જિલ્લા વહીવટી તંત્રનો સંવેદનાસભર નિર્ણય

હિન્દ ન્યુઝ, ભાવનગર વર્તમાન રાજ્ય સરકાર તો સંવેદનશીલ છે જ પણ તેનું તંત્ર પણ તેવું સંવેદનશીલ છે. તેનું ઉદાહરણ પૂરું પાડતાં સીટી મામલતદારની કચેરી આગામી તા. ૧૯ મી જૂનના રોજ રવિવારે પણ ખુલ્લી રહેશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ શાળા અને કોલેજોના નવાં શૈક્ષણિક સત્રની શરૂઆત થઇ છે. આથી વિદ્યાર્થોઓને જરૂર પડતાં વિવિધ પ્રમાણપત્રો લેવાં માટેની અગવડતા ન પડે તે માટે આ સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં જાહેર થયેલ શૈક્ષિણક બોર્ડનાં પરિણામો અને નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં વિદ્યાર્થીઓને આગળનાં અભ્યાસક્રમ માટે જાતિ, આવકનાં પ્રમાણપત્રો, નોન ક્રિમિલેઅર સર્ટિફિકેટ, ઇ.ડબલ્યુ.એસ.…

Read More

ભારતીય એરફોર્સના ફલાઈંગ ઓફિસર અને પાલિતાણાના રોહિશાળાના હોનહાર પૂત્ર દિવંગત સ્વ.જયદત્તસિંહ પ્રદ્યુમનસિંહ સરવૈયાના પાર્થિવ દેહને સન્માન સાથે આવકારતાં મેયરશ્રી કિર્તીબેન દાણીધારીયા અને આગેવાનો

હિન્દ ન્યુઝ, ભાવનગર ભારતીય એરફોર્સના ફલાઈંગ ઓફિસર અને પાલિતાણાના રોહિશાળાના હોનહાર પૂત્ર દિવંગત સ્વ.જયદત્તસિંહ પ્રદ્યુમનસિંહ સરવૈયાના પાર્થિવ દેહને લઇને એરફોર્સનું ખાસ વિમાન આજે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચતા સંપૂર્ણ સન્માન સાથે ભાવનગરના મેયર શ્રીમતી કિર્તીબેન દાણીધારીયાએ સૌ મહાનુભાવોની ઉપસ્થિતિમાં પુષ્પાંજલિથી પાર્થિવ દેહને આવકાર્યો હતો. આજરોજ સવારે ભાવનગર એરપોર્ટ ખાતે દિવંગત સ્વ.જયદત્તસિંહ પ્રદ્યુમનસિંહ સરવૈયા (ફલાઈંગ ઓફિસર સ્કવોર્ડન-૯ ગ્વાલિયર એરફોર્સ ) ગઇકાલે દિવંગત થતાં તેઓના પાર્થિવ દેહને ગ્વાલિયરથી એરફોર્સના વિમાન મારફતે ભાવનગર એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો. સ્વર્ગસ્થના સ્વજનોઅને ભાવનગરના ગણમાન્ય નાગરિકોની હાજરીમાં તેઓના પાર્થિવ દેહને આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી…

Read More