લાલપુર તાલુકાના ