રાજકોટ, રાજકોટ શહેર રેલવેમાં નોકરી કરતા અને કોઠી કમ્પાઉન્ડમાં રહેતા મહેન્દ્રભાઈએ તેની પુત્રીના લગ્ન માટે વર્ષ ૨૦૧૮ માં ફાઇનાન્સનો ધંધો કરતા દુષ્યંતસિંહ ઠાકુર પાસેથી ૩ લાખ ૨૦ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. જે બાદમાં વ્યાજખોર દુષ્યંતસિંહ દ્વારા મહેન્દ્રભાઈ પાસે ઊંચા વ્યાજે પૈસાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. ફક્ત ઊંચા વ્યાજે પઠાણી ઉઘરાણી જ નહીં પણ મહેન્દ્રભાઈ પાસે લખાણ પણ કરાવી લીધું હતું. અને ધાક ધમકી આપી હતી. મહેન્દ્રભાઈ દ્વારા આખરે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વ્યાજખોરે મહેન્દ્રભાઈના ઘરે જઈને…
Read MoreMonth: June 2020
જોડિયા તાલુકાના ખીરી ગામે વરસાદ ના કારણે ગામ માં જવાના રસ્તે પાણી ભરાઈ જતાં ગ્રામજનોને અવરજવર માં થઈ તકલીફ
જોડિયા, જોડિયા તાલુકાના ખીરી ગામે ગઈ કાલે પડેલા વરસાદ ના કારણે રોડ પરથી ગામ માં જવાના રસ્તે ઉપર દર વર્ષે વરસાદ ના સમયે આ જગ્યાએ ગોઠણ બુડ પાણી રસ્તા ઉપર ભરાઈ જાય છે અને ગ્રામ જનોને ગામમાં પ્રવેશ કરવા માટે ફરજીયાત પાણી માં થઈ ને પસાર થવું પડે છે. પણ ગ્રામ પંચાયત આ રસ્તા ની સંભાળ લેવા માટે સાથે કોઈ પણ ઉકેલ લાવવા માટે નિષ્ફળ ગયા છે. માટે આજ રોજ ગામના આગેવાનોમાં ભરતસિંહ ડી.જાડેજા, નરેન્દ્રસિંહ એન.જાડેજા, રામસગ પી.જાડેજા અને સદેવસિંહ. ડી.ઝાલા દ્વારા રજુઆત કરી હતી. રિપોર્ટર…
Read Moreજોડિયા તાલુકાના ખીરી ગામે દલિત વાસ માં એકાદ વર્ષ થી પીવા લાયક પાણી મળતું નથી
જોડિયા, જોડિયા તાલુકાના ખીરી ગામે દલિત વાસ માં છેલ્લા એકાદ વર્ષ થી પીવા લાયક પાણી મળતું નથી. અવારનવાર દલિતસમાજ દ્વારા ગ્રામ પંચાયત ને રજુઆત કરી હોવાથી પણ પરિસ્થિતિ એવી ને એવી જ છે અને હાલમાં આવા કાળઝાળ ગરમી માં ઘર વપરાશ માટે જો મહિલા ઓને પાણી માટે દરદર ભટકવું પડતું હોય છે અને તો પણ ગ્રામ પંચાયત ના પેટનું પાણી હલતું નથી અને દર વર્ષે નિયમિત બધી જ પ્રકારના વેરા ઉઘરાવી લેવામાં આવે છે. છતાં પણ પીવા માટે પાણી મળતું ન હોય તે માટે ગામના આગેવાન…
Read Moreજામનગર વૈષ્ણવ સાઘુ ( બા.વૈ ) સમાજ હલાર મંડળ દ્વારા પરમ પુજ્ય મોરારીબાપુ પર હુમલા ના પ્રયાસ ના વિરોધ માં એક દિવસીય પ્રતિક ઉપવાસ
જામનગર, જામનગર વૈષ્ણવ સાઘુ બા.વૈ ના પ્રમુખ કૈલાશભાઈ દુઘરેજીયા, જામનગર વૈષ્ણવ સાઘુ (બા.વૈ ) સમાજ હલાર મંડળ ના મંહત શ્રી ઘ્યાન દાસ બાપુ ગોંડલીયા, કિશોરબાપુ કાપળી, સતીષભાઈ હરિયાણી, વિપુલભાઈ મહેસવાણીયા, દ્વારા પરમ પૂજ્ય મોરારી બાપુ પર હુમલા ના પ્રયાસ ના વિરોધ માં એક દિવસીય પ્રતિક ઉપવાસ કરી વિરોધ કરવામાં આવ્યો હતો. પ્રમુખ કૈલાસભાઈ કહ્યું હતું કે દ્વારકા ના ધારાસભ્ય પબુભા માણેક દ્વારા અઘટિત ઘટના ઘટી હુમલા ના પ્રયાસ કર્યો હતો. પરમ પૂજ્ય મોરારી બાપુ તે એક સમાજના નથી તે સમગ્ર સમાજ ના છે અને હિન્દુ ના જ નહીં સમગ્ર ધર્મ…
