તાપી-કરજણ લિંક પાઈપલાઈન ઉદ્દવહન યોજના: સુરત જિલ્લાના ઉમરપાડાના પહાડી વિસ્તારના ખેડૂતો માટે આર્થિક સમૃદ્ધિનું નવું સોપાન

હિન્દ ન્યુઝ, સુરત 

    સુરત જિલ્લાના ઉમરપાડા અને નર્મદા જિલ્લાના દેડીયાપાડા જેવા પહાડી અને અંતરિયાળ વિસ્તારો માટે ‘તાપી-કરજણ લિંક પાઈપલાઈન ઉદ્વહન સિંચાઈ યોજના’ આશીર્વાદ બની છે. આ યોજનાનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે થવા જઈ રહ્યું છે, ત્યારે આ યોજના માત્ર ખેતરો સુધી પાણી પહોંચાડવાનું માધ્યમ જ નહીં, પરંતુ આદિવાસી પટ્ટાના ખેડૂતો માટે આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખોલનારી સાબિત થશે.

              ઉમરપાડા તાલુકાના ચારણી ગામના ૫૯ વર્ષીય ખેડૂત ઉત્તમભાઈ વસાવા જણાવે છે કે, અમારો તાલુકો વિસ્તાર ડુંગરાળ અને ઉચાણવાળો હોવાથી અત્યાર સુધી વરસાદનું પાણી વ્યર્થ વહી જતું હતું, જેના કારણે તેઓ માત્ર ચોમાસાનો એક જ પાક લઈ શકતા હતા. પરંતુ રાજ્ય સરકારના પ્રતાપે સાકાર થયેલી આ યોજના દ્વારા હવે પાઈપલાઈન મારફતે છેક અમારા અંતરિયાળ ખેતર સુધી પાણી પહોંચશે, જેનાથી બારેમાસ ખેતી કરી શકીશું.

 

Related posts

Leave a Comment