તમામ ક્ષેત્રે કચ્છ ઝડપભેર વિકાસની હરણફાળ ભરી રહયું છે : શિક્ષણ રાજયમંત્રી કિર્તીસિંહ વાઘેલા જિલ્લાના કોરોના વોરિયર્સને પ્રિકોશન ડોઝ અપાયાં જિલ્લાની વિવિધ હોસ્પિટલોને ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરાઈ કરૂણા અભિયાન અંતર્ગત વિશિષ્ટ કામગીરી બદલ વિવિધ સંસ્થાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાઈ હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે જિલ્લા કક્ષાના ૭૩માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજયમંત્રી કિર્તીસિંહ વાઘેલાના વરદ્ હસ્તે રાષ્ટ્ર ધ્વજને સલામી અર્પીને કરવામાં આવી હતી. લાલન કોલેજ ભુજ ખાતે આન બાન શાનપૂર્વક રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને વિવિધ સાત પ્લાટુનની સલામી સાથે મનાવાએલા ગણતંત્ર…
Read MoreDay: January 27, 2022
લાખણી ના જડિયાલી ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ તરીકે ઠાકોર શ્રવણજી જવેરજી ની વરણી કરવામાં આવી
હિન્દ ન્યુઝ, લાખણી લાખણી તાલુકાના જડિયાલી ગ્રામ પંચાયતમાં સરપંચ ઉમેદવાર સાથે ચાર્જ સંભાળ્યો. ડે.સરપંચ તરીકે ઠાકોર શ્રવણજી જવેરજી ની બિન હરીફ વરણી કરવામાં આવી. બનાસકાઠાના લાખણી તાલુકામાં મોટા ભાગની ગ્રામ પંચાયત માં વિધિવત રીતે સરપંચો ઉમેદવારો વચ્ચે બેઠક યોજી ડેપ્યુટી સરપંચ ની પસંદગી કરી ચાર્જ સંભાળનાર છે જેમાં લાખણી તાલુકા ના જડિયાલી ગ્રામ પંચાયત કચેરી ખાતે પણ સભા મળી હતી જેમાં તલાટી કમ મંત્રી અશોકભાઈ પટેલની હાજરીમાં ડેપ્યુટી સરપંચ તરીકે ઠાકોર શ્રાવણ જી જવેરજી ની બિન હરીફ વરણી કરવામાં આવી છે.જેમાં સરપંચ તરીકે પટેલ સીતાબેન…
Read Moreપ્રગતિશીલ ગુજરાતના મિશનને વધુ વેગવાન બનાવવાના સહિયારા પ્રયાસોની સાથે મજબૂત રાષ્ટ્ર નિર્માણની ભાવના સાથે દેશના સન્માન અને સ્વાભિમાનને બરકરાર રાખવાની કટિબધ્ધતા સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણીને વધુ સાર્થક કરવા સંકલ્પબધ્ધ થવા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહનું આહવાન
હિન્દ ન્યુઝ, રાજપીપલા રાષ્ટ્રના ૭૩ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે આજે નર્મદા જિલ્લાના મુખ્ય મથકે રાજપીપલામાં છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગાને સલામી અર્પી હતી. આમંત્રિત મહાનુભાવો, પદાધિકારીઓ, સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, નગરજનોની વગેરેની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર શાહે આજના પ્રજાસત્તાક પર્વના વધામણા સાથે ગુજરાતની ગૌરવવંતી પ્રજાને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવાની સાથોસાથ તેમણે મહાનુભાવોનું અભિવાદન પણ કર્યું હતું. ધ્વજવંદન બાદ પોલીસ જવાનો તરફથી હર્ષ ધ્વની (VOLLEY FIRING) કરાયું હતું. આ તકે શાહે સહુ દેશવાસીઓને મજબૂત રાષ્ટ્રના…
Read Moreનવસારી જિલ્લાના કણબાડ ગામે અમૃત મહત્વ અંતર્ગત એ સુભાષચંદ્ર બોઝની 175 જન્મ જયંતીના નિમિત્તે પ્રદેશ યુવા મોરચાના સુચના અનુસાર દરેક મંડળના રક્તદાન શિબિર કેમ્પ યોજવામાં આવ્યો
હિન્દ ન્યુઝ, નવસારી નવસારી જિલ્લાના કણબાડ ગામે અમૃત મહત્વ અંતર્ગત એ સુભાષચંદ્ર બોઝની 175 જન્મ જયંતીના નિમિત્તે પ્રદેશ યુવા મોરચાના સુચના અનુસાર દરેક મંડળના રક્તદાન શિબિર કેમ્પ યોજવામાં આવ્યો જે તાલુકા યુવા ભાજપ દ્વારા રક્તદાન શિબિર કેમ્પ યોજવામાં આવ્યો. જેમાં નવસારી ના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ, નવસારી તાલુકા સંગઠન પ્રમુખ મુકેશભાઇ પટેલ, મહામંત્રી રમેશભાઈ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન વિનોદભાઇ, તાલુકા યુવા પ્રમુખ રવિ સોની, મહામંત્રી નેહલ પટેલ અને તેમજ કણભા ગામ સરપંચ ધર્મેશભાઈ પટેલ ઉપસરપંચ ભાવેશભાઈ દ્વારા તેમજ યુવા કાર્યકર્તાઓ હાજર રહીને કાર્યક્રમ કરવામાં આવ્યો. રિપોર્ટ : વિજય પટેલ, નવસારી
