાર્યું છે. નિર્મલ શરૂઆતથી વિવિધ ધોરણમાં ટોપર રહ્યો છે. જેમાં ધોરણ 10 ,12 માં ટોપર રહ્યો હતો અને બીકૉમમાં ગોલ્ડ મેડલ હાસિલ કર્યો હતો. અને આજે ફરી એમ. બી. એ. કોમર્સમાં ગોલ્ડ મેડલ મેળવી દીવ તથા દેશનું ગૌરવ વધાર્યું. …
Read Moreजन जाति गौरव दिवस के उपलक्ष में बुचरवाडा हाइस्कूल में सामुदायिक भोज का हुआ आयोजन
हिन्द न्यूज़, दीव जनजातीय गौरव दिवस, भारत के स्वतंत्रता संग्राम में जनजातीय समुदायों के योगदान को सम्मानित करने के लिए हर साल 15 नवंबर को मनाया जाता है. यह दिन बहादुर आदिवासी स्वतंत्रता सेनानियों की याद में मनाया जाता है। इस दिन को मनाने का मकसद, आने वाली पीढ़ियों को देश के लिए इनके बलिदानों के बारे में बताना और उनकी साहस और देश प्रेम की भावना को याद करने के साथ जन जातियों की प्रथाएं, परंपराओं, व्यंजनों के बारे में छात्रों को अवगत कराना है।उसी कड़ी में…
Read Moreजन जाति गौरव दिवस’ के उपलक्ष में बुचरवाडा हाइस्कूल के अध्यापकों ने सीद्दी समाज से की ‘ओटला परिषद’।
हिन्द न्यूज़, दीव समग्र देश में प्रधानमंत्री नरेन्द्र मोदी जी के आह्वान पर भगवान बिरसा मुंडा जी की 150वी जन्म जयंती ‘जनजाति गौरव दिवस’ कों पखवाड़े के रूप में मनाया गया। संघ प्रदेश दादरा एवं नगर हवेली तथा दमण-दीव के माननीय प्रशासक प्रफुल पटेल के कुशल नेतृत्व और मार्गदर्शन में दीव ज़िले की सरकारी उच्चतर माध्यमिक विद्यालय के द्वारा विद्यालय के आचार्य आरीफ लाखावाला की अगुवाई में राष्ट्रीय शिक्षक पुरस्कार से पुरस्कृत एवं जनजाति पखवाड़े के नोडल अधिकारी सु. प्रतिभा बहन स्मार्ट ने अपने सहयोगी साथी शिक्षकों के…
Read Moreએગ્રીસ્ટેક – ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર તકનીકી ખામી સર્જાતા તેમાં નોંધણી થઇ શકશે નહિ
હિન્દ ન્યુઝ, સુરત ખેડૂતો માટેની એક મહત્વપૂર્ણ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેંડ રેકર્ડને યુનિક આઈ.ડી સાથે લીંક કરવા માટે ગત તા. ૧૫ ઓક્ટોબરથી ફાર્મર રજીસ્ટ્રી શરૂ કરવામાં આવી છે. આ રજીસ્ટ્રી હેઠળ દરેક ખેડૂતને આધાર આઈ.ડી.ની જેમ ૧૧ ડિજિટનો યુનિક ફાર્મર આઈ.ડી આપવામાં આવશે, જેમાં ખેડૂટોની જમીન સહિતની વિગતો ઉપલબ્ધ રહેશે. આ આઈ.ડીના માધ્યમથી ખેડૂતોને રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ હિતલક્ષી યોજનાઓનો લાભ સરળ, પારદર્શક અને સમયસર મળશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૨.૫ લાખથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ કરી છે. ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીસ્ટેક પ્રોજેક્ટ…
Read Moreસુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત
હિન્દ ન્યુઝ, સુરત કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા અને મેયર દક્ષેશભાઈ માવાણીના હસ્તે સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. ૪૫.૨૦ કરોડના ખર્ચે ૧૯ પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત ઉધના સ્થિત શાળા નં.૨૧૦/૧૪૨, વિકાસ કોલોની સામે, હરિનગર ખાતેથી કરવામાં આવ્યું હતું. ઝડપભેર સાકારિત થનાર આ સ્કૂલોથી શહેરમાં શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણ સુવિધાઓ વધશે. આ શાળાઓમાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૧, અઠવા ઝોનમાં ૧, વરાછા-એ ઝોનમાં ૧, વરાછા-બી ઝોનમાં ૨, ઉધના-એ ઝોનમાં ૪, ઉધના બી ઝોનમાં ૧, કતારગામ ઝોનમાં ૪,રાંદેર ઝોનમાં ૫ સહિત કુલ-૧૯ પ્રાથમિક…
Read Moreતાપી જિલ્લાના વનસ્થલી આશ્રમશાળાના ૪૨ વિધાર્થીઓએ મહુવા તાલુકાના વડીયાના પંચસ્તરીય પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, તાપી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે સરકાર દ્વારા સક્રીયપણે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના વડીયા સ્થિત પંચસ્તરિય બાગબાની મોડેલની તાપી જિલ્લાના વનસ્થલી આશ્રમશાળા કણજોડના ધો.૧૦ના ૪૨ વિદ્યાર્થીઓ સાથે આચાર્ય ભરતભાઈ તથા શિક્ષકો સહિતના સ્ટાફગણે મુલાકાત લીધી હતી. અભ્યાસ વિષય પર તાલીમ સાથે જીવામૃતનો લાઈવ ડેમા સાથે ખેડુત પ્રકાશભાઈ પટેલે નિદર્શન કર્યું હતું. આજના અભ્યાસ કરતા યુવાનોને પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મળવાથી ભવિષ્યમાં સ્વસ્થ સમાજનું નિર્માણ થશે.
Read More