Read Moreફતેપુરા તાલુકામાં સીવીલ કોર્ટના નવનિર્મિત ભવનનું દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશના હસ્તે લોકાર્પણ
દાહોદ, ફતેપુરા તાલુકામાં સીવીલ કોર્ટના નવનિર્મિત ભવનનું દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ રશીદા એમ. વોરાના હસ્તે આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે. કોરોના વાયરસ સંક્રમણને કારણે આ લોકાર્પણ કાર્યક્રમ ખૂબ જ ઓછી વ્યક્તિઓ અને સામાજિક અંતરના નિયમોના પાલન સાથે કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં બીજા અધિક જિલ્લા ન્યાયાધીશ એસ.આઇ. ભોરણીયા, ફતેપુરાના મુખ્ય સીવીલ જજ એ.એ. દવે, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર આર.વી.પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર વી.કે.ભાભોર, બાર એસોસીએશનના પ્રમુખ એસ.વી. ઉપાધ્યાય પણ ઉપસ્થિત રહ્યા હતા. ફતેપુરા સીવીલ કોર્ટની કાર્યવાહી તા. ૨૪/૦૬/૨૦૨૦ થી આ મુજબના સરનામે ચાલશે. પ્રિન્સીપાલ સીવીલ…
Read Moreસૌરાષ્ટ્ર મીડિયામાં જાણીતું નામ, પ્રકૃતિ અને જીવદયા પ્રેમી રાજુભાઈ જયંતિભાઈ શાહનું દુઃખદ અવસાન
દુઃખદ અવસાન સૌરાષ્ટ્ર મીડિયામાં જાણીતું નામ, પ્રકૃતિ અને જીવદયા પ્રેમી રાજુભાઈ જયંતિભાઈ શાહનું દુઃખદ અવસાન રાજકોટ તેઓ ત્રણ દિવસથી શહેરની સિનર્જી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, ગત રોજ સાંજે ૭.૨૮ કલાકે અંતિમ શ્વાસ લીધા રાજકોટ : સૌરાષ્ટ્ર મીડિયામાં જાણીતું નામ અને હાલ સમકાલીન મોબાઇલ ન્યુઝપેપર ના સંપાદક રાજુભાઈ જયંતિભાઈ શાહ અરિહંત શરણ પામ્યા. બહોળો મિત્રો ધરાવતા રાજુભાઈ જીવદયા અને પ્રકૃતિ પ્રત્યે અત્યંત લગાવ ધરાવતા હતાં. તેઓ હાલમાં મોબાઈલ ન્યુઝ પેપર સમકાલીન નું સંપાદન કરતા હતા. છેલ્લા અમુક વર્ષો થી તેઓ સ્વાસ્થ્ય અંગે થોડી તકલીફ રહેતી, પરંતુ ત્રણ દિવસ પેહલા તબિયત બગડતાં…
Read Moreઅયોધ્યામાં નિર્માણ પામનાર રામ જન્મભૂમિ મંદિરમાં જામનગર થી ઐતિહાસિક મંદિરો ની માટી અને પૌરાણિક જળાશયોમાંથી જળ મોકલાશે
