હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ વર્ષ-૨૦૨૧-૨૨ માટેગીર-સોમનાથ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂત માટે બાગાયત ખાતુ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે આઇ ખેડૂત પોર્ટલ તા. ૧૫/૦૬/૨૦૨૧ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. લાભ લેવા માંગતા બાગાયતદારોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહશે. સમયમર્યાદામાં વિવિધ સહાયલક્ષી યોજનાઓમાં અરજીઓ કરી તેની નકલ સાથે જરૂરી કાગળો તાજેતરના ૭/૧૨ અને ૮-અ ના ઉતારાની અસલ નકલ, બેંક પાસબુકની નકલ, આધારકાર્ડની નકલ, ડ્રીપ ઇરીગેશન અંગેના પુરાવાની નકલ સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, નગરપાલિકા સામે, વિનાયક પ્લાઝા-૧, ત્રીજો માળ, વેરાવળ ખાતે બીનચુક જમા કરાવવાના રહેશે. તેમ નાયબ બાગાયત નિયામક,…
Read MoreMonth: June 2021
ઉના અને કોડીનારમાં આંબા/ચીકુની કલમ મેળવવા માટે તા. ૧૫ જુન નાં રોજ નોંધણી
હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ ઉના બાગાયત અધિકારીની કચેરી ફળરોપા ઉછેર કેન્દ્ર (મહોબત બાગ) અને ફળરોપા ઉછેર કેન્દ્ર કોડીનારમાં આંબા અને ચીકુની કલમ મેળવવા માટેની નોંધણી તા. ૧૫/૦૬/૨૦૨૧ નાં રોજ કરવામાં આવશે. નોંધણી કરવા ઇચ્છતા ખેડૂતોએ ૮-અની નકલ, આધારકાર્ડની નકલ, પાસપોર્ટ સાઇઝના ફોટો અને અરજી ફોર્મ લઇ નિયત કરેલ તારીખે અને સ્થળે આપવાનું રહેશે. તેમ બાગાયતી અધિકારી ફળરોપા ઉછેર કેન્દ્ર ઉના અને કોડીનારની યાદીમાં જણાવાયું છે.
Read Moreભાભર તાલુકા ના ખારા ગામે ગતરાત્રિના દરમિયાન અચાનક હવામાનમાં પલ્ટો આવતા આકાશી વીજળી ત્રાટકતા બે ભેંસોના મોત
હિન્દ ન્યૂઝ, ભાભર બનાસકાંઠા જિલ્લા ના ભાભર તાલુકા ના ખારા ગામે ગતરાત્રિના દરમિયાન અચાનક હવામાનમાં પલ્ટો આવતા આકાશી વીજળી ત્રાટકતા બે ભેંસોના મોત જ્યારે એક પાડી લુંલી બની, જ્યારે મીઠા ગામે ખેતરમાં મકાન ના ઢાળીયા પતારાઓ ઉડયા હતા. બનાસકાંઠા જિલ્લાના ભાભર પંથકમાં ગતરાત્રિના ના બે વાગ્યે લોકો સૂતા હતા ત્યારે અચાનક વાતાવરણમાં ભારે પલટો આવતા. સમગ્ર ભાભર વિસ્તાર માં વાજગીજ સાથે અને ભારે પવન સાથે વરસાદ વરસતાં ભાભર તાલુકાના ખારા ગામે ચૌધરી લાલાભાઇ કમાભાઇ ના ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા ઠાકોર અશોજી ચમનજી ઠાકોર ની બે ભેંસો ઉપર…
Read Moreડભોઇ કોંગ્રેસ દ્વારા ચીમનભાઈ પટેલ ની 93 મી જન્મ જયંતિ ની ઉજવણી
હિન્દ ન્યૂઝ, ડભોઇ ગુજરાત ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ.ચીમનભાઈ પટેલ ની આજરોજ 93 મી જ્ન્મ જયંતિ નિમિત્તે ડભોઇ શહેર તથા તાલુકા ના કોંગ્રેસ ના આગેવાનો તેમજ કાર્યકરો દ્વાર ડભોઇ કોંગ્રેસ કાર્યાલય ખાતે ચીમનભાઈ પટેલ ની તસ્વીર ને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા. સ્વ ચીમનભાઈ પટેલ નો ડભોઇ સાથે બહુ જુનો નાતો છે અને ડભોઇ સાથે ચીમનભાઈ પટેલ ની ઘણી બધી યાદો સંકળાયેલ છે. ડભોઈ ની નજીક સંખેડા તાલુકા ના કોસિન્દ્ર ગામે ચીમનભાઈ પટેલ નો જન્મ થયો હતો અને ડભોઇ માં તેઓ એ લગ્ન કર્યા હતા જેથી ડભોઇ…
Read Moreદિયોદર પંથકમાં ઈમાનદારીનું બીજું નામ એટલે મકડાલા ના હેમાભાઈ વાલ્મીકિ
હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર તાલુકાના ગોલવી ગામે થી લવાણા જતાં સોનાના દાગીના ભરેલી થેલી બાઈક પરથી રોડ પર પડી ગયેલ હતી . જેમાં ૬ થી ૭ લાખના દાગીના હોવાનું જાણવા મળ્યું છે. છતાં, મકડાલા ગામના અત્યંત ગરીબીમાં જીવન ગુજારો કરતા વાલ્મીકિ હેમાભાઈ કાળાભાઈ રહે.. મકડાલા એ ઈમાનદારી બતાવી પોતાને મળેલ થેલી કોઈ પણ પ્રકારની લોભ લાલચ વગર મૂળ માલિકને પરત કરેલ છે. કોરોના કાળમાં હાલના આવા કપરા સમયમાં પણ તેઓ ની ઈમાનદારી જોઈ કેવા માટે કોઈ શબ્દ પણ નથી. તેઓ પણ ગરીબી રેખા નીચે જીવન જીવે છે છતાં…
Read Moreમુખ્યમંત્રી રૂપાણીએ વ્યાપારિક ગતિવિધિ તા.4 જૂન થી સવારે 9 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવા ની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય
