જામનગર વૈષ્ણવ સાઘુ ( બા.વૈ ) સમાજ હલાર મંડળ દ્વારા પરમ પુજ્ય મોરારીબાપુ પર હુમલા ના પ્રયાસ ના વિરોધ માં એક દિવસીય પ્રતિક ઉપવાસ

જામનગર,

જામનગર વૈષ્ણવ સાઘુ બા.વૈ ના પ્રમુખ કૈલાશભાઈ દુઘરેજીયા, જામનગર વૈષ્ણવ સાઘુ (બા.વૈ ) સમાજ હલાર મંડળ ના મંહત શ્રી ઘ્યાન દાસ બાપુ ગોંડલીયા, કિશોરબાપુ કાપળી, સતીષભાઈ હરિયાણી, વિપુલભાઈ મહેસવાણીયા, દ્વારા પરમ પૂજ્ય મોરારી બાપુ પર હુમલા ના પ્રયાસ ના વિરોધ માં એક દિવસીય પ્રતિક ઉપવાસ કરી વિરોધ કરવામાં આવ્યો હતો.

પ્રમુખ કૈલાસભાઈ કહ્યું હતું કે દ્વારકા ના ધારાસભ્ય પબુભા માણેક દ્વારા અઘટિત ઘટના ઘટી હુમલા ના પ્રયાસ કર્યો હતો. પરમ પૂજ્ય મોરારી બાપુ તે એક સમાજના નથી તે સમગ્ર સમાજ ના છે અને હિન્દુ ના જ નહીં સમગ્ર ધર્મ અને સર્વ ધર્મ ના ધર્મ ગુરૂ ઓ પર આવી કોઈ બીજી ધટના ન બને તે માટે સરકારે કાયદેસર ના પગલાં લેવા જોઇએ.

રિપોર્ટર : વિજય અગ્રાવત, જામનગર

Related posts

Leave a Comment