રાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી નવી યોજના અમલમાં મૂકી

હિન્દ ન્યુઝ, જામનગર      દેશના નાગરીકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિને અપનાવવા આહવાન કર્યું છે. વડાપ્રધાન ના આહવાનને હકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી વિવિધ પહેલો હાથ ધરવામાં આવી રહી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ વિભાગે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા ખેડૂતોને પ્રોત્સાહન મેળે, તેવા નેક આશયથી આ વર્ષે નવી યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના દરેક…

Read More

ઠેબા ગામના યુવા ખેડૂત યશભાઈએ અપનાવી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી

હિન્દ ન્યુઝ, જામનગર       ઋગ્વેદમાં કહેવાયું છે કે गावो विश्वस्य मातरः એટલે કે ગાય વિશ્વની માતા છે, કારણ કે ગાય આપણી માતાની જેમ જ પાલનપોષણ કરનારી છે. ગાયોનો ઉછેર અને રક્ષણ કરવું એ આપણી ફરજ છે જે આપણે કુદરતી ખેતી દ્વારા સરળતાથી કરી શકીએ છીએ. પ્રાકૃતિક ખેતી એ આત્મનિર્ભર ભારત બનાવવાનું પ્રથમ પગલું છે કારણ કે તે દેશી ગાયના છાણ અને ગૌમૂત્રથી કરવામાં આવે છે. દેશી ગાય આધારિત ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ બિલકુલ થતો નથી, તેથી તે ખૂબ જ ઓછા ખર્ચે થતી ખેતી છે. એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ…

Read More

જિલ્લા કલેકટર કચેરી ખાતે પી.સી.& પી.એન.ડી.ટી. એક્ટની સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર    જિલ્લા કલેકટર કચેરી ખાતે પી.સી.& પી.એન.ડી.ટી. એક્ટ- 1994 ની સલાહકાર સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી (ઈનચાર્જ) વિકલ્પ ભારદ્વાજની માર્ગદર્શક ઉપસ્થિતિમાં અને તૃપ્તિ રાઠોડના અધ્યક્ષસ્થાને આયોજિત બેઠકમાં નવા રજીસ્ટ્રેશન માટેની એક અરજી તથા રીન્યુઅલ રજીસ્ટ્રેશન માટેની બે અરજી મંજુર કરવામાં આવેલી હતી. આ ઉપરાંત કલીનીક ઈન્સ્પેકશનનો રિવ્યુ કરવામાં આવ્યો હતો. આ સાથે તાલુકા હેલ્થ ઓફિસરઓ, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને ઈન્સ્પેકશન કામગીરી વધુ સુદ્રઢ બનાવવા માટે સુચના આપવામાં આવી હતી. જામનગર જિલ્લામાં કોઈ પણ જગ્યાએ પીસી એન્ડ પીએનડીટી…

Read More

જામનગરની દિગ્વિજયસિંહજી ન્યુ સરકારી હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગરની વિવિધ સરકારી શાળાઓમા શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાની દિગ્વિજયસિંહજી ન્યુ સરકારી હાઈસ્કૂલ ખાતે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ઉત્સવ સમા માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી અને ધો. ૯ તેમજ ધો.૧૧માં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. આ ઉત્સવમાં ધોરણ ૯ માં ૪૩ અને ધોરણ ૧૧ માં ૨૮ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. આ તકે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ગત વર્ષે વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જે થકી વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો સંચાર થયો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા હાઈસ્કૂલના આચાર્ય…

Read More

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલાઓ માટે જાગૃત્તિલક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર      જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના માર્ગદર્શન તળે જિલ્લા શ્રમયોગી કલ્યાણ બોર્ડ કચેરી ખાતે મહિલાઓ માટે જાગૃતિલક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં કાયદાકીય સુરક્ષા, મહિલાઓને વિવિધ સરકારી યોજનાઓ અંગેની માહિતી DHEW ની ટીમ દ્વારા આપવામાં આવી હતી. આ ઉપરાંત સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર, મહિલા પોલીસ સ્ટેશન, 181 મહિલા હેલ્પલાઈન, નારી અદાલત, મહિલા સુરક્ષા, વહાલી દીકરી યોજના જેવી વિવિધ યોજનાકીય માહિતી મહિલાઓને આપવામાં આવી હતી. આ સાથે મહિલા સ્વાવલંબન યોજનાની વિસ્તૃત માહિતી અપાઈ હતી અને મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત 15 જેટલા…