Read More“તૌકતે” વાવાઝોડા સમયે જાન જોખમમાં મૂકી અદમ્ય સાહસ બતાવનાર ગુજરાત પોલીસના ૦૧ અધિકારીને “ઉત્તમ જીવન રક્ષા પદક
હિન્દ ન્યુઝ, ગાંધીનગર તા: 25/01/2022 પોલીસ દ્વારા જુદાજુદા ક્ષેત્રોમાં પોતે કરેલ ઉત્તમ સેવાઓની કુશળતાપૂર્વકની કામગીરીને ધ્યાનમાં રાખી મેડલ આપી સન્માન કરવામાં આવતું હોય છે. દેશના કોઇપણ પોલીસ અધિકારીઓ જવાનો માટે મેડલ મેળવવો એ ગૌરવ સમાન હોય છે. ૨૬ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ ભારત સરકારના ગૃહમંત્રાલય દ્વારા ગુજરાત પોલીસના ૦૧ પોલીસ અધિકારીને “ઉત્તમ જીવન રક્ષા પદક” જાહેર કરેલ છે. ગુજરાત પોલીસના “ઉત્તમ જીવન રક્ષા પદક” મેળવાનાર ગીર સોમનાથ જીલ્લાના મદદનીશ સબ ઇન્સ્પેકટર જગદીશભાઇ દાનાભાઇ મકવાણા નાઓએ સને-૨૦૨૧માં ગુજરાતના દરિયા કાંઠે દરિયા કાંઠે ત્રાટકેલ ‘તીકતે’’ વાવાઝોડા દરમ્યાન વિકટ પરિસ્થિતિમાં ગીર-સોમનાથ જીલ્લાના મરીન પોલીસ…
Read Moreગુજરાતના માન.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સરદારશ્રી ને પુષ્પાંજલી કરેલ, સોમનાથ ગૌશાળા ખાતે વૃક્ષારોપણ અને ગીરગાયની મુલાકાત લીધેલ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જીલ્લા ની 11 લાખ ની વસ્તી પ્રમાણે શ્રી સોમનાથ ટ્રસ્ટ નો 11 લાખ વૃક્ષારોપણ નો મહા સંકલ્પ લીધેલ હતો, આજરોજ મુખ્ય મંત્રી એ સોમનાથ ટ્રસ્ટ સંચાલીત ગીર ગાયની ગૌશાળા ની મુલાકાત લીધેલ હતી. આ પ્રસંગે ગૌશાળા ખાતે 11 વૃક્ષો નુ વૃક્ષારોપણ કરી આ સંકલ્પ નો શુભારંભ કર્યો હતો. સાથે વૃક્ષપુજન- ગૌશાળામાં આવેલ ચંદન વનની મુલાકાત લીધી હતી.
Read Moreઢીમા બ્રાન્ચ કેનાલ થી ચારડા માઇનોર કેનાલ ને જોડતા સાયફન પર લીકેજ
હિન્દ ન્યુઝ, થરાદ થરાદ થી ઢીમા ના મુખ્ય માર્ગ પર લીકેજ થતાં ખાડા પડ્યા થરાદ થી પવિત્ર યાત્રાધામ ઢીમા જવાના મુખ્ય માર્ગ પર ઢીમા બ્રાન્ચ કેનાલ માંથી નીકળતી ચારડા માઇનોર કેનાલ બનાવવામાં આવેલ છે જે રસ્તા નીચેથી સાયફન દ્વારા પાણી ચાલુ હોય ત્યારે ઢીમા જવા ના મુખ્ય રસ્તા પર જ લીકેજ થતા ખાડા પડી ગયેલ જોવા મળે છે. મુખ્ય ડામર વાળા રસ્તા પર જ ખાડા પડ્યા જેના કારણે પાણી ભરાઇ રહે છે. આવતા જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માઈનોર અને બ્રાન્ચ કેનાલ ની સાફ-સફાઈના અભાવને કારણે…
Read Moreસોમનાથ મંદિર ખાતે 73માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ટ્રસ્ટી પ્રો.જે ડી પરમાર ના હસ્તે યોજાયેલ હતો
હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રી સોમનાથ તિર્થ રાષ્ટ્રીય તીર્થધામ છે, જે દેશના માનબિંદુ સમાન છે. આજે સોમનાથ દર્શનાર્થે આવનાર યાત્રીકો આ રાષ્ટ્રીય તિર્થ ખાતે ધર્મ ધ્વજ અને રાષ્ટ્ર ધ્વજના દર્શન કરી ધન્ય બનેલા હતા. પ્રજાસત્તાક પર્વની ઉજવણી સોમનાથ ખાતે કરવામાં આવેલ, જે કાર્યક્રમ ટ્રસ્ટી જે ડી પરમારના અધ્યક્ષ સ્થાને યોજાયેલ. તેઓના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ, ત્યાર બાદ ભારતમાતા ની વંદના અને સરદારવંદના તથા પુષ્પાંજલી કરવામાં આવેલ હતી. જેમાં સોમનાથ મંદિર સુરક્ષા જવાનો, સોમનાથ ટ્રસ્ટ સીક્યોરીટી સ્ટાફ, કો-ઓર્ડિનેટર ડો.યશોધરભાઇ ભટ્ટ, ભાવેશભાઇ વેકરીયા, કન્સલ્ટન્ટ…
Read More