હિન્દ ન્યુઝ, આણંદ આણંદ કલેકટર કચેરીની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે વાસદ ટોલ પ્લાઝાના ૨૦ કિ.મી.ના વિસ્તારમાં રહેતા લોકો અને આ ટોલ પ્લાઝા પર થી રોજ અવર જવર કરતા લોકોને તેમના બિન વાણિજ્યિક વાહનો (નોન કોમર્શિયલ વ્હીકલ) આર.સી.બુકના સરનામા મુજબ માસિક પાસ રૂપિયા ૩૪૦/- ના દરે કાઢી આપવામાં આવે છે. આ ટોલ પ્લાઝાના ૨૦ કિ.મી. વિસ્તારમાં રહેતા અને દરરોજ આ રોડ ઉપરથી અપડાઉન કરતાં લોકોને વિશેષ સુવિધારૂપ આ માસિક પાસનો અત્યાર સુધીમાં ૪ હજારથી વધુ લોકો લાભ મેળવી રહ્યા છે. વાસદ ટોલ પ્લાઝાથી ૨૦ કિ.મી.ના વિસ્તારમાં રહેતા…
Read MoreMonth: September 2024
ભાવનગરમાં લોકભારતી સણોસરા ખાતેથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા “કૃષક સ્વર્ણ સમૃધ્ધિ સપ્તાહ”ની ઉજવણીનો પ્રારંભ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લામાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠ, સણોસરા ખાતે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR), નવી દિલ્હીના તકનીકી માર્ગદર્શન હેઠળ કાર્યરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા દેશમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રની કામગીરીના ૫૦ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં તા.૨૩-૦૯-૨૦૨૪થી તા. ૨૭-૦૯-૨૦૨૪ દરમિયાન “કૃષક સ્વર્ણ સમૃધ્ધિ” સપ્તાહની ઊજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના વિવિધ વિસ્તારના ખેડૂતોને વિસ્તાર આધારીત નવીનત્તમ કૃષિ તકનીકો, કૃષિ ઉદ્યોગો તેમજ કૃષિ ક્ષેત્રે સરકારશ્રીની વિવિધ યોજનાઓ બાબતે અને હાલમાં અમલીકૃત સરકારશ્રીના ‘સ્વચ્છ ભારત અભિયાન’ અંતર્ગત ખેતર અને ગ્રામ વિસ્તારમાં સ્વચ્છતા બાબતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સ્વર્ણ સમૃદ્ધિ રથ’ દ્વારા…
Read Moreસ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ઉમરાળા ગામે ભીંતચિત્રો દોરી જન જાગૃતિની પ્રવૃતિ હાથ ધરવામાં આવી
હિન્દ ન્યુઝ, ભાવનગર “સ્વભાવ-સ્વચ્છતા, સંસ્કાર-સ્વચ્છતા”ના ધ્યેય સાથે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લામાં સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ છે. જેના ભાગરૂપે ભાવનગરના ઉમરાળા ગામે ભીંતચિત્રો દોરી જન જાગૃતિની પ્રવૃતિ હાથ ધરવામાં આવી છે જેમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરો-પાણીને રિસાયકલ કરો, ઓછું પ્લાસ્ટિક વધુ સારુ સ્વાસ્થ્ય, આપણી ધરતી આપનું ભવિષ્ય- એક સાથે મળી સુંદર બનાવીએ, એક ખાડો અનેક લાભો-પ્રદુષણમાં ઘટાડો જળ સ્તરમાં વધારો સહિતના વિવિધ ચિત્રો દોરી ભાવનગરના સૌ નાગરિકોને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.
Read Moreવનમાં સ્વચ્છતાની સુવાસ ફેલાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદર રેન્જ વિસ્તારમાં રસ્તાઓ અને પાણીના વહેણ તથા નાળાઓની સાફ-સફાઈ કરાઈ સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતાના થીમ આધારિત આજે ભાવનગર જિલ્લામાં આવેલા કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદરમાં સ્વચ્છતાની સુવાસ ફેલાઈ હતી. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદરની મોબાઇલ સ્કવૉડ રેન્જમાં “સ્વચ્છતા હી સેવા અભિયાન” હેઠળ જંગલના રેન્જ વિસ્તારની સીમાઓમાંથી પસાર થતા રસ્તાઓ અને વહેણ તથા નાળાઓની આસપાસ જમા થયેલ પ્લાસ્ટિકનો કચરો વીણીને એકત્ર કરી સાફ-સફાઈ કરવામાં આવી હતી તથા આ કચરાનો યોગ્ય રીતે નિકાલ પણ કરવામાં આવ્યો હતો.