Read More

મહિલા રોકડ પુરસ્કાર યોજના માટે મહિલા ખેલાડીઓ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ઈણાજ ખાતે આવેદન કરી શકશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     ગાંધીનગર સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ના વર્ષમાં વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય સ્પર્ધાઓ(SGFI) અંડર ૧૪, અંડર ૧૭, અંડર ૧૯ આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી. દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ (ભાગ લીધેલ) તેવી મહિલા ખેલાડીઓને કોઈ પણ એક જ રમતમાં તેમજ એકજ સિદ્ધિ માટે “મહિલા રોકડ પુરસ્કાર યોજના” અમલી છે. આ યોજના માટેનું અરજી ફોર્મ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જીલ્લા સેવા સદન, રૂમનં. ૩૧૫-૩૧૬, બીજો માળ, ઇણાજ, તા.વેરાવળ, જિ. ગીર-સોમનાથ સંપર્ક કરી મેળવી સંપૂર્ણ વિગત ભરીને તા. ૧૦/૦૭/૨૦૨૪ સુધીમાં મોકલી આપવાનું રહેશે. ઉપરાંત વર્ષ ૨૦૨૨-૨૩માં મહિલા…

Read More

રાજ્ય સરકારનો આર્થિક ટેકો મળતા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ વેગવાન બની

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક ખેતીના હિમાયતી રહ્યાં છે. રાજ્યપાલ ની આગેવાની અને રાજ્ય સરકારના માર્ગદર્શનમાં ગુજરાતભરના ખેડૂતો પ્રાકૃતિક કૃષિની આ ઝૂંબેશમાં સહભાગી બન્યાં છે. રાજય સરકાર તરફથી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં વિવિધ બાબતોમાં ઘણી સહાય આપવામાં આવે છે. જેનાથી ખેડૂતોને આર્થિક ટેકો મળતાં પ્રાકૃતિક કૃષિને વેગ મળ્યો છે. પ્રાકૃતિક ખેતીમાંની એક સહાય છે – પ્રાકૃતિક કૃષિમાં ગૌ નિભાવ માટે સહાય ખર્ચ. સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને વેગ આપીને ખેડૂતોની સમૃદ્ધિ વધારવાની દિશામાં કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને…

Read More

भारतीय सूचना प्रौद्योगिकी संस्थान वडोदरा अपने अंतर्राष्ट्रीय परिसर दीव (IIITV-ICD परिसर दीव) में AICTE द्वारा प्रायोजित QIP पोस्ट ग्रेजुएट सर्टिफिकेशन प्रोग्राम ऑन आर्टिफिशियल इंटेलिजेंस के लिए देश भर से AICTE से संबद्ध संस्थानों के 40 से अधिक संकाय सदस्यों की मेजबानी कर रहा है।

हिन्द न्यूज़, दीव      मानसून के आगमन के साथ, 1 जुलाई को उद्घाटन समारोह हुआ। माननीय सु. भानु प्रभा, IAS, कलेक्टर, UT प्रशासन दीव और प्रोफेसर धर्मेंद्र सिंह, निदेशक IIIT वडोदरा ने कार्यक्रम का उद्घाटन किया। कार्यक्रम समन्वयक डॉ. प्रतीक शाह और स्थानीय कार्यक्रम समन्वयक डॉ. विकास कुमार ने सभी गणमान्य व्यक्तियों का स्वागत किया। समारोह में गणमान्य व्यक्तियों द्वारा दीप प्रज्वलन के बाद मंगलाचरण किया गया। इस अवसर पर निदेशक और मुख्य अतिथि ने प्रतिभागियों को संबोधित किया। प्रकृति के साथ संबंध और स्थायी जीवन के लिए संतुलन…

Read More