અયોધ્યામાં નિર્માણ પામનાર રામ જન્મભૂમિ મંદિરમાં જામનગર થી ઐતિહાસિક મંદિરો ની માટી અને પૌરાણિક જળાશયોમાંથી જળ મોકલાશે વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લાની જિલ્લા બેઠક મળી જામનગર: જામનગરમાં વિશ્વ હિંદુ પરિષદની રવિવારે જિલ્લા બેઠક મળી હતી. આ જિલ્લા બેઠકમાં અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામ જન્મભૂમિ મંદિરના પાયામાં દેશભરના પવિત્ર મંદિરો અને જળાશયોમાંથી જલ મોકલવા માટેના આયોજનમાં જામનગર જિલ્લામાંથી પણ ઐતિહાસિક અને પૌરાણિક જુદા-જુદા ધર્મસ્થાનોની માટી અને પવિત્ર પૌરાણિક જલાશયોમાંથી જલ મોકલવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના કાશીવિશ્વનાથ રોડ પર આવેલ જામરણજીતસિંહ છાત્રાલય (સંસ્કૃત પાઠશાળા) ખાતે રવિવારે બપોરે વિશ્વ હિન્દુ…
Read Moreજૂનાગઢ ના ભેંસાણ ના પરબ ધામ ખાતે સાદાઈ થી અષાઢી બીજ ની ઉજવણી કરવામાં આવી
જૂનાગઢ, કોરોના મહામારી ને લઈને સરકાર ની જણાવ્યા મુજબ સોશ્યલ ડિસ્ટન્સ ને ધ્યાન માં લઈને સંત સતદેવિદાસ અને માં અમર દેવીદાસ ના ધામે ઘ્વજા રોહન કરવામાં આવ્યું. અષાઢી બીજ હોય ત્યારે ભેસાણ તાલુકાના પરબધામ મા મેળાનું આયોજન કરવામાં આવે છે હોય પરંતુ કોરોના ની મહામારીને લઈને પરબધામ ના ગાદીપતિ કારસનદાશબાપુ ગુરુ સેવાળાશબાપુ એ 30.6.2020 સુઘી મંદિર બંધ રાખવાની ઘોસણા કરી હોય ત્યારે અષાઢી બીજ હોય અને કોઈ દર્શનાર્થી મંદિરે પ્રવેશે નહીં એ માટે ભેસાણ ઇંચાર્જ પી.એસ.આઈ.માલમે પરબધામ તરફ જતા 3 રસ્તા બંધકરાયા હતા. સાથે મંદિરના 15 જેટલા દરવાજા બંધ કરવામાં…
Read Moreબોટાદ જિલ્લાની મહિલા ઉપર થયેલ બળાત્કાર ફરિયાદ નો વિડિઓ વાયરલ કરીને સાધુ સંતો પાસે થી પૈસા ની માંગણી કરીને ધમકી આપતાં શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી
બોટાદ, લાઠી તાલુકાના દામનગર પોલીસે હકીકત લાવેલ છે નારાયણ નગર માં બનેલ થોડાક દિવસ પેલા બળત્કાર ની ઘટના નો છે જેમાં સાધુ, સ્વામી ને એવી આ 5શખ્સોએ એવી ધમકી આપી હતી કે તમે અમોને 45 લાખ આપો સાધુ, સ્વામી એ પૈસા નહિ આપવાની ના પાડતા આ લોકોએ મહિલા એ બોલેલો વિડિઓ વાયરલ કરીશું એવી ધમકી આપી હતી. હકીકત વિડિયા ની હકીકત બહાર આવવાથી દામનગર psi પરમારે આ 5 આરોપી ઉપર ફરિયાદ દાખલ કરેલ હતી. જેમાં હાલ 3 જણા ને પકડી લીધા છે. આ લોકો ઉપર કલમ લગાડેલ છે 384/389 વગેરે…
Read Moreરાજકોટ શહેરમાં આજે વહેલી સવારે ભૂતખાના ચોકમાં ST બસની બ્રેક ફેઈલ થઈ જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો
રાજકોટ, રાજકોટ શહેરમાં આજે વહેલી સવારે ભૂતખાના ચોકમાં ST બસની બ્રેક ફેઈલ થઈ જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક કાર, એક રીક્ષા અને ૨ એક્ટિવાને અડફેટે લીધા હતાં. જેમાં ૨ લોકોને ઈજા પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. અકસ્માત સર્જાતા ભૂતખાના ચોકમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. અને ડ્રાઈવરની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read More