હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લામાં થઈ રહેલા ભારે વરસાદને પગલે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના ૪૭ જેટલા માર્ગો પ્રભાવિત થવા પામ્યા છે. ચોમાસાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યમાં વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવેલા રસ્તાઓની તાજી સ્થિતિ અંગેની આ માહિતી જાહેર કરવામાં આવી છે. જે મુજબ તારીખ ૨૩/૭/૨૦૨૬ ના રોજ સવારે ૮:૦૦ કલાકની સ્થિતિ મુજબ: ડાંગ જિલ્લો: ભારે વરસાદ અને પ્રતિકૂળ હવામાનને કારણે ડાંગ જિલ્લામાં પંચાયત હસ્તકના કુલ ૪૭ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા નાગરિકોની સલામતી માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા…
Read MoreDay: July 23, 2026
ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે માર્ગો ઝડપભેર ખુલ્લા કરાયા, તંત્ર સતત કામગીરીમાં વ્યસ્ત
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લામાં વહેલી સવારથી વરસી રહેલા ભારે વરસાદને કારણે જિલ્લાના વિવિધ માર્ગો પર વૃક્ષો ધરાશાયી થવા તેમજ કેટલાક સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ હતી. જોકે ડાંગ કલેક્ટર એન.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર, માર્ગ અને મકાન વિભાગ, DGVCL તથા અન્ય સંબંધિત વિભાગોએ તાત્કાલિક કામગીરી હાથ ધરી અસરગ્રસ્ત માર્ગોને ઝડપભેર ખુલ્લા કરવાની કવાયત હાથ ધરી છે. દરમિયાન વઘઈ–આહવા માર્ગ પર વહેલી સવારે વૃક્ષ પડતાં વાહનવ્યવહારને અસર થઈ હતી. ઘટનાની જાણ થતાં જ તંત્ર સ્થળ પર દોડી ગયું અને તાત્કાલિક માર્ગ ખુલ્લો કરી વાહનવ્યવહાર પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. તો…
Read Moreહવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે નાગરિકોને સાવચેત રહેવા અપીલ
હિન્દ ન્યુઝ, ભારતીય હવામાન વિભાગ (IMD), અમદાવાદ દ્વારા તા. 23 જુલાઈ, 2026 માટે જાહેર કરાયેલી હવામાન આગાહીમાં ગુજરાત રાજ્યના દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે ડાંગ, નવસારી, વલસાડ, સુરત, તાપી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર તથા અન્ય કેટલાક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લાના નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવા, નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા, વીજળીના થાંભલા અને વૃક્ષોથી દૂર રહેવા તેમજ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા…
Read Moreડાંગ જિલ્લામાં છેલ્લાં ૧૦ કલાક દરમિયાન ૧૪૭.૬૭ મી.મી વરસાદ નોંધાયો
હિન્દ ન્યુઝ, ડાંગ વનાચ્છાદિત ડાંગ જિલ્લામાં થઈ રહેલા મુશળધાર વરસાદને પગલે કલેક્ટર એન. ડી. પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રના તમામ વિભાગો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારો અને માર્ગો પર તાત્કાલિક રાહત તથા મરમ્મતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લાની સમગ્ર પરિસ્થિત ઉપર કલેક્ટરશ્રી તેમજ તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. જિલ્લા કન્ટ્રોલ રૂમના અહેવાલ મુજબ, આજે તા. ૨૩ મી જુલાઈના રોજ સવારે ૬:૦૦ કલાકથી સાંજના ૪:૦૦ કલાક સુધીના ૧૦ કલાક દરમિયાન ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં ૧૧૪ મી.મી. (મોસમનો કુલ ૧૪૨૩ મી.મી), સુબીર તાલુકામાં ૧૧૪ મી.મી (મોસમનો કુલ ૧૨૪૩…
Read Moreગાંધીનગર જિલ્લા ખાતે એપ અંગે જાગૃતિ અભિયાન હાથ ધરાયું
હિન્દ ન્યુઝ, ગાંધીનગર નાગરિકોની સુરક્ષા અને હવામાનની સચોટ માહિતી માટે ગાંધીનગર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર (કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી) અને GSDMA દ્વારા “મૌસમ” (MAUSAM) અને “સચેત” (SACHET) એપ અંગે જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે. IMD ની ‘મૌસમ’ એપ દૈનિક હવામાન, તાપમાન અને વરસાદના તાજા અપડેટ્સ આપે છે, જ્યારે ‘સચેત’ એપ ચક્રવાત, પૂર કે અતિભારે વરસાદ જેવી આપત્તિઓ સામે લોકેશન આધારિત પૂર્વ ચેતવણીઓ અને સુરક્ષા માર્ગદર્શન પૂરું પાડે છે. આ બંને એપ્સ Google Play Store અને Apple App Store પરથી ડાઉનલોડ કરી શકાશે. કોઈપણ કટોકટીમાં તાત્કાલિક સહાય માટે ટોલ…
Read Moreગાંધીનગર જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ, ગાજવીજ અને તેજ પવનની આગાહી કરવામાં આવી
