હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં ચાલું માસ જુલાઈ -૨૦૨૫ તથા આગામી ઓગસ્ટ -૨૦૨૫ના માસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા તથા સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર કોઈ વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા જાહેરમાં તીક્ષ્ણ હથિયારો જેવાં કે છરી, કુહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, લાકડીઓ, લોખંડના પાઈપ, ભાલા તથા દંડા, બંદૂક, લાઠી અથવા શારીરિક હિંસામાં ઉપયોગી થઈ શકે તેવા પ્રાણઘાતક હથિયારો લઈને હરે ફરે નહિ તે માટે બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે તેમને મળેલી સત્તાની રૂએ જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામું બોટાદ જિલ્લાનાં સમગ્ર…
Read MoreMonth: July 2025
બોટાદ ફાયર શાખા દ્વારા સ્કુલના બાળકોને તેમજ શાળાના સ્ટાફ માટે ખાસ તાલીમ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, બોટાદ ફાયર સેફટી વિશેની સમજ અને જાગૃતતા નાનપણથી જ બાળકોમાં કેળવાય તે હેતુથી, બોટાદ ફાયર શાખાના ફાયર વાયરલેસ ઓફિસર કુલદીપસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ ખાસ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકુરમ અને કિડઝ કાસલ સ્કુલના બાળકોને તેમજ શાળાના સ્ટાફને અગ્નિશમન સાધનો અને તેના ઉપયોગ વિશે માહિતગાર કરી ઇમર્જન્સી અને કટોકટીના સમયમાં સાવચેતીના કેવા રક્ષણાત્મક પગલાંઓ લેવા જોઈએ તે વિશે સમજ આપવામાં આવી હતી. આ સાથે બાળકો દ્વારા વિવિધ કલાત્મક ચિત્રો અર્પણ કરી ફાયર વિભાગનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમજ શાળા પરિવાર દ્વારા…
Read Moreપ્રાકૃતિક કૃષિથી આ રીતે કરો તુવેરના પાકનું વાવેતર : સમય, અંતર અને જાતોની પસંદગી વિશે જાણો
હિન્દ ન્યુઝ, બોટાદ તુવેરની જાતોમાં મુખ્યત્વે ગુજરાત તુવેર-૧, ગુજરાત તુવેર -૧૦૧ અને ગુજરાત તુવેર -૧૦૩, બી.ડી.એન.-૨, જી.જે.પી. -૧નો સમાવેશ થાય છે. સુધારેલી જાતોનું વાવેતર જુન જુલાઈ મહિનામાં ૧૨ થી ૧૫ કિલો પ્રતિ હેક્ટર બીજનો દર રાખી બે હાર વચ્ચે ૯૦ થી સેન્ટિમીટર અને બે છોડ વચ્ચે ૨૫ થી ૩૦ સેંટીમીટરે વાવેતર કરવું. રવિ ઋતુ માટે તવેરની ગુજરાત તુવેર -૧૦૨ જાતોનું વાવેતર સપ્ટેમ્બર થી ઓક્ટોમ્બર મહિનામાં ૧૨ થી ૧૫ કિલો પ્રતિ હેક્ટર બીજનો દર રાખી બે હાર વચ્ચે…
Read Moreમેદસ્વિતા ઘટાડવા માટે ખાંડનું સેવન ઘટાડવું આવશ્યક
હિન્દ ન્યુઝ, બોટાદ ખાંડનું વધુ પડતું સેવન આજનાં સમયમાં મેદસ્વિતાનું એક મુખ્ય કારણ બની ગયું છે. આપણાં દૈનિક આહારમાં છુપાયેલી ખાંડ જેવાં કે ઠંડાં પીણાં, મીઠાઈઓ, બિસ્કિટ અને પેકેજ્ડ ફૂડ આપણાં શરીરમાં વધારાની કેલરી એકઠી કરે છે, જે ચરબીના રૂપમાં શરીરમાં સંગ્રહિત થાય છે. જ્યારે આપણે સતત આ વસ્તુઓનું સેવન કરીએ છીએ ત્યારે શરીરને વધારાની ઊર્જાની જરૂર પડતી નથી અને તેને ચરબીના રૂપમાં સંગ્રહિત કરે છે, જે ધીમે ધીમે વજન વધારવા તરફ દોરી જાય છે. ખાંડનું…
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો દ્વારા કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહનું હેલિપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરાયું
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ ખાતે સરદાર પટેલની ૧૫૦મી જયંતી ના અવસરે દેશની સૌ પ્રથમ સહકાર યુનિવર્સિટી “ત્રિભુવન” સહકાર યુનિવર્સિટીના શિલાન્યાસ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સહભાગી બનવા કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહનું આણંદ સ્થિત કૃષિ યુનિવર્સીટીના હેલીપેડ ખાતે આગમન થયુ હતું. કૃષિ યુનિવર્સિટી સ્થિત હેલિપેડ ખાતે પધારેલા કેન્દ્રિય ગૃહ અને સહકારમંત્રી અમિતભાઈ શાહ નું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્ય સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, સાંસદ મિતેશભાઈ…
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેના હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત કરાયું
