બન્ની-પચ્છમ વિસ્તારમાંથી પ્રથમ ઉચ્ચશિક્ષણ મેળવનાર યુવતીનું ગૌરવ પ્રાપ્ત કરીને સવિતા મારવડાએ ઉભી કરી મિશાલ

બેટી બચાવો – બેટી પઢાઓ અભિયાનની સાર્થકતા હિન્દ ન્યુઝ, ભુજ         કચ્છના સરહદી વિસ્તાર બન્ની-પચ્છમાં શિક્ષણના અભાવ તથા સમાજમાં પ્રવર્તી પરંપરાઓના કારણે આજેપણ દિકરીઓને પ્રાથમિક અભ્યાસ બાદ આગળના શિક્ષણ માટે ખુબ જ સંઘર્ષ કરવો પડે છે. ખુદના લગ્નના આણાનો સામાન તૈયાર કરવા બાળકીના હાથમાંથી પેન છીનવી લઇને સોય-દોરો પકડાવી ઘરમાં બેસાડી દેવાય છે. આવા રૂઢિચુસ્ત માહોલ અને સમાજની માનસિકતાનો હિંમતપૂર્વક સામનો કરીને સરકારની બેટી બચાવો-બેટી પઢાઓ અભિયાન અંતર્ગત મળતી વિવિધ સહાય, સ્કોલરશિપ તેમજ પરિવારના સહયોગથી મારવાડા સમાજની સવિતા આ પછાત વિસ્તારમાં ઉચ્ચશિક્ષણ મેળવનાર પ્રથમ દિકરીનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.         અનેક મુશ્કેલી અને…

Read More

સમગ્ર ભાવનગર જિલ્લામાં તહેવારોને અનુલક્ષીને તિક્ષ્ણ હથિયારો સાથે રાખવા પર પ્રતિબંઘ ફરમાવતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ  ન્યુઝ, ભાવનગર  આગામી જાન્યુઆરી/૨૦૨૩- ફેબ્રુઆરી/૨૦૨૩ નાં માસ દરમિયાન તા.૦૨/૦૨/૨૦૨૩ ના રોજ વિશ્વકર્મા જ્યંતિ, તા.૦૯/૦૨/૨૦૨૩ ના રોજ સંકટ ચતુર્થી, તા.૧૫/૦૨/૨૦૨૩ ના રોજ સ્વામી દયાનંદ સરસ્વતી જ્યંતિ, તા.૧૮/૦૨/૨૦૨૩ ના રોજ મહા શિવરાત્રી તથા તા.૨૦/૦૨/૨૦૨૩ ના રોજ સોમવતી અમાસ વગેરે તહેવારો/ ઉત્સવો ઉજવનારા હોય, આ દિવસોમા કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમ્યાન સુલેહ શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતા સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથીયાર જેવા કે છરી, કુંહાડી, ઘારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડના પાઇપ, ભાલા વગેરે જેવા પ્રાણઘાતક હથિયાર લઇને…

Read More

આગામી ૫મી સુધી ભુજ તાલુકાના ખાવડા થી ધોરડો સુધી 754 K રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભારે કોર્મશિયલ વાહન વ્યવહાર માટે બંધ કરાયો

હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લાના લખપત-ખાવડા-ધોળાવીરા-સાંતલપુર રાષ્ટ્રીય ધોરી માર્ગ નં.754 K નું બાંધકામ પુરજોશમાં ચાલી રહેલ છે અને કચ્છ જિલ્લામાં આગામી જી-૨૦ સમિટ ગ્રુપની બેઠકને લઇ પ્રોજેકટ કાર્યના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ટ્રાફિક નિયંત્રણ કરવો જરૂરી હોઇ ખાવડાથી ધોળાવીરા સુધીનો ધોરી માર્ગ નં. 754 K બંધ રાખવા માટે કાર્યપાલક ઈજનેર, નેશનલ હાઈવે ડીવીઝન, ગાંધીધામ દ્વારા તા.૨૮/૧/૨૦૨૩ સુધી ભારે કોર્મશીયલ વાહનો પ્રતિબંધ કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવેલ પરંતુ કામગીરી પૂર્ણ ન થતાં અને પ્રોજેકટ કાર્યના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે વધુ પાંચ દિવસ એટલે કે આગામી તા.૫મી ફેબ્રુઆરી-૨૦૨૩ સુધી બંધ રાખવો…

Read More

 કચ્છ જિલ્લાની બોર્ડરવિંગ બટાલિયન નં.૨ના ત્રણ કર્મચારીઓની મહામહિમ રાષ્ટ્રપતિના પ્રજાસત્તાક દિન ૨૦૨૩ના ચંદ્રક માટે પસંદગી

હિન્દ ન્યુઝ, ભૂજ   પ્રજાસત્તાક પર્વ નિમિતે ભુજ ખાતે બટાલિયન બોર્ડરવિંગ હોમગાર્ડઝ કચેરી ખાતે ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓની લાંબી પ્રશંસનીય કામગીરી બદલ તેમની સેવાની કદરરૂપે મહામહિમ રાષ્ટ્રપતિના પ્રજાસત્તાક દિન ૨૦૨૩ના ચંદ્રક માટે પસંદગી કરાઇ છે.           પસંદગી પામેલ અનિલકુમાર છોટાલાલ ગાંધી – ( સુબેદાર સ્ટાફ ઓફિસર) નં.૨ બટાલિયન બોર્ડરવિંગ ભુજ ખાતે વર્ષે ૧૯૮૯માં હવાલદાર એકાઉન્ટન્ટની જગ્યા પર ભરતી થયેલ તેઓને વર્ષ-૨૦૦૧માં નાયબ સુબેદાર પ્લાન કમાન્ડરમાં બઢતી મળેલ તથા વર્ષ-૨૦૨૧માં સુબેદાર સ્ટાફ ઓફિસર (વર્ગ-ર)માં બઢતી મળેલ છે. તેઓની સેવાકાળ દરમ્યાન કાયદો વ્યવસ્થા/ જેલ ફરજ/ રાજય તથા રાજય બહાર ચૂંટણીની ફરજો બજાવેલ છે. હાલમાં…

Read More