હિન્દ ન્યુઝ, ગાંધીનગર હવામાન વિભાગ દ્વારા ગાંધીનગર જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ, ગાજવીજ અને તેજ પવનની આગાહી કરવામાં આવી છે. નાગરિકોની સુરક્ષા અને વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં, કલેક્ટર રવીન્દ્ર ખતાલેના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલારૂપે આવતીકાલે તા. 24 જુલાઈના રોજ જિલ્લાની તમામ આંગણવાડીઓ, સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર પ્રાથમિક, માધ્યમિક શાળાઓ તેમજ કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખી રજા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગની આ આગાહીને ધ્યાને રાખી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે વરસાદ દરમિયાન બિનજરૂરી…
Read More1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સની સમયસર કામગીરીથી ગાય અને વાછરડાનો બચાવ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લાના વિભાપર ગામે એક ગાયને પ્રસૂતિ દરમિયાન ગંભીર જટિલતા (ડિસ્ટોશિયા) સર્જાતા કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962ની ટીમે સમયસર સ્થળ પર પહોંચી કુશળ સારવાર દ્વારા ગાયની સફળ પ્રસૂતિ કરાવી હતી. પ્રસૂતિ બાદ ગાય અને વાછરડું બંને સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. વિભાપર ગામના પશુપાલક શ્રી બુધાભાઈ ધ્રાંગિયાની ગાય ગઈ રાતથી પ્રસૂતિની પીડામાં હતી. રવિવારના દિવસે અન્ય સારવારની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી પશુપાલક ચિંતિત બન્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ગર્ભમાં વાછરડું ઊંધું ફસાઈ જવાને કારણે સામાન્ય પ્રસૂતિ શક્ય નહોતી. પશુપાલકે તાત્કાલિક 1962 કાર્યક્રમ, જામનગરના પ્રોગ્રામ…
Read Moreઅડધી રાતે ભટકતી માનસિક અસ્વસ્થ યુવતી માટે ‘181 અભયમ’ તારણહાર બની
હિન્દ ન્યુઝ, જામનગર રાજકોટથી જામનગર પહોંચેલી યુવતીનું સમયસર કાઉન્સિલિંગ કરી 181ની ટીમે ચિંતાતુર પરિવારની શોધખોળનો અંત આણ્યો; પરિવારે ટીમનો આભાર માન્યો જામનગર તા.૨૨, અડધી રાતે રસ્તા પર એકલી ભટકતી અને પોતાનું સરનામું પણ યાદ ન હોય તેવી માનસિક રીતે અસ્વસ્થ યુવતી માટે ‘181 અભયમ’ મહિલા હેલ્પલાઇન ટીમ તારણહાર સાબિત થઈ છે. ટીમની સતર્કતા, સંવેદનશીલતા અને ત્વરિત કામગીરીના પરિણામે યુવતીને તેના પરિવાર સાથે સુરક્ષિત રીતે મિલાવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ઘટનાની વિગત અનુસાર, રાજકોટથી જામનગર તરફ આવી રહેલા એક જાગૃત નાગરિકને રસ્તામાં પેટ્રોલ પંપ પાસે એક અસહાય યુવતી…
Read Moreપ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા વધારી, સ્વસ્થ જીવનનો સંદેશ આપતા જામનગરના ખેડૂત જયસુખભાઈ કપુરિયા
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી ભગેડી ગામના ખેડૂત જયસુખભાઈ કપુરિયા પોતાના પાંચ વીઘાના માધવ પ્રાકૃતિક ફાર્મમાં વર્ષ ૨૦૧૯થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્રોત બન્યા છે. જયસુખભાઈ પોતાના ખેતરમાં ઋતુ મુજબ પ્રાકૃતિક પદ્ધતિથી પાકોની વાવણી કરે છે, જેમાં ચોમાસામાં મગફળી, શિયાળામાં ઘઉં, ચણા, જીરું અને ઉનાળામાં મગ અને મઠનું વાવેતર કરે છે. જયસુખભાઈ જણાવે છે કે, તેમના દ્વારા વેચાણ કરવામાં આવતી તમામ પ્રોડક્ટ્સ તેમના ખેતરમાંથી પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત થયેલી શુદ્ધ અને ગુણવત્તાયુક્ત છે. ગ્રાહકોને વ્યાજબી કિંમતે પોષકતત્વોથી ભરપુર આહાર પૂરો પાડવા તેઓ…
Read Moreવલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદના કારણે વહીવટી તંત્રની જનતાને અપીલ
હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારેથી અતિભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેકટર નીતિન સાંગવાન અને જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતે જિલ્લાના નાગરિકોને સુરક્ષિત સ્થળે રહેવા તેમજ કોઈપણ કારણ વગર ઘરથી બહાર ન નીકળવા અપીલ કરી છે. વરસાદ દરમિયાન ઘણા લોકો પાણી જોવા અથવા પરિસ્થિતિ નિહાળવાના બહાને બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળતા હોય છે. જેના કારણે રસ્તાઓ પર ટ્રાફિક થવાના કારણે બચાવ તેમજ રાહત કામગીરીમાં તંત્રને મુશ્કેલી ઉભી થાય છે. કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ નાગરિકોને જનહિતમાં અનુરોધ કર્યો…
Read More