જોડિયા તાલુકાના ખીરી ગામે વરસાદ ના કારણે ગામ માં જવાના રસ્તે પાણી ભરાઈ જતાં ગ્રામજનોને અવરજવર માં થઈ તકલીફ

જોડિયા,

         જોડિયા તાલુકાના ખીરી ગામે ગઈ કાલે પડેલા વરસાદ ના કારણે રોડ પરથી ગામ માં જવાના રસ્તે ઉપર દર વર્ષે વરસાદ ના સમયે આ જગ્યાએ ગોઠણ બુડ પાણી રસ્તા ઉપર ભરાઈ જાય છે અને ગ્રામ જનોને ગામમાં પ્રવેશ કરવા માટે ફરજીયાત પાણી માં થઈ ને પસાર થવું પડે છે.

પણ ગ્રામ પંચાયત આ રસ્તા ની સંભાળ લેવા માટે સાથે કોઈ પણ ઉકેલ લાવવા માટે નિષ્ફળ ગયા છે. માટે આજ રોજ ગામના આગેવાનોમાં ભરતસિંહ ડી.જાડેજા, નરેન્દ્રસિંહ એન.જાડેજા, રામસગ પી.જાડેજા અને સદેવસિંહ. ડી.ઝાલા દ્વારા રજુઆત કરી હતી.

રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા.

Related posts

Leave a Comment