હિન્દ ન્યુઝ, જામનગર વિપક્ષ નાં નેતા રાહુલ ગાંધી એ નિયમને નેવે મૂકી સંસદની અંદર ભગવાન શિવ, ગુરુનાનક તેમજ દેવી-દેવતાઓ નાં ફોટા લઈ રાહુલ ગાંધીએ પોતાના મુખેથી સનાતન વિરોધી બફાટ કરેલ છે. સાંસદની ગરિમા ને પણ ધ્યાનમાં ન રાખતા હિન્દુ ધર્મને અપમાનજનક શબ્દો ઉચ્ચારેલ છે કે, “હિન્દુઓ અસત્ય છે, હિન્દુઓ નફરત ફેલાવે છે, હિન્દુઓ હિંસક છે”.. આવા શબ્દોથી સનાતન હિન્દુ ધર્મની લાગણીને ઠેસ પહોંચે તેવા શબ્દો ઉચ્ચારી તમામ હિન્દુ સમાજનું અપમાન કરેલ છે. જેને લઇ જામનગરમાં ‘હિન્દુ સેના’ દ્વારા દિગ્વિજય પ્લોટ ‘હિન્દુ સેના’નાં કાર્યાલયથી હવાઈ ચોક સુધી રાહુલ ગાંધીને…
Read MoreMonth: July 2024
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં ગ્રામ પંચાયતોમાં. સુપ્રિટેન્ડન્સ ઓફ પોલીસ પિયુષ ફુલજલે નિરાકાર ના આદેશ અને માર્ગદર્શન હેઠળ નવા કાયદાઓ ની જાણકારી માટે યોજાયો કાર્યક્રમ
હિન્દ ન્યુઝ, દીવ દેશમાં 1લી જુલાઈ 2024 થી અમલમાં આવેલ ત્રણ કાયદાઓની જાણકારી માટે ગ્રામ પંચાયતોમાં એક કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વણાકબારા કોસ્ટલ પોલીસના ઇન્ચાર્જ નિલેશ કાટેકર ઉપયોગી માર્ગદર્શન આપ્યું કસ્ટર ઇન્ચાર્જ દ્વારા ચાલી રહેલ ઇન્ડિયન પીનલ કોડ IPC ની જગ્યાએ આજથી અમલમાં આવી રહેલ ભારતીય ન્યાય સહિતા બાબત પ્રાથમિકતા જાણકારી આપી હતી. આઇપીસી, સીઆરપીસી અને ઇન્ડિયન એવિડીયન્સ એક્ટની જગ્યાએ ભારત સરકાર દ્વારા ત્રણ કાયદાઓ ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સહિતા અને ભારતીય સાક્ષી અધિનિયમનો અમલ શરૂ કરવામાં આવ્યો છે એને બ્રિટિશ કાલ દરમિયાન તેમના…
Read Moreમહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલ જર્જરીત ‘જુના હાડોડ બ્રીજ’ ઉપર અવરજવર માટે બીજો હુકમ ન થાય ત્યાં સુધી મનાઈ ફરમાવવામાં આવે છે
હિન્દ ન્યુઝ, મહીસાગર મહીસાગર જીલ્લામાં લુણાવાડા હાડોડ વરધરી રોડ ઉપર જુનો હયાત ડુબાઉ હાડોડ બ્રીજ આવેલ છે જે હાલમાં જર્જરીત સ્થિતિમાં છે. આ બ્રીજની અપસ્ટ્રીમ બાજુએ રાજ્ય માર્ગ યોજના વિભાગ, વડોદરા દ્વારા નવીન હાઈલેવલ મેજર બ્રીજનું બાંધકામ કરવામાં આવેલ હોય આ હાઈલેવલ બ્રીજ વાહન વ્યવહાર માટે કાર્યરત છે, જેથી જુના ડુબાઉ પુલ ઉપર કોઈ અનિચ્છનીય બનાવ કે જાનહાની ન સર્જાય તે માટે બ્રીજ બંધ કરેલ છે. ઉપરોક્ત બાબત ધ્યાને લઈ ડુબાઉ પુલ ઉપર કોઈ અનિચ્છનીય બનાવ કે જાનહાની ન સર્જાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે જાહેરહીતમાં…
Read Moreચોમાસાની ઋતુ દરમિયાન આ રીતે પોતાનું અને પોતાના પરિવારનું આરોગ્ય સાચવો !
