માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) હસ્તકના તમામ રસ્તાઓની મોન્સુન સંબંધિત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ

ભર ચોમાસે ડાંગ જિલ્લાના મુખ્ય માર્ગો સુગમ્ હિન્દ ન્યુઝ, આહવા     રાજ્યના ચેરાપુંજી તરીકે ઓળખાતા વનાચ્છાદિત ડાંગ જિલ્લામા જૂન માસથી જ સતત વરસાદ વરસી રહ્યો છે.  આ વરસાદ અને વાવાઝોડાને કારણે વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ડાંગ જિલ્લામા વૃક્ષો અને ઝાડી ઝાંખરા પડવા, ભૂસ્ખલન થવુ, તેમજ માઈનોર સરફેસ ડેમેજ થવાથી માર્ગો/પુલોને થતુ નુકશાન પૂર્વવત કરવા રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા અવિરતપણે સતત કામગીરી હાથ ધરવામા આવી છે. આ માટે ડાંગ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા દરેક રસ્તા ઉપર મરામતની કામગીરી સુપેરે થાય તે માટે મદદનીશ ઇજનેર અને…

Read More

પ્રેમ માત્ર માનવો માટે નહીં – પ્રાણીઓ માટે પણ!

હિન્દ ન્યુઝ, રાજકોટ      📍સૌરાષ્ટ્ર પ્રાણી કલ્યાણ મંડળ સંચાલિત પશુ દવાખાના ખાતે તા. 06 જુલાઈએ વર્લ્ડ ઝુનોસિસ ડેની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે નિ:શુલ્ક હડકવા વિરોધી રસીકરણ અને સારવાર કેમ્પ યોજાયો હતો, જેનાથી ઘણા શ્વાનપાલકો અને તેમના પ્રિય પાળતુ જીવોને સારવાર મળી. 💉 કેમ્પમાં થયેલી કામગીરી: 🔹 હડકવા વિરોધી રસી – 102 🔹 વિવિધ પ્રકારની સારવાર – 35 🔹 સાત રોગોની મિશ્ર રસી – 32 🔹 કુલ 169 લોકોને રસી, સારવાર અને માર્ગદર્શન મળ્યું. 👩‍⚕️ ડોક્ટર્સની અવિરત સેવા: ડૉ. રાખોલીયા, ડૉ. ભાડજા, ડૉ. જૈનિક પ્રજાપતિ, ડૉ. અંજલી પ્રજાપતિ સહિત…

Read More

કચ્છમાં ૧૧ થી ૧૮ જુલાઈ દરમિયાન વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે

હિન્દ ન્યુઝ, ભુજ      આરોગ્ય વિભાગ દ્વારા વસ્તી સ્થિરતા લાવવા અને વસ્તી વધારા બાબતે જાગૃતિ લાવવા તાલુકા અને જિલ્લા કક્ષાએ વિવિધ પ્રવૃત્તિઓ “વિશ્વ વસ્તી દિવસ” ની ઉજવણી કરવામાં આવશે. તા.૧૧ જુલાઈ થી ૧૮ જુલાઈ દરમિયાન રાજ્યમાં “માં બનવાની ઉંમર એ જ, જ્યારે શરીર અને મન તૈયાર હોય” (Healthy Timing & spacing between pregnancies for planned parenthood) થીમ હેઠળ કચ્છમાં “વિશ્વ વસ્તી દિવસ” ઝુંબેશની ઉજવણી કરવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમનાં માર્ગદર્શન હેઠળ “વિશ્વ વસ્તી દિવસ-૨૦૨૫”ની ઉજવણી કરવામાં આવશે.  મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મિતેષ ભંડેરી એ જણાવ્યું હતું કે,…

Read More

૧૧ જુલાઈ ના રોજ હળવદ ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે; ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો જોગ

હિન્દ ન્યુઝ, મોરબી        રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા. ૧૧-૦૭-૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, પ્રા.વસંતરાય ઉપાધ્યાય આઈ.ટી.આઈ, સરા રોડ, હળવદ ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક /એસએસસી /એચએસસી /આઇટીઆઇ /સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર…

Read More

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન અન્વયે લોન સહાય કામગીરી બાબતે સમીક્ષા બેઠક

હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગ્રામીણ મહિલાઓના સશક્તિકરણ માટેનો અભિગમ…     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન અન્વયે લોન સહાય કામગીરી બાબતે રાજ્યના મંત્રીઓની ઉપસ્થિતિમાં સહકારી બેંકોના અધ્યક્ષઓ તથા ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની તથા મહિલા-બાળ વિકાસ, ગ્રામ વિકાસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે આજે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી હતી.  મુખ્યમંત્રીએ કો-ઓપરેટીવ બેંકોને ગ્રામીણ સ્વ-સહાય જૂથ – સખી મંડળોને લોન-ધિરાણ આપવાની પ્રક્રિયામાં સરળતા સાથે વધુ ગતિ લાવવાનો અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વ-સહાય જૂથોની બહેનોને આત્મનિર્ભર બનાવવાનો જે નિર્ધાર કર્યો છે તેને આવા વધુને વધુ લોન-ધિરાણથી પાર…

