પ્રેમ માત્ર માનવો માટે નહીં – પ્રાણીઓ માટે પણ!

હિન્દ ન્યુઝ, રાજકોટ

     📍સૌરાષ્ટ્ર પ્રાણી કલ્યાણ મંડળ સંચાલિત પશુ દવાખાના ખાતે તા. 06 જુલાઈએ વર્લ્ડ ઝુનોસિસ ડેની ઉજવણી કરવામાં આવી.

આ પ્રસંગે નિ:શુલ્ક હડકવા વિરોધી રસીકરણ અને સારવાર કેમ્પ યોજાયો હતો, જેનાથી ઘણા શ્વાનપાલકો અને તેમના પ્રિય પાળતુ જીવોને સારવાર મળી.

💉 કેમ્પમાં થયેલી કામગીરી:

🔹 હડકવા વિરોધી રસી – 102

🔹 વિવિધ પ્રકારની સારવાર – 35

🔹 સાત રોગોની મિશ્ર રસી – 32

🔹 કુલ 169 લોકોને રસી, સારવાર અને માર્ગદર્શન મળ્યું.

👩‍⚕️ ડોક્ટર્સની અવિરત સેવા:

ડૉ. રાખોલીયા, ડૉ. ભાડજા, ડૉ. જૈનિક પ્રજાપતિ, ડૉ. અંજલી પ્રજાપતિ સહિત રમેશભાઈ, વૈભવભાઈ અને ભુવાભાઈની ટીમે શ્વાનોની દેખરેખમાં મહત્વની ભૂમિકા ભજવી.

💊 દવા કંપનીઓની સહભાગીદારી:

👉 Virbac | Intas | Vitax | Himalaya

તેમની તરફથી દવાઓ અને વ્યાવસાયિક માર્ગદર્શન દ્વારા કેમ્પ વધુ અસરકારક અને સફળ બની રહ્યો.

🎯 સમગ્ર આયોજન માટે ધન્યવાદ:

 રજનીભાઈ શાહ અને વિમલભાઈ શાહ – જેમના સૂચન અને સંકલનથી આ કેમ્પ સફળ બની શક્યો.

🐕‍🦺 ઝુનોસિસથી બચાવ એ માનવ અને પ્રાણી બંને માટે સલામતીનો સંદેશ છે.

આવા કેમ્પો દ્વારા આપણે માત્ર જીવજંતુને નહિ, આપણા સમાજને પણ રોગમુક્ત અને સુરક્ષિત બનાવી શકીએ છીએ.

Related posts

Leave a Comment