દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના આયોજનના ભાગરૂપે બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ     ૮ મી માર્ચના રોજ આંતર રાષ્ટ્રીય મહિલા દિન નિમિતે યુનાઈટેડ ઓર્ગેનાઈઝેશન (સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા) દ્વારા મહિલાઓને માન-સન્માન આપવા, મહિલાઓની શક્તિ ઉજાગર કરવા, તેઓની ક્ષમતાને ઉત્સાહિત તેમજ પ્રેરિત કરવા દર વર્ષે અલગ-અલગ થીમ નિયત કરી સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૬ માટે ૮ મી માર્ચ આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની થીમ “ RIGHTS, JUSTICE, ACTION FOR ALL WOMEN AND GIRLS ’’ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવી છે. આ દિવસે મહિલાલક્ષી વિવિધ યોજનાઓ-કાર્યક્રમો યોજવામાં આવશે. દાહોદ જિલ્લામાં ૧૦ માર્ચના રોજ ટ્રાયબલ મ્યુઝીયમ ખાતે આંતર રાષ્ટ્રીય…

Read More

જામનગરના સર્વાંગી વિકાસ માટે પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગો સાથે સંકલન બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર    જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને વન, પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા અને શહેરના વિકાસ કાર્યોની સમીક્ષા માટે વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીએ જામનગરના પ્રગતિ હેઠળના વિવિધ પ્રકલ્પોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને વહીવટી તંત્રને સમયમર્યાદામાં કામો પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બેઠકની વિગતો આપતાં મંત્રીએ જણાવ્યું હતું કે, જામનગર શહેર અને જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે. શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત જામનગરના વિવિધ…

Read More

કવાંટના વિશ્વવિખ્યાત ગેર મેળામાં વન વિભાગ દ્વારા પર્યાવરણ જાગૃતિની અનોખી પહેલ: ‘જળ, જંગલ અને જમીન’ ના રક્ષણનો અપાયો સંદેશ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર      છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે આયોજિત પરંપરાગત અને વિશ્વવિખ્યાત ‘ગેર મેળા’માં વન વિભાગ દ્વારા જનજાગૃતિનો એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. વન વિભાગ, છોટાઉદેપુર અને સામાજિક વનીકરણ વિભાગ, વડોદરાના સંયુક્ત ઉપક્રમે ગેર મેળામાં ઉમટેલી વિશાળ જનમેદની વચ્ચે પર્યાવરણ સુરક્ષા અને વૃક્ષારોપણનો સંદેશ પહોંચાડવા માટે એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ જનજાગૃતિ અભિયાનમાં વન વિભાગના નાયબ વન સંરક્ષક (DCF) આર. બી. સોલંકી તથા એ.સી.એફ. (ACF) ફતેહ મીના (IFS) સહિત આર.એફ.ઓ. (RFO)ની ટીમ અને વન વિભાગનો સ્ટાફ બેનરો અને પ્લેકાર્ડ્સ સાથે સ્વયં જનમેદનીમાં જોડાયો હતો. અધિકારીઓએ…

Read More

બારડોલી તાલુકાના ઈસરોલી ખાતેથી સુરત જિલ્લા પંચાયત દ્વારા બારડોલી વિધાનસભાના ૩૩ ગામોમાં ઘનકચરા વ્યવસ્થાપન પ્રણાલીનો શુભારંભ અને રૂ.૬.૬૭ કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત

હિન્દ ન્યુઝ, બારડોલી     સુરત જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ્ય સ્તરે સ્વચ્છતા અને સુવિધામાં વધારો કરવાના ઉમદા હેતુથી બારડોલીના ઈસરોલી ખાતેથી બારડોલી વિધાનસભાના ૩૩ ગામોમાં ‘ઘન કચરા વ્યવસ્થાપન પ્રણાલી’નો પ્રારંભ અને રૂ.૬.૬૭ કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ અને ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે કરાયું હતું.            મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભોનું વિતરણ અને ઘનકચરા માટેના ઈ-વ્હીકલને લીલી ઝંડી અપાઈ હતી.             આર.એન.જી. પટેલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, તાજપોર કોલેજ, ઈસરોલી ખાતે આયોજિત કાર્યક્રમમાં શ્રીમતી ભાવિનીબેન પટેલે જણાવ્યું હતું…

