હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરાની યુવા તરણખોર સ્મૃતિ સિંહે બેંગલુરુમાં યોજાયેલી 41મી સબ-જુનિયર નેશનલ અક્વાટિક ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરી રાજ્યનું નામ રોશન કર્યું છે. 4×50 મીટર મેડલે રિલે સ્પર્ધામાં સ્મૃતિના બ્રેસ્ટસ્ટ્રોક તબક્કાનું પ્રદર્શન ખાસ નોંધપાત્ર રહ્યું, જેના કારણે ગુજરાતની ટીમે મહત્વની પ્રગતિ મેળવી અને કાંસ્ય પદક જીત્યું. આ ચેમ્પિયનશિપ 4 થી 5 ઑગસ્ટ 2025 દરમિયાન બસવનગુડી એક્વાટિક કોમ્પ્લેક્સ, બેંગલુરુ ખાતે યોજાઈ હતી, જેમાં દેશના 22 રાજ્યોએ ભાગ લીધો હતો. માત્ર 12 વર્ષની સ્મૃતિ સિંહ વડોદરાના સમા ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કોચ વિવેકસિંહ બોરલિયા અને કૃષ્ણ પંડ્યાના માર્ગદર્શન હેઠળ તાલીમ…
Read MoreDay: August 14, 2025
બાગાયતી ખેતી કરતા ખેડૂતો જોગ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જીલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે સને ૨૦૨૫-૨૬ માં બાગાયત ખાતાની સરગવા ખેતી, આંબા અને જામફળ – ફળ પાક ઉત્પાદકતા, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતી, ડ્રેગન ફ્રુટ વાવેતર માટે સહાય જેવા વિવિધ ઘટકોને પ્રોત્સાહિત કરવાની યોજના માટે નવીન આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ (https://ikhedut.gujarat.gov.in) તારીખ ૧૮-૦૮-૨૦૨૫ થી તારીખ ૦૧-૦૯-૨૦૨૫ સુધી (દિન -૧૫) મુકવામાં આવેલ છે. નવીન આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ પર યુઝર મેન્યુઅલ મુજબ અરજી કરતા પહેલા ખેડૂતોએ મોબાઈલ નમ્બર દ્વારા રજીસ્ટ્રેશન કર્યા બાદ ઓનલાઈન અરજી કરી અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ…
Read Moreજિલ્લા કલેક્ટર એ ફરસાણ, મીઠાઈ તથા લાઈવ ગાંઠીયાનું વ્યાજબી ભાવે વેચાણ કરવા સૂચના આપી
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે રાજકોટ શહેરના મધ્યમ / જરૂરિયાતમંદ વર્ગના લોકો તા. ૧૩ ઓગસ્ટથી તા. ૧૮ ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીના તહેવારોને કુટુંબીજનો સાથે આનંદ-ઉલ્લાસથી માણી શકે, તે હેતુસર ફરસાણ, મીઠાઈ તથા લાઈવ ગાંઠીયાનું વ્યાજબી ભાવે વેચાણ કરવા સૂચના આપી છે. જેને અનુલક્ષીને કલેક્ટર કચેરીમાં પુરવઠા શાખા ખાતે ગત તા. ૧૧ ઓગસ્ટના રોજ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અજયભાઈ ઝાપડાની અધ્યક્ષતામાં ફરસાણના વેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચર્ચા-વિચારણા બાદ સર્વસમંતિથી ફરસાણ અને મીઠાઈ તેલના પ્રકાર પ્રમાણે પ્રવર્તમાન બજાર ભાવ કરતા અંદાજીત ૧૦% જેટલા નીચા ભાવે…
Read Moreઆહવા પોલીસ ગ્રાઉન્ડ ખાતે ‘સ્વતંત્રતા પર્વ’ ની ઉજવણી સંદર્ભે યોજાયુ રિહર્સલ
હિન્દ ન્યુઝ, આહવા ડાંગ જિલ્લાના નિવાસી અધિક કલેકટર વી.કે.જોષીની આગેવાની અને માર્ગદર્શન હેઠળ તા.૧૪મી ઓગસ્ટે સવારના ૮:૩૦ કલાકે, આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ‘૭૯ માં સ્વતંત્રતા પર્વ’ ની ઉજવણી સંદર્ભે રિહર્સલ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની પુર્વ તૈયારીના ભાગરૂપે અહિં રિહર્સલનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમા નિવાસી અધિક કલેક્ટર શ્રી વી.કે.જોષીએ પરેડ નિરીક્ષણ કરી શાળાના બાળકો દ્વારા રજુ થનાર દેશભક્તિને લગતાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું રિહર્સલ નિહાળ્યુ હતુ. આ રિહર્સલ કાર્યક્રમમા ઉપસ્થિત પોલીસ અધિક્ષક યશપાલ જગાણિયા, પ્રાંત અધિકારી સુ કાજલ આંબલિયા, નાયબ કાર્યપાલક ઇજનેર વિવેક પટેલ, ડીઝાસ્ટર મામલતદાર આર.એમ.મકવાણા સહિતના ઉચ્ચ…
Read Moreબોટાદ જિલ્લા પંચાયતની ‘મેજ ડાયરી 2025’નું વિમોચન
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા પંચાયતનાં વિકાસ કાર્યો અને મહત્વપૂર્ણ વિગતોને સુવ્યવસ્થિત રીતે રજૂ કરતી વર્ષ 2025ની મેજ ડાયરીનું વિમોચન ગઢડા વિધાનસભાના ધારાસભ્ય શંભુપ્રસાદજી ટુંડિયાના હસ્તે વિધિવત્ કરવામાં આવ્યું હતું. આ વિમોચન સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, ઉપપ્રમુખ કનુભાઈ રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા, અગ્રણી મયુરભાઈ પટેલ, પાલજીભાઈ પરમાર સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મેજ ડાયરી જિલ્લા પંચાયતના વર્ષ દરમિયાનના કાર્યો, યોજનાઓ અને સિદ્ધિઓનું દસ્તાવેજરૂપે સંકલન છે.…