Read More

રાજ્યમાં માર્ગો-પુલો-હાઇવેની સ્થિતિની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ        મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદથી હાઇવે અને ગ્રામીણ તથા શહેરી માર્ગોને જ્યાં નુકસાન થયેલું છે ત્યાં યુદ્ધના ધોરણે રિપેર કરીને રસ્તાઓ પુનઃ પુર્વવત બનાવવા તાકીદ કરી છે. વિકાસની ધોરીનસ અને નાગરિક જીવનમાં રોજિંદા યાતાયાત માટે અતિ મહત્વના એવા રોડ નેટવર્કની તત્કાલ મરામત હાથ ધરાય તેવા દિશાનિર્દેશો પણ મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠકમાં આપ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારો તેમજ નગરો-મહાનગરો સહિત નેશનલ હાઈવે, રાજ્ય ધોરીમાર્ગ, પંચાયત હસ્તકના માર્ગોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય…

Read More

જિલ્લામાં સરેરાશ ૧૨ ઇંચથી વધુ વરસાદ નોંધાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       ગીર સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ ગીર સોમનાથ જિલ્લાના ૬ તાલુકામાં અત્યાર સુધીનો સરેરાશ ૧૨ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાલાલા તાલુકામાં ૧૬.૨૪ ઇંચ અને સૌથી ઓછો કોડીનાર તાલુકામાં ૯.૪ ઇંચ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથ જિલ્લાના વરસાદની વાત કરીએ તો, તા.૭-૭-૨૦૨૫ને સાંજના ૪ વાગ્યા સુધીના વરસાદના આંકડા મુજબ, અત્યાર સુધીમાં કુલ વરસાદમાં તાલાલામાં ૧૬.૨૪ ઇંચ, ઉનામાં ૯.૬ ઇંચ, કોડિનારમાં ૯.૪ ઇંચ, સુત્રાપાડામાં ૧૬.૦૪ ઇંચ, વેરાવળ-પાટણમાં ૧૧.૬ ઇંચ અને ગીર ગઢડામાં ૧૦.૪૮ ઇંચ વરસાદ નોંધાયો છે. આમ,…

Read More

જિલ્લામાં ૮૩.૭૧ હજાર ખેડૂત ખાતેદારોએ ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ               કેન્દ્ર સરકાર દ્વારા ડિજીટલ પબ્લીક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૃષિ સબબ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મૂકાયો છે. જેમાં તમામ ખેડૂત ખાતેદારોને ફાર્મર રજિસ્ટ્રી (ખેડૂત નોંધણી) કરાવવી ફરજિયાત છે. આમ છતાં અત્યાર સુધીમાં ગીર સોમનાથ જિલ્લામાં ૪.૨૮ લાખમાંથી અત્યાર સુધીમાં માત્ર ૧.૧૦ લાખ ખેડૂતોએ જ નોંધણી કરાવી છે. ખેડૂતો ૧૦મી જુલાઇ સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવે તો આગામી મહિને પી.એમ.કિસાનના હપ્તાથી વંચિત રહેવું પડશે. જ્યારે આગામી ૧૦મી જુલાઈ સુધીમાં રજિસ્ટ્રેશન નહીં કરાવનાર ૨૫ ટકા ખેડૂતોને ભવિષ્યમાં કલ્યાણકારી યોજનોનો લાભ નહીં મળી શકે. સરકારની કલ્યાણકારી યોજનાઓ…

Read More

જિલ્લામાં વિવિધ કાર્યક્રમો થકી ‘વિશ્વ વસ્તી દિવસ-૨૦૨૫’ની ઉજવણી થશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       ગીર સોમનાથ જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.એન.બરુઆ અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.ટી.કણસાગરાના માર્ગદર્શન હેઠળ “વિશ્વ વસ્તી દિવસ-૨૦૨૫” ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. આ ઉજવણી અંતર્ગત માતા અને બાળકની સુખાકારી માટે ગર્ભાવસ્થાના સ્વાસ્થ્ય સમયની થીમ “માં બનવાની ઉમર એ જ, જયારે શરીર અને મન તૈયાર હોય” રાખવામાં આવી છે. આ થીમ અંતર્ગત લઘુ શિબિર, સાસુ વહુ મીટીંગ, સ્વસહાય જૂથો, આંગણવાડી વિભાગ, પંચાયતી રાજ સંસ્થાઓ સહિતની મિટીંગ યોજાશે.…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસા ઋતુમાં મેલેરિયા વિરોધી જુન માસમાં વાહક જન્ય અને પાણી જન્ય રોગ અટકાયત અને નિયંત્રણ કામગીરીની સઘન ઝુંબેશ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૭ સુધી મેલેરીયા મુકત ગુજરાતનું લક્ષ્ય પાપ્ત કરવા નિર્ધાર કરવામાં આવ્યો છે. ”મેલેરીયા મુકત ગુજરાત’’ સુત્રને સાર્થક કરવા સક્રિય પ્રયત્નો તમામ જિલ્લાઓ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. ચાલુ વર્ષે “મેલેરિયાનો અંત આપણાથી, પુન: રોકાણ કરો, પુન: કલ્પના કરો, પુન: જાગ્રુત કરો.” થીમ આધારે જનજાગૃતિની કામગીરી કરવામાં આવી રહી છે. સમગ્ર રાજ્યમાં જૂન માસને મેલેરીયા વિરોધી માસ-૨૦૨૫ તરીકે ઉજવવામાં આવ્યો હતો. ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર, મેલેરિયા(આરોગ્ય)શાખા જિલ્લા પંચાયત, ગીર સોમનાથ તથા ગીર સોમનાથ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.એન.બરુઆ…

Read More