હિન્દ ન્યુઝ, પંચમહાલ આજરોજ પંચમહાલ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા આઈ.સી.ડી.એસ શાખાના સંયુક્ત ઉપક્રમે બેટી બચાવો, બેટી પઢાવો તેમજ પૂર્ણા યોજના હેઠળ સ્વામિનારાયણ મંદિર હોલ, ગોધરા ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસ તથા સશકત અને સુપોષિત કિશોરી મેળાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત કિશોરીઓને અધિકારીઓ, પદાધિકારીઓ દ્વારા વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વ્હાલી દીકરી યોજના અંતર્ગત વિવિધ લાભાર્થીઓને મંજૂરી હુકમ અપાયા હતા. પૂર્ણાં કિશોરીઓને પૂર્ણાં શિલ્ડ, પૂર્ણાં કપ તથા આઈ.ટી.આઈ અને શાળા પ્રવેશ કરેલ કિશોરીઓને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે પ્રતિજ્ઞા,…
Read MoreMonth: January 2023
કચ્છ જિલ્લાની બોર્ડરવિંગ બટાલિયન નં.૨ના પાંચ કર્મચારીઓની મુખ્યમંત્રી પ્રજાસત્તાક દિન ૨૦૨૩ના ચંદ્રક માટે પસંદગી
હિન્દ ન્યુઝ, ભૂજ પ્રજાસત્તાક પર્વ નિમિતે ભુજ ખાતે બટાલિયન બોર્ડરવિંગ હોમગાર્ડઝ કચેરી ખાતે ફરજ બજાવતા પાંચ કર્મચારીઓની લાંબી પ્રશંસનીય કામગીરી બદલ તેમની સેવાની કદરરૂપે માન. મુખ્યમંત્રીના પ્રજાસત્તાક દિન ૨૦૨૩ના ચંદ્રક માટે પસંદગી કરાઇ છે. પસંદગી પામેલ સુરતસિંહ વાઘજી સોઢા નં.ર બટાલિયન બોર્ડરવિંગ ભુજ ખાતે હવાલદારની જગ્યાએ તા.૩૦/૦૭/૨૦૦૩ના નિમણુંક મેળવેલ છે. તેઓએ બટાલિયન ખાતેથી આયોજીત કરવામાં આવેલી તાલીમો સફળતા પૂર્વક મેળવેલી છે. તેઓએ બોડૅર ડ્યુટી, કાયદો વ્યવસ્થા, જેલ સુરક્ષા, તેમજ રાજય અને રાજય બહાર ચૂંટણી ફરજો બજાવેલી છે. હાલમાં તેઓ સી કંપની ખાતે હવાલદારની ફરજ ઉપરાંત રૂદ્રમાતા તાલીમ સેન્ટર…
Read Moreभारत का सबसे बड़ा स्मारक और संग्रहालय ‘स्मृति वन’ : 4 महीने में पहुंचे 2.80 लाख से अधिक आगंतुक
हिन्द न्यूज, गांधीनगर प्रधानमंत्री नरेन्द्र मोदी ने 28 अगस्त, 2022 को कच्छ के भुज शहर में स्मृति वन का लोकार्पण किया था। 26 जनवरी, 2001 को आए विनाशक भूकंप ने कच्छ को पूरी तरह से तबाह कर दिया था। उस भूकंप का शिकार बने लोगों नागरिकों की याद में इस स्मृति वन का निर्माण किया गया है। 20 जनवरी तक केवल चार महीनों की अवधि में ही 2 लाख 80 हजार लोग इस स्मारक को देख चुके हैं जबकि इसी दौरान संग्रहालय को देखने के लिए 1 लाख 10 हजार…
Read Moreભુજ તાલુકાના મધ્યાહન ભોજન યોજના માનદવેતન ધારકોની ભુજ તાલુકા કક્ષાની કૂકીંગ સ્પર્ધા યોજાઈ
હિન્દ ન્યુઝ, ભુજ ગત તા.૨૧/૦૧/૨૦૧૩ ના રોજ પી.એમ.પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના) અંતર્ગત ભુજ તાલુકાના મધ્યાહન ભોજન યોજના માનદવેતન ધારકોની ભુજ તાલુકા કક્ષાની કૂકીંગ કોમ્પિટીશનનું આયોજન પંચાયતી પ્રાથમિક શાળા નં.૧૦, ઉમેદનગર, ભુજ ખાતે કરવામાં આવી હતી. જે કોમ્પિટીશનનું આયોજન વી.એચ.બારહટ મામલતદાર ભુજ (ગ્રામ્ય) ના સીધા માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. મધ્યાહન ભોજન યોજનામાં અગિયાર માનદવેતન ધારકોએ સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. સ્પર્ધકોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના વિજેતા જાહેર કરવા માટે ઉષાબેન પરમાર, બાળ વિકાસ યોજના અધિકારી, ભુજના અધ્યક્ષપણા હેઠળ એક નિર્ણાયક કમિટિની રચના કરવામાં કરવામાં આવી હતી જેમાં…