Read More

કેસૂડાંના ફૂલમાંથી પ્રોડક્ટ બનાવીને આત્મનિર્ભર થઈ તાપી જિલ્લાની બહેનો

તા. 8 માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026 હિન્દ ન્યુઝ, સુરત      તાપી જિલ્લાના ડોલવણ તાલુકાની આદિવાસી બહેનોએ પૂર્ણા સખી મંડળ રચીને પ્રાકૃતિક ઘટકોમાંથી સાબુ બનાવવાની શરૂઆત કરી. સરકારી મેળા અને ‘સહયોગ સખી સંઘ રેંગણકચ્છ’ના સહકારથી આ પ્રોડક્ટના વેચાણ માટેનું સારું પ્લેટફોર્મ મળ્યું, ફેબ્રુઆરીમાં પૂર્ણા સખી મંડળે કુલ રૂપિયા 1.10 લાખનું વેચાણ કર્યું. અમે કેસૂડાં, એલોવેરા, લેમન, કેસર-ચંદન, લીમડો જેવા પ્રાકૃતિક ઘટકોનો ઉપયોગ કરીને સાબુ બનાવવાનું શરૂ કર્યું. ઉનાળાની સિઝનમાં કેસૂડાના સાબુની વધતી માગને કારણે આવક રૂપિયા 45થી 50 હજાર સુધી પહોંચી જાય છે : કોકિલાબેન

Read More

UPSC સિવિલ સર્વિસ-૨૦૨૫નું રિઝલ્ટ જાહેર

હિન્દ ન્યુઝ, સુરત      UPSC(યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)એ આજે સિવિલ સર્વિસીસ પરીક્ષા-૨૦૨૫નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. જેમાં સુરતમાં સબ રજિસ્ટ્રાર ગ્રેડ-૧ તરીકે ફરજ બજાવતા મૂળ નવસારી જિલ્લાનાં ગણદેવી તાલુકાના નાંદરખા ગામના ૨૬ વર્ષીય મિહિર પટેલે ઓલ ઇન્ડિયા રેન્ક(AIR)૭૦૯ હાંસલ કરી ઝળહળતી સિદ્ધી મેળવી છે.                 હાલ સુરત બહુમાળી ભવનમાં મદદનીશ નોંધણી સર નિરીક્ષકની કચેરી-સુરતના તાબા હેઠળની સબ રજિસ્ટ્રાર કચેરી-ઉધનામાં સબ રજિસ્ટ્રાર(ગ્રેડ ૧) વર્ગ-૩ તરીકે ફરજ બજાવતા શ્રી મિહિર રાજેન્દ્રભાઈ પટેલના પરિવારમાં મમ્મી અને મોટી બહેન છે. તેમણે વર્ષ ૨૦૨૦માં B.E ઇન…

Read More

તાપી-કરજણ લિંક પાઈપલાઈન ઉદ્દવહન યોજના: સુરત જિલ્લાના ઉમરપાડાના પહાડી વિસ્તારના ખેડૂતો માટે આર્થિક સમૃદ્ધિનું નવું સોપાન

