જામજોધપુર તાલુકાના ગીંગણી આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ ડાયાબીટીસ દિવસની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર     વિશ્વમાં ૧૪ નવેમ્બરના રોજ ડાયાબિટીસ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગીંગણી ગામે આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ડાયાબિટીસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગ્રામજનોને વિડિઓ દ્વારા સમજૂતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોમ્યુનીટી હેલ્થ ઓફિસર માનસી જયપાલ દ્વારા ગ્રામજનોને ડાયાબિટીસ રોગ વિષે વિડીયો તેમજ બેનર દ્વારા માહિતી આપવામાં આવી હતી. ડાયાબીટીસ એવો રોગ છે, જે જન્મેલા બાળકથી લઈને મોટી ઉંમરના વ્યક્તિને પણ થાય છે. વર્તમાન સમયમાં જે સફેદ ઝેર તરીકે ગણાય છે, તેવું મીઠું અને ખાંડનો…

Read More

એશિયા પેસિફિક મિનીસ્ટ્રીયલ કોન્ફરન્સમાં સમગ્ર દેશમાંથી વડોદરા તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પરમારની પસંદગી

હિન્દ ન્યુઝ, વડોદરા      ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા અને એશિયા પેસિફિક મિનીસ્ટ્રીયલ કોન્ફરન્સ બેઝિંગ પ્લસ બેંગકોક ખાતે યોજાનાર છે. તેમાં મહિલા પદાધિકારી પ્રતિનિધિ તરીકે ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે વડોદરા તાલુકા પ્રમુખ અંકિતાબેન પરમારની નિમણૂક કરવામાં આવી છે.મહિલાઓના વિકાસ અને તેમના માટે કરવામાં આવેલી કામગીરીનું પ્રેઝન્ટેશન અને માર્ગદર્શન માટે આ પ્રતિનિધિત્વ કરવામાં આવતું હોય છે. ભારતમાંથી એકમાત્ર વડોદરા તાલુકા પંચાયત પ્રમુખની આ માટે નિમણૂક કરવામાં આવતા વડોદરા જ નહીં ગુજરાત માટે પણ ગૌરવની વાત છે. વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહીડાએ પણ તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પરમારને…

Read More

રાજકોટનાં મવડી વિસ્તારમાં તા.૧૪ થી ૨૮ નવેમ્બર પંદર દિવસ માટે યોગ શિબિરનુ આયોજન

હિન્દ ન્યુઝ, રાજકોટ     ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત પૂજ્ય રણછોડદાસ બાપુ કોમ્યુનિટી હોલ આનંદ નગર તથા સરદાર વલ્લભભાઈ પટેલ ભવન માયાણી ચોક મવડી વિસ્તારમાં તા.૧૪ થી ૨૮ નવેમ્બર પંદર દિવસ માટે યોગ શિબિરનુ આયોજન કરાયુ છે. બંને યોગ શિબિરમાં નિષ્ણાંતો દ્વારા કેવી રીતે ડાયાબિટીસથી શરીરને મુક્ત રાખી શકાય તેનું વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. ડોક્ટર નિશાબેન ઠુમ્મર દ્વારા પ્રાકૃતિક આહાર, ઋતુચર્યા અને દિનચર્યા વિશે જાણકારી આપવામાં આવી હતી. ડોક્ટર અંકિત તિવારી દ્વારા પ્રાકૃતિક આહાર દ્વારા ડાયાબિટીસ મુક્તિ માટે ફળ આહાર તેમજ નિદ્રા અને…

