જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી લોકોની રજૂઆતો સાંભળતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, જામનગર    રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઇ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળ્યા હતા. તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. મંત્રી દ્વારા યોજવામાં આવેલ આ લોકસંપર્ક કાર્યક્રમમાં જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તેઓએ પોતાની રજૂઆત મંત્રી સમક્ષ મૂકી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કૃષિમંત્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા આ…

Read More

રાજ્યમાં આવતી કુદરતી આપદાના સમયે આપત્તિ વ્યવસ્થાપન અને સુચારુ સંકલનનું કેન્દ્ર એટલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)

હિન્દ ન્યુઝ, જામનગર       રાજ્યમાં આવતી કોઈપણ આપદા સામે મક્કમતાથી લડવા માટે ગુજરાત સરકારનું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) તમામ અદ્યતન તકનીકો સાથે સુસજ્જ છે. ધરતીકંપ હોય, વાવાઝોડું હોય, પૂર હોય કે પછી હીટવેવ, નાગરિકોની સુરક્ષા માટે ગાંધીનગર ખાતે આવેલું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર આપત્તિના સમયે ૨૪x૭ કાર્યરત રહીને રાજ્યના દરેક નાગરિકની સલામતી સુનિશ્ચિત કરવાનું કામ છે. ગુજરાતમાં આવતી દરેક આપદાઓથી નાગરિકો અને પશુઓની સલામતી સુનિશ્ચિત કરવા ઉપરાંત રાહત બચાવ, સ્થળાંતર અને તાત્કાલિક સહાય પહોંચાડવા જેવી અનેક બાબતોનું એક જ સ્થળેથી સંકલન થઇ શકે તે પ્રકારની વ્યવસ્થાની જરૂર વર્તાઈ…

Read More

જીવનમાં શિક્ષણનું મહત્વ કેટલું જરૂરી !

હિન્દ ન્યુઝ, ધરમપુર       મનુષ્યજીવન દુર્લભ છે અને ‘મનુભર્વ’ માણસ બનો અને સાચા અર્થમાં ‘મનુષ્યત્વને દીપાવો’ એ ભારતીય સંસ્કૃતિનો પરમ આદર્શ છે. એટલે શિક્ષણને મનુષ્યનો ‘બીજો જન્મ’ કહેવામાં આવ્યો છે. ગુરુ પાસે શિક્ષણ મેળવીને વ્યક્તિ મસ્તિષ્ક,હાથ અને હૈયાનો સદુપયોગ કરી શ્રેષ્ઠ નાગરિક બને અને મનુષ્યો ચિત્ત વ્યક્તિત્વ વિકસાવી પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વને સમુન્નત કરવામાં પોતાની બુદ્ધિ, જ્ઞાન અને અનુભવ સમર્પિત કરી ‘ત્યાગીને ભોગવી જાણો’ નો પરિતોષ અનુભવી શકે,એવા જીવનવિકાસમાં શિક્ષણ એને સજ્જ બનાવે. પોતાના માનવીય સંબંધો ઉદાત બનાવે, અનુકૂલન સાધી સમાજમાં શાંતિ વિકસાવામાં મદદરૂપ બને, એ માટે…

Read More

ગુજરાતને વધુ હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે ‘સામાજિક વનીકરણ’ ની ચાર નવીન યોજનાઓનો રાજ્યભરમાં પ્રારંભ

હિન્દ ન્યુઝ, જામનગર        વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું મિશન ‘એક પેડ માં કે નામ’ જનજન સુધી પહોંચ્યું છે. ત્યારે વન મંત્રી મૂળુભાઈ બેરાના માર્ગદર્શનમાં ગુજરાતને વધુ હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે ‘સામાજિક વનીકરણ’ ની ચાર નવીન યોજનાઓનો રાજ્યભરમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા શરૂ કરાયેલી આ ચાર નવીન યોજનાઓમાં (૧) હરીત વન પથ વાવેતર (૨) પંચરત્ન ગ્રામ વાટીકા વાવેતર (૩) અમૃત સરોવર ફરતે પંચરત્ન વાવેતર અને (૪) નર્સરીમાં ટોલ સીડલીંગ તૈયાર કરવાનો સમાવેશ થાય છે. વન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ ચાલુ વર્ષે…

Read More

આંગણવાડીને મદરેસા નહીં બનવા દઈએ – હિન્દુ સેના

હિન્દ ન્યુઝ, જામનગર        જામનગરમાં આવેલ મયુરનગર નજીક સોનલ નગરમાં જેએમસી સંચાલિત આંગણવાડીમાં ૩૦ બાળકો અભ્યાસ કરે છે. જેમાં બે મુસ્લિમ બાળકો છે આંગણવાડીમાં શિક્ષિકા દ્વારા તહેવાર લક્ષી માર્ગદર્શન આપવાના ઉપલા અધિકારીની સુચના મળેલ હતી પરંતુ સૂચનાથી ઉપરવટ જઈ એક નાટ્યાત્મક રીતે ઈદ કેમ મનાવવી, નવા કપડાં પહેરવા, બિરયાની ખાવી, સલામ મારવી, નમાજ કેમ અદા કરવી ? તેમજ ‘યા હુસેન યા હુસેન’ નાં નારાઓ બોલાવી કોમળ વયના બાળકોના માનસમાં એક ધર્મ પ્રત્યેની ગ્રંથી બંધાય અને તે નાની વયના બાળકોના મગજમાં ધર્મ શું છે ? તે સમજાવવા ને બદલે…

Read More