Read Moreભુજ સ્મૃતિવન ખાતે ૭૪માં પ્રજાસત્તાક પર્વનું યોજાયું ગ્રાઉન્ડ રીહર્સલ
હિન્દ ન્યુઝ, ભુજ ૭૪માં પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષા ઉજવણી આન-બાન-શાનથી થાય તે માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે આજરોજ ભુજ સ્મૃતિવન ખાતે પ્રજાસત્તાક પર્વની તૈયારીઓનું ગ્રાઉન્ડ રીહર્સલ યોજવામાં આવ્યું હતું. કચ્છ પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરીયાના હસ્તે ૨૬ જાન્યુઆરીના રોજ તિરંગો લહરાશે. જિલ્લા સમાહર્તા દિલીપ રાણાએ આજે સ્મૃતિવન ગ્રાઉન્ડમાં તિરંગાને સલામી આપી પરેડ નિરીક્ષણ કરવાની સાથે માર્ચપાસ્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન ઉપરાંત વિવિધ ક્ષેત્રે યોગદાન આપનારાઓનું સન્માન સહિત બાબતોની સમીક્ષા કરી હતી તથા મુખ્ય કાર્યક્રમની તમામ તૈયારીઓનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે વિવિધ શાળાના…
Read Moreભાવનગરમાં ઈ-ગવર્નન્સના ભાગરૂપે આજરોજ કલેક્ટર કચેરી ખાતે વહિવટી સ્ટાફને ટ્રેનિંગ અપાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર ઈ-ગવર્નન્સના ભાગરૂપે રાજ્યના તમામ વહીવટી વિભાગોથી માંડી ખાતાના વડાની કચેરીઓ, જીલ્લા અને તાલુકા કક્ષાની સરકારી કચેરીઓ તથા રાજ્યના બોર્ડ, નિગમો અને અન્ય કચેરીઓમાં તમામ સ્તરની વહીવટી કાર્યપધ્ધતિમાં સુગમતા અર્થે વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના તા.૨૮/૧૨/૨૦૨૨ ના પરિપત્રથી “ઇ-સરકાર” પોર્ટલ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે. “ઇ-સરકાર” પોર્ટલ કાર્યવાહીની અમલવારી અર્થે કર્મચારીઓમાં “ઇ-સરકાર” પોર્ટલની જાગૃતતા સારૂ જિલ્લાની કચેરીનાં સ્ટાફને તાલીમ મેળવવી અનિવાર્ય બની રહે છે. “ઇ-સરકાર” પોર્ટલની અસરકારક અમલવારી અન્વયે ભાવનગર જિલ્લાની વહિવટી વિભાગની કચેરીના એક વહીવટી જાણકાર અને એક કોમ્પ્યુટર જાણકાર કર્મચારીઓને આયોજન હોલ, કલેકટર કચેરી, ભાવનગર…
Read More“મતદાનથી વિશેષ કંઇ નથી, હું અવશ્ય મતદાન કરીશ” થીમ આધારીત ૧૩ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીની સૂચના મુજબ ૨૫ મી જાન્યુઆરી ને સમગ્ર દેશમાં “રાષ્ટ્રીય મતદાતા દિવસ” તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં તમામ વયમર્યાદાવાળા તમામ જ્ઞાતિના સમુહને ચૂંટણી પ્રક્રિયામાં નિષ્પક્ષ તરીકે ભાગ લે તે માટે ખૂબ જ પ્રયત્ન કરવામાં આવે છે તેમજ ચૂંટણી પ્રક્રિયાને તમામ લોકોને અનુકૂળ આવે તેવી સુગમ બનાવવામાં આવેલ છે. જેથી તેમાં તમામ લોકો સહજ અને સરળ રીતે સહભાગી બની શકે છે. ચાલુ વર્ષે ૧૩ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આ ૧૩ માં “રાષ્ટ્રીય મતદાતા દિવસ”…