હિન્દ ન્યુઝ, સુરત      સુરત જિલ્લાના ઉમરપાડા અને નર્મદા જિલ્લાના દેડીયાપાડા જેવા પહાડી અને અંતરિયાળ વિસ્તારો માટે ‘તાપી-કરજણ લિંક પાઈપલાઈન ઉદ્વહન સિંચાઈ યોજના’ આશીર્વાદ બની છે. આ યોજનાનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે થવા જઈ રહ્યું છે, ત્યારે આ યોજના માત્ર ખેતરો સુધી પાણી પહોંચાડવાનું માધ્યમ જ નહીં, પરંતુ આદિવાસી પટ્ટાના ખેડૂતો માટે આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખોલનારી સાબિત થશે.               ઉમરપાડા તાલુકાના ચારણી ગામના ૫૯ વર્ષીય ખેડૂત ઉત્તમભાઈ વસાવા જણાવે છે કે, અમારો તાલુકો વિસ્તાર ડુંગરાળ અને ઉચાણવાળો હોવાથી અત્યાર સુધી વરસાદનું પાણી વ્યર્થ…

Read More

તાપી-કરજણ લિંક ઉદ્દવહન પાઈપલાઈન યોજનાનું મુખ્યમંત્રી કરશે લોકાર્પણ: ઉમરપાડાના આદિવાસી ખેડૂતોમાં ખુશીની લહેર

હિન્દ ન્યુઝ, સુરત      શુક્રવાર સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના અંતરિયાળ અને પહાડી વિસ્તાર માટે રાજ્ય સરકારની ‘તાપી-કરજણ લિંક પાઈપલાઈન ઉદ્વવહન સિંચાઈ યોજના’ આર્થિક અને સામાજિક પરિવર્તનનું નિમિત્ત બનશે. કારણ કે તાપી-કરજણ લિંક ઉદ્દવહન પાઈપલાઈન યોજનાનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકાર્પણ કરશે. વર્ષોથી માત્ર વરસાદી ખેતી પર નિર્ભર રહેતા આદિવાસી ખેડૂતો માટે હવે બારેમાસ સિંચાઈનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે.            તાપી-કરજણ લિંક પાઈપલાઈન ઉદ્વવહન સિંચાઈ યોજનાના મળનાર લાભ વિષે ઉમરપાડા તાલુકાના ઉમરદા ગામના ખેડૂત કિશોરભાઈ પાડવી પોતાનો હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હવે…

Read More

केंद्रीय स्वास्थ्य एवं परिवार कल्याण मंत्री जगत प्रकाश नड्डा ने विश्व स्वास्थ्य संगठन के मुख्यालय में एक प्रेस ब्रीफिंग को वर्चुअली संबोधित किया

हिन्द न्यूज़, दिल्ली     केंद्रीय स्वास्थ्य एवं परिवार कल्याण मंत्री जगत प्रकाश नड्डा ने आज विश्व स्वास्थ्य संगठन के मुख्यालय में आयोजित एक प्रेस ब्रीफिंग को वर्चुअली संबोधित किया। इस दौरान उन्होंने सर्वाइकल कैंसर को सार्वजनिक स्वास्थ्य समस्या के रूप में समाप्त करने और गंभीर स्वास्थ्य चुनौतियों पर वैश्विक सहयोग को मजबूत करने के लिए भारत की दृढ़ प्रतिबद्धता पर जोर दिया। सभा को संबोधित करते हुए केंद्रीय स्वास्थ्य मंत्री ने इस बात पर बल दिया कि महिलाओं का स्वास्थ्य और गरिमा भारत के लिए एक मुख्य राष्ट्रीय प्राथमिकता…

Read More

કર્મનિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રમાણપત્ર

હિન્દ ન્યુઝ, જૂનાગઢ      મહાશિવરાત્રી મેળાના સફળ આયોજનમાં જિલ્લા તંત્રના સર્વે અધિકારીઓ અને કર્મચારીઓએ સંકલન, સમર્પણ અને કાર્યકુશળતા થી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.  તેમના પ્રયાસોથી મેળાની તમામ વ્યવસ્થાઓ શ્રદ્ધાળુઓ માટે સુવ્યવસ્થિત, સુરક્ષિત અને અનુકૂળ રહી હતી. આજરોજ આ ઉત્તમ કામગીરી બદલ કર્મનિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.  

Read More