રાજ્યમાં સમય પહેલા જ પુષ્કળ વાવેતર થતા સપ્લાય પ્લાન મુજબ ખાતરનું જિલ્લાવાર વિતરણ ચાલી રહ્યું છે: કૃષિ મંત્રી રાઘવજી પટેલ

હિન્દ ન્યુઝ, ભાવનગર       કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં ખાતર વિતરણ અંગે જણાવ્યું હતું કે, આ વર્ષે સારા વરસાદના પરિણામે ખરીફ પાકોના ૬૧ ટકા જેટલુ વાવેતર સમય કરતા વહેલા પૂર્ણ થયું છે. ખેડૂતોને વ્યાજબી ભાવે યુરીયા, ડી.એ.પી તથા એન.પી.કે ખાતરનો પૂરતો જથ્થો મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા તેના પર માતબર રકમની સબસીડી આપીને સમયાંતરે ખાતરનો જથ્થો ફાળવવામાં આવી રહ્યો છે. ખેતી માટે જરૂરિયાત મુજબ ખેડૂતોને સમયસર અને પૂરતું ખાતર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સપ્લાય પ્લાન મુજબ ખાતરનો જથ્થો વિવિધ જિલ્લામાં વિતરણ કરવામાં આવી રહ્યો…

Read More

ભાવનગર ખાતે કન્ટેનર બનાવતી કંપની આવડકૃપાની મુલાકાત લેતા કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાનાં પ્રવાસે આવેલ કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, શ્રમ-રોજગાર, યુવા બાબતો-રમત ગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા અને ગ્રાહક બાબતો, ખાદ્ય-સાર્વજનીક ની વિતરણ રાજ્ય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા એ ભાવનગર જિલ્લામાં આવેલ કન્ટેનર બનાવતી કંપની આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રા.લી. ની મુલાકાત લીધી હતી. મંત્રીએ ભાવનગર – રાજકોટ રોડ ખાતે આવેલ આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રા.લી. કંપનીમાં તૈયાર થઇ રહેલા કંટેનરો અંગેની સમગ્ર જાણકારી મેળવી હતી અને જરૂરી સુચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ. ભાવનગર હવે કન્ટેનર હબ બનવા તરફ આગળ ધપી રહ્યું છે ત્યારે ભાવનગરના નવાગામ ખાતે આવેલ આ…

Read More

ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ

હિન્દ ન્યુઝ, ભાવનગર      રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવજી એ આજે ગુજરાતના ભાવનગરથી 3 નવી એક્સપ્રેસ ટ્રેન સેવાઓ ભાવનગર – અયોધ્યા એક્સપ્રેસ, રીવા-પુણે (હડપસર) એક્સપ્રેસ અને જબલપુર -રાયપુર એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી. આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના માનનીય મુખ્યમંત્રી ડૉ . મોહન યાદવ અને છત્તીસગઢના માનનીય મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાય (રાયપુર) વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સાથે જોડાયા હતા. અયોધ્યાની સાપ્તાહિક ટ્રેનના શુભારંભ કરાવવાના કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, શ્રમ-રોજગાર, યુવા બાબતો-રમત ગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા અને ગ્રાહક બાબતો, ખાદ્ય-સાર્વજનીક વિતરણ રાજ્ય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રેલવે મંત્રી…

Read More

ભાવનગરમાં વેપારીઓ, મહાજન, ઉદ્યોગકારો અને પ્રબુધ્ધ નાગરીકો સાથે વિકસિત ભારત સંવાદ યોજતા કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરમા આવેલ ઇસ્કોન ફન ખાતે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ એ વેપારીઓ, મહાજન, ઉદ્યોગકારો અને પ્રબુધ્ધ નાગરીકો સાથે વિકસિત ભારત સંવાદ યોજ્યો હતો. આ તકે શ્રમ-રોજગાર, યુવા બાબતો-રમત ગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા અને ગ્રાહક બાબતો, ખાદ્ય-સાર્વજનીક વિતરણ રાજ્ય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.   વિશ્વના અન્ય દેશોની તુલનામાં સતત વિકસી રહેલા ભારત દેશના મજબૂત અર્થતંત્ર વિશે વિગતો આપતા કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ એ જણાવ્યું કે કોવિડ મહામારી બાદ વિશ્વના અન્ય દેશોનો ગ્રોથ રેટ સતત ઘટી રહ્યો છે જ્યારે આપણા માટે આનંદ અને ગર્વની…

Read More

શ્રાવણ શુક્લ નવમી પર શ્રી સોમનાથ મહાદેવનો ‘સૂર્ય દર્શન શ્રૃંગાર

હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રાવણ શુક્લ નવમીના પાવન દિવસે આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવનો વિશેષ ‘સૂર્ય દર્શન શ્રૃંગાર’ કરવામાં આવ્યો હતો. પ્રાચીન શાસ્ત્રો અનુસાર, આજનું પવિત્ર પ્રભાસ તીર્થ એ દિવ્ય ક્ષેત્ર છે જ્યાં કાળગતિમાં “દ્વાદશ આદિત્યો” એટલે કે 12 સૂર્યમંદિરોનું તેજસ્વી અને ઐતિહાસિક વિભવ દૈદીપ્યમાન હતો. તે સૂર્ય ઉપાસના પરંપરા અને વિજ્ઞાનીક ચેતનાનો કેન્દ્ર રહી ચૂકેલું છે. તે જ કારણે આ તીર્થને શાસ્ત્રોમાં “પ્રભાસ” નામ આપવામાં આવ્યું છે – જ્યા પ્રકાશે બધું ઝગમગાય છે. આજના વિશેષ પ્રસંગે, શ્રી સોમનાથ જ્યોતિર્લિંગને ચંદન તથા પુષ્પોથી નિર્મિત સૂર્યપ્રતિકૃતિથી અલંકૃત કરવામાં આવ્યા હતા. 100 કિલોથી…

Read More