મોરબી કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટના પ્રમુખ પદે વેલજીભાઇ (બોસ) ઉધરેજાની વરણી

હિન્દ ન્યૂઝ, મોરબી

મોરબી ખાતે વર્ષોથી શિક્ષણ છેત્રે કાર્યરત શ્રી કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ જોધપર (નદી) શિક્ષણશ્રેત્રે ઉંચાઈના એક નવા શિખર પર છે. આ ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે સ્વ.ડી.કે. પટેલ વર્ષોથી પોતાની સેવા આપતા હતા જે સેવાને ભુલી શકાય તેમ નથી, પરંતુ થોડા સમય પહેલા કોરોના કાળમા તેઓનું અવસાન થયું છે, ત્યાર બાદ આ સંસ્થાને ચલાવવા માટે એવા જ સેવાભાવી સંચાલકની જરૂરિયાત હતી ત્યારે સર્વાનુંમતે વેલજીભાઇ ખોડાભાઈ ઉધરેજા (બોસ) ની કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ જોધપર (નદી) ના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે.
     વેલજીભાઈ મોરબી સિરામીક ઉધોગ જગતના પ્રથમ હરોળના ઉદ્યોગપતિ હોવા ઉપરાંત તેઓએ વરસો સુઘી મોરબી સિરામીક એસોસિએશનના પ્રમુખ તરીકે સેવાઓ આપી છે. ઉપરાંત તેઓ રાજકીય ક્ષેત્રે પણ અનેક પદ પર રહી ભાજપ સંગઠનને વધુમાં વધુ મજબુત બનાવવાની દિશામાં કાર્યરત રહ્યાં છે. તેઓ પ્રદેશ ભાજપ ના અગ્રીમ નેતાઓ સાથે ઘરોબો ધરાવે છે. સામાજીક અને સેવાભાવી સંસ્થાઓ સાથે રહી અનેક સામાજીક, સેવા કાર્યો કરી રહ્યા છે. હાલમાં તેઓ મોરબીની 500 વિઘામાં પથરાયેલ પાંજરાપોળ વિડ વિસ્તારના ટ્રસ્ટી તરીકે તન મન ધનથી સેવાઓ આપી આશરે 4500 અબોલ, અશક્ત, બીમાર ગૌ વંશની સેવા કરવા સાથે વીડ વિસ્તારની કાયા પલટ કરવા, અબોલ પશુધન માટે વધુમાં વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરવાની દિશામાં ખુબ જહેમત ઉઠાવી રહ્યાં છે.

બ્યુરોચીફ (મોરબી) : ખોડાભાઈ પાંચિયા

Related posts

Leave a Comment