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં ચોમાસાની ઋતનું આગમન થઇ ગયું છે અને જિલ્લાના મોટા ભાગના સ્થળોએ હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદે જમાવટ કરી છે. ચોમાસા ઋતુ દરમિયાન જો કેટલીક બાબતોની તકેદારી રાખવામાં આવે અને કેટલીક બાબતોનું ખાસ પાલન કરવામાં આવે તો નાગરિકો પોતાનું અને પોતાના પરિવારનું આરોગ્ય સાચવી શકે છે. ચોમાસની ઋતુમાં ધ્યાન રાખવાની બાબતોમાં સૌએ પીવાના પાણી માટે ઉકાળેલા કે કલોરીશનેશન કરેલ પાણીનો ઉપયોગ કરવો, પીવા માટે જયારે પાણી લઇએ ત્યારે ડોયાનો જ ઉપયોગ કરવો, પાણીના સંગ્રહસ્થાનોને હંમેશાં હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખવા કે જેથી પાણીમાં…
Read Moreસ્વચ્છ ભારત મિશન અર્બન અને નિર્મળ ગુજરાત અંતર્ગત ઝીરો વેસ્ટ તરફની પહેલ
હિન્દ ન્યુઝ, આણંદ રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ખ્જારા ગુજરાતને ઝીરો વેસ્ટ તરફ અગ્રેસર બનાવવાના ભાગરૂપે આણંદ ખાતે નગરપાલીકાના સહયોગથી ”સ્વચ્છ ભારત મિશન અર્બન અને નિર્મળ ગુજરાત થકી ઝીરો વેસ્ટ તરફ” પહેલની શરૂઆત કરવામાં આવી છે. જે અન્વયે આણંદ ખાતે જિલ્લાના અધિકારીઓની ઉપસ્થગિતિમાં જિલ્લા કક્ષાનો એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ તાલીમમાં ઉપસ્થિત જિલ્લાના અધિકારીઓઓને સંબોધતા કહ્યું કે, જિલ્લાના તમામ નગરપાલિકાએ ઝીરો વેસ્ટની દિશામાં આગળ વધીને આણંદ જિલ્લો સ્વચ્છતા સર્વેક્ષણ -૨૦૨૪માં સારું રેટિંગ પ્રાપ્ત કરે તે માટે…
Read Moreરાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી નવી યોજના અમલમાં મૂકી
હિન્દ ન્યુઝ, જામનગર દેશના નાગરીકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિને અપનાવવા આહવાન કર્યું છે. વડાપ્રધાન ના આહવાનને હકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી વિવિધ પહેલો હાથ ધરવામાં આવી રહી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ વિભાગે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા ખેડૂતોને પ્રોત્સાહન મેળે, તેવા નેક આશયથી આ વર્ષે નવી યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના દરેક…
Read Moreઠેબા ગામના યુવા ખેડૂત યશભાઈએ અપનાવી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી
હિન્દ ન્યુઝ, જામનગર ઋગ્વેદમાં કહેવાયું છે કે गावो विश्वस्य मातरः એટલે કે ગાય વિશ્વની માતા છે, કારણ કે ગાય આપણી માતાની જેમ જ પાલનપોષણ કરનારી છે. ગાયોનો ઉછેર અને રક્ષણ કરવું એ આપણી ફરજ છે જે આપણે કુદરતી ખેતી દ્વારા સરળતાથી કરી શકીએ છીએ. પ્રાકૃતિક ખેતી એ આત્મનિર્ભર ભારત બનાવવાનું પ્રથમ પગલું છે કારણ કે તે દેશી ગાયના છાણ અને ગૌમૂત્રથી કરવામાં આવે છે. દેશી ગાય આધારિત ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ બિલકુલ થતો નથી, તેથી તે ખૂબ જ ઓછા ખર્ચે થતી ખેતી છે. એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ…
Read Moreજિલ્લા કલેકટર કચેરી ખાતે પી.સી.& પી.એન.ડી.ટી. એક્ટની સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે પી.સી.& પી.એન.ડી.ટી. એક્ટ- 1994 ની સલાહકાર સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી (ઈનચાર્જ) વિકલ્પ ભારદ્વાજની માર્ગદર્શક ઉપસ્થિતિમાં અને તૃપ્તિ રાઠોડના અધ્યક્ષસ્થાને આયોજિત બેઠકમાં નવા રજીસ્ટ્રેશન માટેની એક અરજી તથા રીન્યુઅલ રજીસ્ટ્રેશન માટેની બે અરજી મંજુર કરવામાં આવેલી હતી. આ ઉપરાંત કલીનીક ઈન્સ્પેકશનનો રિવ્યુ કરવામાં આવ્યો હતો. આ સાથે તાલુકા હેલ્થ ઓફિસરઓ, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને ઈન્સ્પેકશન કામગીરી વધુ સુદ્રઢ બનાવવા માટે સુચના આપવામાં આવી હતી. જામનગર જિલ્લામાં કોઈ પણ જગ્યાએ પીસી એન્ડ પીએનડીટી…
Read Moreજામનગરની દિગ્વિજયસિંહજી ન્યુ સરકારી હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગરની વિવિધ સરકારી શાળાઓમા શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાની દિગ્વિજયસિંહજી ન્યુ સરકારી હાઈસ્કૂલ ખાતે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ઉત્સવ સમા માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી અને ધો. ૯ તેમજ ધો.૧૧માં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. આ ઉત્સવમાં ધોરણ ૯ માં ૪૩ અને ધોરણ ૧૧ માં ૨૮ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. આ તકે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ગત વર્ષે વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જે થકી વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો સંચાર થયો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા હાઈસ્કૂલના આચાર્ય…
Read Moreજિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલાઓ માટે જાગૃત્તિલક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, જામનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના માર્ગદર્શન તળે જિલ્લા શ્રમયોગી કલ્યાણ બોર્ડ કચેરી ખાતે મહિલાઓ માટે જાગૃતિલક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં કાયદાકીય સુરક્ષા, મહિલાઓને વિવિધ સરકારી યોજનાઓ અંગેની માહિતી DHEW ની ટીમ દ્વારા આપવામાં આવી હતી. આ ઉપરાંત સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર, મહિલા પોલીસ સ્ટેશન, 181 મહિલા હેલ્પલાઈન, નારી અદાલત, મહિલા સુરક્ષા, વહાલી દીકરી યોજના જેવી વિવિધ યોજનાકીય માહિતી મહિલાઓને આપવામાં આવી હતી. આ સાથે મહિલા સ્વાવલંબન યોજનાની વિસ્તૃત માહિતી અપાઈ હતી અને મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત 15 જેટલા…
Read More