Read Moreરાષ્ટ્રના નિર્માણ માટે વિદ્યાર્થી અને યુવાનની ભૂમિકા મહત્વની છે – શ્રી વિશ્વાનંદ માતાજી
હિન્દ ન્યુઝ, ભાવનગર શ્રી રસિકલાલ ધારીવાલ મહિલા કોલેજ વાળુકડ દ્વારા સરવેડી ગામે રાષ્ટ્રીય સેવા યોજના શિબિર ઉદ્દઘાટનમાં શ્રી વિશ્વાનંદ માતાજીએ કહ્યું કે, રાષ્ટ્રના નિર્માણ માટે વિદ્યાર્થી અને યુવાનની ભૂમિકા મહત્વની રહેલી છે. વિનય વિહાર કેળવણી મંડળ સંચાલિત શ્રી રસિકલાલ ધારીવાલ મહિલા કોલેજ વાળુકડ દ્વારા સરવેડી ગામે રાષ્ટ્રીય સેવા યોજના વાર્ષિક શિબિર તા. ૨૨ થી ૨૮ જાન્યુઆરી સુધી યોજાનાર છે. ‘સ્વતંત્રતા સુવર્ણ જયંતિ’ ઉજવણી નિમિત્તે ‘શ્રેષ્ઠ ભારતના પાંચ પ્રકલ્પ’ વિષય સાથે આ શિબિરના ઉદ્દઘાટનમાં અધ્યક્ષસ્થાને રહેલા શિવકુંજ આશ્રમ જાળિયાના વિશ્વાનંદ માતાજીએ કહ્યું કે, રાષ્ટ્રના નિર્માણ માટે વિદ્યાર્થી અને યુવાનની ભૂમિકા મહત્વની રહેલી…
Read Moreઆજરોજ ભાવનગર જિલ્લામાં સ્પેશીયલ ઈમ્યુનાઈઝેશન વીકની ઉજવણીનો શુભારંભ શિહોર ખાતે કરાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર ૦-૫ વર્ષના બાળકોને વિવિધ રોગોથી બચાવવા જરૂરી તમામ રસીઓથી રક્ષીત કરવુ જરૂરી છે. આરોગ્ય વિભાગના સહીયારા પ્રયાસોથી સદર રસીકરણ કાર્યક્રમ સુચારૂ રીતે અમલમાં છે. તેમ છતા લોકોની અંધશ્રધ્ધા કે અન્ય કારણોસર ડ્રોપઆઉટ અને લેફટઆઉટ બાળકો ફીલ્ડમાં જોવા મળે છે. આવા બાળકોને રસીકરણ થકી રક્ષીત કરવાના શુભ આશ્રયથી સરકારની સુચનાનુંસાર રસીકરણનું સ્પેશીયલ ઈમ્યુનાઈઝેશન વીક તા.૨૩/૦૧/૨૦૨૩ થી ૨૮/૦૧/૨૦૨૩ દરમ્યાન મુખ્ય જિલ્લા આોરોગ્ય અધિકારી અને જીલ્લા આર.સી.એચ.અધિકારીના માગદર્શન હેઠળ આયોજન કરવામાં આવેલ છે. આ અભિયાનનો આજરોજ શુભારંભ શિહોર ખાતેથી જીલ્લા આર.સીએચ અધિકારી ડો.કોકીલાબેન સોલંકી દ્રારા કરવામાં આવેલ. સદર સ્પેશીયલ ઈમ્યુનાઈઝેશન…
Read Moreસામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળકલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં ૭૪ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ૭૪ માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળકલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં તળાજાની આઇ.ટી.આઇ. ખાતે સવારે ૯:૦૦ કલાકે કરવામાં આવશે. આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી પોલીસ ટૂકડી દ્વારા સલામી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ કરવામાં આવશે. કાર્યક્રમના અંતે મંત્રી અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ દ્વારા કરવામાં આવશે. પ્રજાસત્તાક દિનની ઉજવણી દરમિયાન ટ્રાફિક પોલીસ, પુરૂષ પોલીસ ટુકડી, મહિલા પોલીસ ટુકડી, હોમગાર્ડ હથિયારી, મહિલા હોમગાર્ડ, ઘોડેસવાર યુનિટ, મ્યૂઝિક પ્લાટુન સહિતની ટૂકડીઓ દ્વારા પરેડ કરવામાં આવશે. આ પ્રસંગે કલેક્ટર ડી.કે.પારેખ, પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ, સહિતનાં વરીષ્ઠ…
Read More