જોડિયા તાલુકાના ખીરી ગામે દલિત વાસ માં એકાદ વર્ષ થી પીવા લાયક પાણી મળતું નથી

જોડિયા,

        જોડિયા તાલુકાના ખીરી ગામે દલિત વાસ માં છેલ્લા એકાદ વર્ષ થી પીવા લાયક પાણી મળતું નથી. અવારનવાર દલિતસમાજ દ્વારા ગ્રામ પંચાયત ને રજુઆત કરી હોવાથી પણ પરિસ્થિતિ એવી ને એવી જ છે અને હાલમાં આવા કાળઝાળ ગરમી માં ઘર વપરાશ માટે જો મહિલા ઓને પાણી માટે દરદર ભટકવું પડતું હોય છે અને તો પણ ગ્રામ પંચાયત ના પેટનું પાણી હલતું નથી

અને દર વર્ષે નિયમિત બધી જ પ્રકારના વેરા ઉઘરાવી લેવામાં આવે છે. છતાં પણ પીવા માટે પાણી મળતું ન હોય તે માટે ગામના આગેવાન ભરતસિંહ ડી. જાડેજા અન્ય ગ્રામજનોએ દ્વારા આગળ વધી ને રજુઆત કરી છે.

રિપોર્ટર : શરદ રાવલ,  હડિયાણા

Related posts

Leave a Comment