તા.૨૯ માર્ચના રોજ યોજાનારી ગુજકેટની પરીક્ષા સંદર્ભે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું

હિન્દ ન્યુઝ, ડાંગ    ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પછીના ડીગ્રી એન્જીનિયરીંગ ફાર્મસી તેમજ મેડીકલ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) ૨૦૨૫ પરીક્ષા આગામી તા.૨૯/૦૩/૨૦૨૬ને રવિવારના રોજ યોજનાર છે.  આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી અને મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે, તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જાહેર હિતમાં ડાંગના અઘિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એસ.ડી.તબીયાર દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ એક જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું છે.  આ પરીક્ષા ૧. સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા આહવા યુનિટ-૧, તા.આહવા. અને ૨. સરકારી માધ્યમિક…

Read More

કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી, વઘઇ તથા સમગ્ર ડાંગ જિલ્લાનું ગૌરવ

હિન્દ ન્યુઝ, ડાંગ     મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોટ્સ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન હેઠળ માય ભારત અને એનએસએસ દ્વારા રાજ્યકક્ષાએ “વિકસિત ભારત યુવા પાર્લામેન્ટ ૨૦૨૬” નું આયોજન તારીખ ૨૫-૨૬ માર્ચ, ૨૦૨૬ ના રોજ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમાં સમગ્ર રાજ્યના તમામ જિલ્લાના ૧૦૦ થી પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ડાંગ જિલ્લાના પણ કુલ પાંચ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં કૃષિ મહાવિદ્યાલય, વઘઇની વિદ્યાર્થીની નિકિતા જે સમગ્ર ગુજરાત રાજ્યમાં બીજા ક્રમે આવી હતી તથા તેણીને હવે રાષ્ટ્રકક્ષાએ યોજનાર વિકસિત ભારત યુવા પાર્લામેન્ટ ૨૦૨૬ કાર્યક્રમમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ…

Read More

ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ પર તા. ૨૬/૦૪/૨૦૨૬ સુધી ખેડુતો દ્વારા ઓનલાઇન અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, મોરબી        ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઇ ખેડુત પોર્ટલ તા.૨૭/૦૩/૨૦૨૬ થી તા. ૨૬/૦૪/૨૦૨૬ સુધી ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. વર્ષ ૨૦૨૬-૨૭ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓ હેઠળ વિવિધ ખેત ઓજાર સાધનો (કમ્બાઈન હાર્વેસ્ટર, કલ્ટીવેટર, રોટાવેટર, લેસર લેન્ડ લેવલર, સબસોઈલર, પોટેટો પ્લાન્ટર, ગ્રાઉન્ડનટ ડીગર, હેરો (તમામ પ્રકાર), પ્લાઉ (તમામ પ્રકાર), પાવર ટીલર), તારની વાડ, સોલાર પાવર યુનિટ, પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન), માલ વાહક વાહન, પમ્પ સેટ્સ પાક સંરક્ષણ સાથેનો અને સમાર્ટફોન ખરીદી પર સહાય વગેરે જેવા ૪૨ ઘટકો…

Read More

भारत में मत्स्य पालन स्टार्टअप्स परितंत्र

हिन्द न्यूज़, दिल्ली     भारत के आर्थिक परिदृश्य में मत्स्य पालन क्षेत्र काफी महत्वपूर्ण है। यह राष्ट्रीय खाद्य सुरक्षा में योगदान देने के साथ-साथ तटीय, अंतर्देशीय और ग्रामीण समुदायों में लाखों लोगों की आजीविका का आधार भी है। हाल के वर्षों में, उत्पादन पर आधारित इस क्षेत्र में नवोन्मेषी विचारों के साथ उद्यमशीलता की प्रतिभाएं आने लगी हैं, जिससे मत्स्य पालन क्षेत्र में नए स्टार्टअप्स का एक बढ़ता हुआ परितंत्र विकसित हो रहा है। वर्ष 2015 से, सरकार ने मत्स्य पालन और जलीय कृषि में सतत विकास को बढ़ावा…

Read More

दमण गंगा नदी का पुनरुद्धार

हिन्द न्यूज़, दिल्ली     गुजरात प्रदूषण नियंत्रण बोर्ड की जानकारी के अनुसार, दमण गंगा नदी की गुणवत्ता में सुधार के लिए आवश्यक तकनीकी सुधारात्मक उपाय लागू किए जा रहे हैं। हालांकि, मेसर्स वापी ग्रीन एनवायरनमेंट लिमिटेड और अन्य बनाम आर्यवर्त फाउंडेशन के मामले में माननीय राष्ट्रीय हरित न्यायाधिकरण (एनजीटी) के दिनांक 28.08.2019 के आदेश पर माननीय सर्वोच्च न्यायालय द्वारा रोक लगा दी गई है। इसके अतिरिक्त, “प्रदूषणकारी भुगतान” और “एहतियाती उपाय” सिद्धांतों का उल्लंघन करने वाले उद्योगों के खिलाफ निम्नलिखित कार्रवाई की गई है: गुजरात प्रदूषण नियंत्रण बोर्ड (जीपीसीबी)…