હિન્દ ન્યુઝ, આણંદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહકારિતા દિવસની ઉજવણી અવસરે આણંદ ખાતે કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે દેશની સૌ પ્રથમ સહકાર યુનિવર્સિટી “ત્રિભુવન” સહકાર યુનિવર્સિટીના શિલાન્યાસ અને ભૂમિપૂજન કાર્યક્રમમાં પધાર્યા હતા. આ પ્રસંગે કૃષિ યુનિવર્સિટીના હેલીપેડ ખાતે મુખ્યમંત્રીનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના આણંદ જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારીઓએ સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, અગ્રણી સંજયભાઈ પટેલ, સુનિલભાઈ શાહ, જગતભાઈ પટેલ, રણજીતસિંહ ચૌહાણ, ધારાસભ્ય સર્વ યોગેશભાઈ…
Read Moreકેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આણંદમાં ત્રિભુવન સહકારિતા યુનિવર્સિટીનો શિલાન્યાસ
હિન્દ ન્યુઝ, આણંદ :: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ :: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ નગરી આણંદ ખાતે વિશ્વની પ્રથમ ત્રિભુવન સહકારિતા યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા વર્તમાન બજેટમાં તેની ઘોષણા કરાયા બાદના માત્ર ચાર જ માસમાં આ મહત્વાકાંક્ષી શૈક્ષણિક સંસ્થાન કાર્યાન્વિત થવા જઇ રહ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું કે, આગામી દિવસોમાં સહકારી પ્રવૃત્તિનો વ્યાપ વધવાનો છે. સહકારી ધોરણે ટેક્સી સેવા અને વીમા સેવા શરૂ કરવાના આયોજન વચ્ચે આ ક્ષેત્રને જરૂરી કુશળ માનવ સંસાધન આ યુનિવર્સિટીમાંથી…
Read Moreઆણંદના વાલ્મી ખાતે દેશની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની સહકારી યુનિવર્સિટી “ત્રિભુવન” સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કરતાં કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ
હિન્દ ન્યુઝ, આણંદ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં આણંદના વાલ્મી ખાતેથી દેશની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની સહકારી યુનિવર્સિટી “ત્રિભુવન” સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કરવામાં આવ્યુ હતું. આ તકે કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ એ ‘‘ત્રિભુવન’’ સહકારી યુનિવર્સિટી તથા ત્રિભુવન પટેલના સહકારીતા ક્ષેત્રમાં કરેલ પ્રદાનને દર્શાવતી તકતીનું અનાવરણ પણ કર્યું હતું. આ સમયે વાલ્મી કમ્પાઉન્ડમાં મહાનુભાવોના હસ્તે “એક પેડ કે નામ અભિયાન” અંતર્ગત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય સહકાર…
Read Moreગુજરાત ફાયર સેફટી કમ્પ્લાયન્સ માટે અરજી કરવા બાબત
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રિજિયોનલ ફાયર ઓફિસ ભાવનગરના ઝોન અંતર્ગત આવતાં ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી જિલ્લાની નગરપાલિકાઓ તેમજ ગ્રામીણ વિસ્તારના અરજદારોએ ઈમારતો/ એકમોમાં રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓના પોર્ટલ ‘ગુજફાયરસેફ્ટીકોપ’ પર અરજી કરવાની રહેશે. ગુજરાત ફાયર સેફટી કમ્પ્લાયન્સ પોર્ટલ (ગુજરાત ફાયર સેફટી કોપ)નો ઉદ્દેશ રાજ્યભરમાં ફાયર સેફટી ફ્રેમ વર્કને મજબૂત કરવાનો છે. રાજ્ય સરકાર દ્વારા તા. ૧૩ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ ગેઝેટ બહાર પાડવામાં આવ્યું છે. આ ગેઝેટ ગુજફાયરસેફ્ટીકોપ. ડોટ . ઈન/કૉન્ટેન્ટ/રેગ્યુલેશન્સ-૧૧૭ પર ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે, જૂના રેગ્યુલેશન રદ્દ થઈ નવા રેગ્યુલેશન તા. ૧૩ ડીસેમ્બર, ૨૦૨૩ના…
Read Moreગીર સોમનાથમાં મધ્યસ્થીકરણ ઝૂંબેશ અન્વયે નાગરિકોને લાભ લેવા અનુરોધ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં નાલસા તથા MCPC દ્વારા ‘મિડીયેશન કોર ધ નેશન’ અન્વયે તા. ૦૧ જુલાઈ, ૨૦૨૫ થી ૯૦ દિવસની મિડીયેશન ડ્રાઇવ (મધ્યસ્થીકરણ ઝુંબેશ) શરૂ કરવામાં આવી છે. જેમાં સમગ્ર રાજ્યની તાલુકા કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ તથા હાઇકોર્ટનાં પડતર કેસોમાં મધ્યસ્થીકરણ કરાવી સુખદ સમાધાન લાવવાનાં પ્રયત્નો કરવામાં આવશે. આ ડ્રાઈવ અંતર્ગત લાગુ પડતાં કેસોમાં વધુમાં વધુ સુખદ સમાધાન થાય તે હેતુથી કોર્ટમાંથી કેસોને મિડીયેશનમાં રિફર કરવાનાં પ્રયત્ન કરવામાં આવશે. જેથી તમામ પક્ષકારોએ તેઓનાં કેસ જો સમાધાન લાયક કેસોમાં આવતાં હોય જેવાં કે લગ્ન જીવનની તકરારોને લગતાં…
Read More