Read More

ડીસ્ટ્રિકટ ટ્રાફીક એજયુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી,સુરત દ્વારા “વિશ્વ અકસ્માત સંભારણાં દિવસ-૨૦૨૪” કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, સુરત વિશ્વમાં દરવર્ષે નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારે રોડ અકસ્માતમાં મરણ પામેલા લોકોને યાદ કરી તેઓના પરિવાર જનોનોને સાથે આરટીઓ પાલ સુરત કચેરી ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રોડ અકસ્માતમાં કેન્ડલ પ્રગટાવી ભાવભીની શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. કાર્યક્રમના અધ્યક્ષ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર શ્રી એમ. એસ.શેખે રોડ અકસ્માતની વિગતો આપતા જણાવ્યું હતું કે,સમગ્ર ભારત દેશમાં અકસ્માતથી વર્ષ ૨૦૨૩માં  4,63,000 અકસ્માત નોંધાયા હતા અને ૧૭૩૦૦૦ લોકોના રોડ અકસ્માતમાં મૃત્યું થયા હતા. સુરત શહેર અને ગ્રામ્યમાં ૨૭૩૦ વ્યકિતઓના અકસ્માતમાં મૃત્યુ થયા હોવાની વિગતો આપી હતી. કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રીમતી નીતાબેન ત્રિવેદી સિનિયર…

Read More

૭મી ડિસેમ્બરે “સશસ્ત્ર સેના ધ્વજ દિન” ની ઉજવણી

હિન્દ ન્યુઝ, રાજકોટ દેશમાં દર વર્ષ ૭મી ડિસેમ્બરે “સશસ્ત્ર સેના ધ્વજ દિન” ઉજવવામા આવે છે. દેશની સુરક્ષા માટે પોતાનુ જીવન સમર્પિત કરનારા વીર સૈનિકો અને તેઓના પરિવારજનોનુ આ દિવસે અભિવાદન કરવામાં આવે છે. ત્યારે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ કલેકટર કચેરી ખાતે સશસ્ત્ર સેના ધ્વજ દિન નિમિત્તે ફાળો એકત્ર કરવા જિલ્લાના અધિકારીઓને અપીલ કરી હતી. સશસ્ત્ર સેના ધ્વજદિન ફાળાની અકત્રીત થયેલ રકમ કલેક્ટર અને પ્રમુખ, એએફએફડી ફંડ એકાઉન્ટ, રાજકોટના નામનો ડ્રાફટ/ચેક તા.૧૫/૦૩/૨૦૨૫ પહેલા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી c/o માજી સૈનિક આરામ ગૃહ પોલીસ હેડ કવાર્ટરની સામે રાજકોટ મોકલી…

Read More

ભુજ ખાતે “મિશન ખાખી” સેમીનારનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, ભુજ      મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યમાં “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના અમલીકરણ છે. જે અન્વયે 5 પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની વિશેષ ઉપસ્થિતિમાં પોલીસ વિભાગની આગામી લોકરક્ષક દળ અને પોલીસ સબ ઇન્સ્પેકટર ભરતીની તૈયારી કરતી મહિલા ઉમેદવારને શારીરિક કસોટી અને લેખિત કસોટીનું સંપૂર્ણ માર્ગદર્શન એક જ સ્થળ પર મળી રહે તે હેતુથી મુક્ત જીવન સ્વામીબાપા મહિલા આર્ટસ એન કોમર્સ કોલેજ ભુજ ખાતે “મિશન ખાખી” સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ સેમિનાર બાદ શારીરિક તથા લેખિત પરીક્ષા સુધી ઉમેદવારોની…

Read More

સોનગઢ તાલુકામાં ખાસ ઈ કેવાયસી કેમ્પનું આયોજન કરીને કુલ ૧૧૩૧ રેશનકાર્ડ ધારકોના e-KYC ની કામગીરી કરાઈ