Read More

છોટાઉદેપુર તાલુકામાં પ્રાકૃતિક ખેતીના વ્યાપ વધે માટે તાલુકા કક્ષાની કમિટીની સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર    રાસાયણિક ખેતી મુક્ત ગુજરાતના નિર્ધારને સાકાર કરવાના ઉમદા હેતુ સાથે છોટાઉદેપુરના ચીલરવાંટ ખાતે તાલુકા કક્ષાની પ્રાકૃતિક કૃષિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.  બેઠક દરમિયાન સરકારના અભિગમ મુજબ ખેડૂતોને રાસાયણિક ખાતર અને જંતુનાશકોના ચક્રવ્યૂહમાંથી મુક્ત કરી ‘દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી’ તરફ વાળવા માટે સઘન આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતી પદ્ધતિ નથી, પરંતુ પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યના જતન માટેનું એક અભિયાન છે. આ બેઠકમાં ગ્રામ્ય સ્તરે ક્લસ્ટર મીટિંગો યોજવા, જીવામૃત અને ઘન જીવામૃતના ઉપયોગ અંગે પ્રત્યક્ષ નિદર્શન આપવા તથા વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય

હિન્દ ન્યુઝ, ગાંધીનગર  ➡️ રાજ્યમાં ગણોતીયાઓને ખરીદ કિંમત ભરપાઈ કરવાની મુદત ડિસેમ્બર-2026 સુધી વધારવામાં આવી. ➡️ ગણોતીયાઓ દ્વારા ખરીદ કિંમત ભરપાઈ ન કરી હોવાથી તેમને કાયદેસરના માલિક ગણી શકાતા નથી. આના પરિણામે ખેડૂતો દ્વારા ખેતીની જમીન વેચાણ, બિન ખેતીના પ્રસંગોએ જે મુશ્કેલીઓ પડે છે તે નિવારવા રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય. ➡️ આ ખેડૂત હિતલક્ષી નિર્ણયના પરિણામે ખેડૂતો/ગણોતીયાઓ ખરીદ કિંમત ભરપાઈ કરીને કાયદેસર માલિક બની શકશે.

Read More

ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લામાં પોર્ટેબલ એક્ષ-રે દ્વારા ટીબી તપાસ કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, દાહોદ     દાહોદ જિલ્લાના ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના વિવિધ ગામોમાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પોર્ટેબલ એક્ષ-રે મશીન દ્વારા ટીબી તપાસ માટે વિશેષ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન વનરેબલ પોપ્યુલેશન ટીબી સર્વે અંતર્ગત કુલ 883 ટીબીના જોખમ ધરાવતા શંકાસ્પદ લાભાર્થીઓનું પોર્ટેબલ એક્ષ-રે દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. જેમા એક્ષ-રેમાં એબ્નોર્મલ પરિણામ ધરાવતા લાભાર્થીઓની આગળની NAAT તપાસ હાથ ધરવામાં આવશે અને જરૂરિયાત મુજબ તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવશે. જ્યારે એક્ષ-રે નેગેટિવ આવનાર તમામ લાભાર્થીઓનું CY-TB ટેસ્ટ કરીને ચોક્કસ…

Read More

કલેકટરશ્રી કેતન ઠક્કરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો “સ્વાગત” ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેક્ટર કચેરી ખાતે યોજાયો હતો. કલેકટરએ કાર્યક્રમ દરમિયાન નાગરિકોની વિવિધ રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી તાત્કાલિક અને અસરકારક નિરાકરણ લાવવા માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપી હતી. કલેક્ટરએ અરજદારો સાથે સહાનુભૂતિપૂર્વક વાતચીત કરી તેમની સમસ્યાઓની મૂળભૂત હકીકતો જાણી સ્થળ પર જ ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો હતો. સ્વાગત કાર્યક્રમમાં આવેલ ચાલુ મહિનાની ૮ અને ગત માસની ૫ એમ કુલ ૧૩ પૈકી ૧૦ અરજીઓનું સ્થળ પર જ હકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું હતું, જ્યારે બાકીની અરજીઓ માટે…

Read More

ગાંધીનગર ખાતે 13.96 લાખથી વધુ વિદ્યાર્થીઓના ખાતામાં નમો લક્ષ્મી-નમો સરસ્વતી જ્ઞાન સાધના યોજના

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે 13.96 લાખથી વધુ વિદ્યાર્થીઓના ખાતામાં નમો લક્ષ્મી-નમો સરસ્વતી જ્ઞાન સાધના યોજના અન્વયે ₹354 કરોડની શિષ્યવૃત્તિનું DBTથી વિતરણ કર્યું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે SSIP 2.O, નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાના વિદ્યાર્થીઓના ખાતામાં DBTના માધ્યમથી શિષ્યવૃત્તિનું વિતરણ કરાયું. મુખ્યમંત્રીએ SSIP 2.O અન્વયે વિદ્યાર્થીઓના ઈનોવેટીવ પ્રોજેક્ટ્સ માટે પ્રોત્સાહન સહાયના ચેકનું વિતરણ પણ કર્યું. રાજ્યની શાળાઓ ‘મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ’ હેઠળ સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ લેબોરેટરી જેવી…

Read More