હિન્દ ન્યૂઝ, નડિયાદ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, હેરકટિંગ, સલૂન ,બ્યુટી પાર્લર માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.4 જૂન થી સવારે 9 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવા ની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી એ કોર કમિટી માં આ નિર્ણય કરવા સાથે અન્ય પણ કેટલાક નિર્ણયો કર્યા છે. તે મુજબ હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે. રાજ્યમાં હાલ 36 શહેરોમાં જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની મુદત…
Read Moreભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૮ વર્ષ થી ૪૪ વર્ષની વયના તમામ લોકો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવીને કોરોનાની રસી લઇ શકશે
હિન્દ ન્યૂઝ, ભાવનગર ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૮ વર્ષ થી ૪૪ વર્ષની વયના તમામ લોકો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવીને કોરોનાની રસી લઇ શકશે. આ માટે વેબસાઇટઃ https://selfregistration.cowin.gov.in પર રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ રજિસ્ટ્રેશન માટે આપેલ લિંક ઓપન કરી રજિસ્ટ્રેશન પોટૅલ પર જઈ રજિસ્ટ્રેશનનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. જેમાં તમારો મોબાઈલ નંબર આપીને ગેટ OTP પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર OTP આવશે, જે 180 સેકન્ડમાં સબમિટ કરવાનો રહેશે. OTP સબમિટ કરતાં જ નવું પેજ ખુલશે, જેમાં તમારી વિગતો ભરવાની રહેશે. જેમાં, ફોટો આઇ.ડી. માટે આધાર ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ,…
Read Moreવડતાલ મંદિરમાં વયનિવૃત્ત થતા કલેક્ટર આઈ.કે.પટેલ નું બહુમાન
હિન્દ ન્યૂઝ, વડતાલ ખેડા જીલ્લા કલેક્ટર આઈ. કે. પટેલ ની વય નિવૃત્તિ પુર્વે આસ્થાકેન્દ્ર વડતાલ મંદિરમાં દર્શન કરીને સંતો મહંતોના આશીર્વાદ મેળવ્યા હતા. ચેરમેન દેવપ્રકાશ સ્વામી, ગોવિંદપ્રસાદ સ્વામી મેતપુરવાળા, સુર્યપ્રકાશ સ્વામી સારંગપુરવાળા, પવન સ્વામી કલાલી અને પી પી સ્વામી રામપુરા સુરત મંદિર વગેરે સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા, આ અવસરે વડતાલ મંદિરના મુખ્યકોઠારી ડો સંત સ્વામીએ આઈ.કે.પટેલ ની કોરોના અન્વયેની કામગિરિ બિરદાવીને સાફો પહેરાવીને – શ્રીહરિકૃષ્ણ મહારાજની પ્રતિમા આપીને બહુમાન કર્યુ હતું અને સુદીર્ઘ સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી હતી; એમ વડતાલ મંદિરની યાદીમાં જણાવ્યું છે. રિપોર્ટર : પ્રતિક ભટ્ટ,…
Read Moreમોરબી કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટના પ્રમુખ પદે વેલજીભાઇ (બોસ) ઉધરેજાની વરણી
હિન્દ ન્યૂઝ, મોરબી મોરબી ખાતે વર્ષોથી શિક્ષણ છેત્રે કાર્યરત શ્રી કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ જોધપર (નદી) શિક્ષણશ્રેત્રે ઉંચાઈના એક નવા શિખર પર છે. આ ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે સ્વ.ડી.કે. પટેલ વર્ષોથી પોતાની સેવા આપતા હતા જે સેવાને ભુલી શકાય તેમ નથી, પરંતુ થોડા સમય પહેલા કોરોના કાળમા તેઓનું અવસાન થયું છે, ત્યાર બાદ આ સંસ્થાને ચલાવવા માટે એવા જ સેવાભાવી સંચાલકની જરૂરિયાત હતી ત્યારે સર્વાનુંમતે વેલજીભાઇ ખોડાભાઈ ઉધરેજા (બોસ) ની કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ જોધપર (નદી) ના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે. વેલજીભાઈ મોરબી સિરામીક ઉધોગ…
Read Moreમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયો બીન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકેની નિમણૂંકનો કાર્યક્રમ
હિન્દ ન્યૂઝ, ભાવનગર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં બીન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકેની નિમણૂંકનો કાર્યક્રમ આજે વર્ચ્યુઅલ માધ્યમથી સમગ્ર રાજ્યમાં એકસાથે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યની સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળા માટે ૨૯૩૮ શિક્ષણ સહાયકોને નિયુક્તિ પત્ર એનાયત કરાયાં હતાં. દરેક જિલ્લામાંથી પ્રતિનિધિરૂપે ઉપસ્થિત રહેલાં શિક્ષક ભાઇ-બહેનોને નિમણૂંક આપવાના કાર્યક્રમમાં ૯૪ શિક્ષકોની ભાવનગર જિલ્લામાં પસંદગી કરી નિમણૂંક પત્રો આપવામાં આવ્યા હતાં. મુખ્યમંત્રીએ આ કાર્યક્રમમાં જણાવ્યું કે, કોરોનાને કારણે છેલ્લાં એક વર્ષથી શિક્ષણ કાર્ય ઓનલાઇન મોડમાં ચાલે છે. તેનાથી પ્રત્યક્ષ શિક્ષણની જે ખોટ પડી…
Read More