Read Moreજામનગર તાલુકા પંચાયતના નવનિર્મિત ભવનનું કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ લોકાર્પણ કર્યું
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના સમયે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ મંત્રીઓએ કલેકટર બી. કે. પંડયા તથા જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજનું સમ્માન કર્યું. સરકારના પંચાયત વિભાગ દ્વારા જામનગરના પત્રકાર કોલોની વિસ્તારમાં તાલુકા પંચાયત ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જામનગર તાલુકા પંચાયત ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન આપતા…
Read Moreजिले में प्रधानमंत्री विश्वकर्मा योजना में अधिक से अधिक कारीगरों/ शिल्पकारों को निबंधित करते हुए वित्त पोषित करने का अभियान की शुरुआत की – जिलाधिकारी यशपाल सिंह मीणा
हिन्द न्यूज़, बिहार वैशाली जिलाधिकारी यशपाल सिंह मीणा के निर्देश पर आज से सभी प्रखंड मुख्यालयों में विशेष कैम्प का आयोजन शुरू हो गया। कैम्प में आवेदक आधार, मोबाइल नंबर, बैंक विवरण,राशन कार्ड लाकर बड़ी सुगमता से अपना पंजीकरण कर सकते हैं और इस योजना का लाभ ले सकते हैं। जिलाधिकारी द्वारा आज गोरौल प्रखंड में लगे विशेष कैंप का निरीक्षण किया गया और अधिकारियों को निर्देश दिया गया कि वे माइकिंग तथा जनप्रतिनिधियों के सहयोग समन्वय से इस योजना का व्यापक प्रचार…
Read Moreઆણંદ ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત એક દિવસીય વર્કશોપ યોજાયો
હિન્દ ન્યુઝ, આણંદ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રાષ્ટ્રીય કિશોર સ્વાથ્ય કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિન્દ બાપનાના માર્ગદર્શન હેઠળ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં આણંદ ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાથ્ય કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાનો એક દિવસીય વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત આણંદ જીલ્લામાં હાલ ૪ તાલુકાઓ આણંદ,આંકલાવ,પેટલાદ અને ઉમરેઠ નો સમાવેશ કરવામાં આવેલ છે, જેમાં ૧૦ થી ૧૯ વર્ષના શાળાએ જતા અને શાળાએ ન જતા તમામ કિશોર- કિશોરીઓ નો સમાવેશ કરવામાં આવ્યો છે. જે મુજબ કિશોરવયની છોકરીઓ અને…
Read Moreવેરાવળ ખાતે વિશ્વ દરિયાકિનારા સફાઈ દિવસ ૨૦૨૪ની ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, વેરાવળ વેરાવળ દરિયા કિનારે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ તેમજ વેરાવળ ફિશરીઝ કોલેજ, કામધેનુ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે વિશ્વ દરિયાકિનારા સફાઈ દિવસ ની ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમના આયોજક ડો. જીતેશ સોલંકી (ફિશરીઝ) ના માર્ગદર્શનમા ફિશરીઝ કોલેજના વિધાર્થીઓ તેમજ સ્ટાફ દ્વારા દરીયાઈ કીનારાની સાફ-સફાઈ કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા ફિશરીઝ કોલેજના પ્રાધ્યાપક ડો. એચ. વી. પરમાર, ડો. વીરલ બજાયણીયા, ડો. કેતન ટાંક, ડો. પ્રકાશ પરમાર વગેરે જહેમત ઉઠાવેલ હતી. ફિશરીઝ કોલેજના આચાર્ય ડો. એસ. આઈ. યુસુફઝાઈ દ્વારા વિધાર્થીઓને અભ્યાસની સાથે વિસ્તરણ કાર્ય બદલ અભિનંદન પાઠવેલ.
Read Moreગીર સોમનાથ જિલ્લાની મુલાકાત લેતાં સિંચાઈ વિભાગના મુખ્ય ઇજનેર અને અધિક સચિવ એચ.યુ કલ્યાણ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સિંચાઈ વિભાગના મુખ્ય ઇજનેર અને અધિક સચિવ એચ.યુ કલ્યાણે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને સાથે જ સોમનાથ ભરતી નિયંત્રણ યોજના અને કમલેશ્વર ડેમ (હિરણ એક) તેમજ સોમનાથ સરોવરની મુલાકાત લીધી હતી. અધિક સચિવએ સોમનાથ સરોવરનું ડિસલ્ટીંગ તથા તળાવને સુદ્રઢ બનાવવા અને સોમનાથ સરોવરના પાણી આવક સ્ત્રોત સુદ્રઢ કરવા તથા વોટર-વે ના આયોજન અને સરોવર આસપાસ વિવિધ સુવિધાઓ વિકસાવવા માટે આયોજનલક્ષી ચકાસણી કરી હતી. સોમનાથ સરોવરના અંદાજિત રૂ ૨૦૦ કરોડના પ્રોજેક્ટ…
Read Moreજિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાનાં અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ઈણાજ ખાતે જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરએ જિલ્લાના વિવિધ પ્રવાસ સ્થળોનો વિકાસ કરવા તેમજ લોક સુવિધાના વિકાસ કાર્યો હાથ ધરવાં અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટરએ માધવરાય મંદિર પ્રાચી ખાતે એપ્રોચ રોડ બનાવવા અને ઓમનાથ મહાદેવ ઉંબામાં વિકાસલક્ષીકાર્યો હાથ ધરવા અધિકારીઓને સૂચના આપી હતી. નિવાસી અધિક કલેકટર રાજેશ આલે વિવિધ પ્રવાસન સ્થળોનાં વિકાસ કરવા માટે રજૂ કરવામાં આવેલી દરખાસ્તોની વિગતવાર માહિતી આપી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મૂછાર, ધારાસભ્ય સર્વ ભગવાનભાઈ બારડ, વિમલભાઈ…
Read More