Read Moreકપાસનાં ઊભાં પાકમાં ગુલાબી ઇયળ, ટપકાં વાળી ઇયળ અને લીલી ઇયળના સંકલિત વ્યવસ્થાપન અંગે લેવાનાં પગલાંઓ
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં કપાસનો પાક પુષ્કળ પ્રમાણમાં થાય છે અને કપાસનાં ઊભા પાકમાં ગુલાબી ઇયળ, ટપકાં વાળી ઇયળ અને લીલી ઇયળ વધુ થાય છે. તેનું વ્યવસ્થાપન કરવું ખૂબ જ જરૂરી છે અને તે માટે અહીં અમુક પગલાંઓ સુચવવામાં આવ્યાં છે. ગુલાબી ઇયળની મોજણી માટે નર ફુંદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ (લ્યુર સાથે) એકર દીઠ ૨ ની સંખ્યામાં લગાડવા, રોજ ફુંદાની સંખ્યા તપાસવી અને શરૂઆતથી લઇ કપાસની છેલ્લી વીણી સુધી આવા ફેરોમોન ટ્રેપ કપાસ ઉગાડતા દરેક ખેડૂતોએ સામુહિક ધોરણે વાપરવા અને નિર્દેશ મુજબ સમયાંતરે રેલ્યુર…
Read Moreલાલપુર તાલુકાના ખાયડી ગામે લોકોને વિવિધ બેંક યોજનાઓથી માહિતગાર કરવા જાગૃતિ કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, લાલપુર નાગરિકોને સરકારી યોજનાઓથી માહિતગાર કરવાના હેતુથી સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા, લીડ બેંક જામનગર દ્વારા લાલપુર તાલુકાના ખાયડી ગામે એક મેગા જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા – લાલપુર અને ગુજરાત ગ્રામીણ બેંક – લાલપુરના સહયોગથી ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખાયડી ગામના સરપંચ રાજશીભાઈ ગાગિયાના પ્રયત્નોથી આયોજિત આ કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY), પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY), અટલ પેન્શન યોજના (APY),…
Read Moreજિલ્લામાં ભારે વરસાદની આગાહી, તહેવારો અને લોકમેળાને ધ્યાને લઈ આગામી જાહેર રજાઓમાં સરકારી અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની સૂચના
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લામાં સંભવિત ભારે વરસાદની આગાહી, જન્માષ્ટમીનો તહેવાર અને આગામી લોકમેળાને ધ્યાનમાં રાખીને, જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો છે. આ આદેશ અનુસાર, જિલ્લાના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને આગામી જાહેર રજાઓ દરમિયાન હેડક્વાર્ટર ન છોડવા અને ફરજ પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. કલેક્ટર કચેરી દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, મેડિકલ રજા સિવાયની તમામ રજાઓ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત, જે અધિકારીઓ કે કર્મચારીઓ હાલ રજા પર છે, તેમને તાત્કાલિક ફરજ પર હાજર થવા માટે જણાવાયું છે.…
Read Moreઆણંદ સેવા સદન ખાતે પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ યોજનાનો અવેરનેસ કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ સેવા સદન સ્થિત નાયબ બાગાયત નિયામકની કચેરી તથા ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ યોજના (PMFME) યોજના માટે અવેરનેસ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારીસુ દેવાહુતી પણ પ્રેરક ઉપસ્થિતિ રહ્યા હતા. તેમજ તેઓએ આણંદ જિલ્લાના ફૂડ પ્રોસેસિંગ સાથે સંકળાયેલા તમામ લાભાર્થીઓને આ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ એવરનેસ કેમ્પમાં PMFME યોજનાની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ યોજનાનો લાભ લીધો હોય તેવા લાભાર્થીઓએ પોતાના પ્રોડક્ટસ ડીસ્પ્લે કર્યા હતા.ગુજરાત…
Read Moreબોરસદ તાલુકાના ઉનેલી ગામથી ગામના સ્મશાન વચ્ચે આણંદ મોગરી કાંસ પર આવેલ બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર ૧૫ જૂન ૨૦૨૬ સુધી પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઉનેલી ગામથી ઉનેલી ગામના સ્મશાન વચ્ચે આણંદ સિંચાઇ વિભાગ હસ્તકની આણંદ મોગરી કાંસ પર આવેલ બ્રિજ પર સલામતીના કારણોસર ભારે વાહનોના અવરજવર કરવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈએ પ્રસિદ્ધ કર્યું છે. જે અન્વયે ઉનેલી ગામથી કાંસ પર આવેલી ઉનેલી સ્મશાન તરફ આવતો જતા તમામ વાહનો માટે પ્રતિબંધ રહેશે.જેના વિક્લ્પમાં ઉનેલી ગામથી કાંસ ઉપર આવેલી સ્મશાન તરફ આવતા જતા તમામ વાહનો વ્યવહાર ગામ થી મુખ્ય પ્રવેશ દ્વાર થઈ ચુવા ખાનપુર રોડ ઉપર આવેલ આણંદ મોગરી કાંસના જમણા પાળા ઉપર થઈ…
Read More