હિન્દ ન્યુઝ,  તાપી     તાપી જિલ્લા કલેકટર ડો. વિપિન ગર્ગ અને જિલ્લા પુરવઠા અધિકારી ના માર્ગદર્શન હેઠળ સોનગઢના ઇન્ચાર્જ મામલતદાર સહદેવસિંહ વનાર તથા સોનગઢ નગરપાલિકાના ચીફ ઓફિસર ધર્મેશભાઈ ગોહિલ દ્વારા તા. ૧૬મી નવેમ્બર, ૨૦૨૪ ના રોજ સોનગઢ નગરપાલિકા ખાતે સોનગઢ તાલુકાના ટી.એલ.ઈ. તથા ગ્રામપંચાયતના V.C.E. ના સહયોગથી ખાસ e-KYC કેમ્પ રાખી કુલ ૧૧૩૧ રેશનકાર્ડ ધારકોના e-KYC ની કામગીરી કરવામાં આવી હતી.  હાલ રેશનકાર્ડ ધારકોની ખરાઈ બાબતે e-KYC કરવા ફરજીયાત હોય ઇન્ચાર્જ મામલતદાર દ્વારા સોનગઢ તાલુકાના તમામ રેશનકાર્ડ ધારકો જેઓનો રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા અંતર્ગત સમાવેશ થતો હોય કે ન…

Read More

ધંધુકા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી મ્યૂઝિયમનું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધંધુકા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી મ્યૂઝિયમનું લોકાર્પણ કર્યું મુખ્યમંત્રીએ શ્રી ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન, સાહિત્ય, લોકસાહિત્ય તેમજ આઝાદીની લડાઈમાં તેમના પ્રદાનના પ્રદર્શન ઉપરાંત કલાત્મક પ્રતિમાઓ તથા દુર્લભ તસ્વીરોનું પ્રદર્શન નિહાળ્યું. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ધંધુકા રેસ્ટ હાઉસ પરિસરને ઐતિહાસિક ‘સ્મૃતિ સ્થળ’ તરીકે વિકસાવવામાં આવ્યું છે.

Read More

નહેરુ યુવા કેન્દ્ર સુરત અને માય ભારત- સુરતના માધ્યમથી માંડવી આઈ.ટી.આઈ. ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, સુરત ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના “નેહરુ યુવા કેન્દ્ર-સુરત” અને “માય ભારત-સુરત” ના માધ્યમથી સુરતના માંડવી ખાતે આઈ.ટી.આઈ. માં તાઃ૧૫મીના રોજ “જનજાતિય ગૌરવ દિવસ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.                      આ અવસરે માંડવી તાલુકાના ૧૦૦ થી વધુ યુવાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ જનજાતિય ગૌરવ દિવસનું મહત્વ તેમજ ભારત વર્ષના મહાન ક્રાંતિકારી એવા ભગવાન બિરસા મુંડાજીના જીવન ચરિત્ર વિશે ઉપસ્થિતિ યુવાઓને માહિતગાર કરવામાં આવ્યા અને સાથે સાથે કેન્દ્ર સરકારના માય ભારત પોર્ટલની કાર્યપ્રણાલી તથા તેના લાભો…

Read More

ઓલપાડ તાલુકાના બરબોધન ગ્રામ પંચાયત ખાતે ૧૬૦૦૦ વૃક્ષોના વાવેતરનો શુભારંભ કરાવતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, ઓલપાડ  ઓલપાડ તાલુકાના બરબોધન ગ્રામ પંચાયત તથા નેચર કલબ અને એસ.બી.આઈના સંયુકત ઉપક્રમે બરબોધન ગામની બે એકર જમીનમાં ૧૬૦૦૦ વૃક્ષોના વાવેતરનો કાર્યક્રમ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.                      આ અવસરે મંત્રીએ જણાવ્યું હતું કે, વિશ્વમાં સૌથી અમુલ્ય સંબંધ માતા અને તેમના સંતાનો વચ્ચે રહેલો છે. માતાનું ઋણ કોઈ રીતે ચુકવી શકાતું નથી. પર્યાવરણ બચાવવાના ઉમદા અભિગમ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તા. ૫મી જૂન, ૨૦૨૪ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસે આ ‘એક પેડ માં કે નામ’ અભિયાનની શરૂઆત…

Read More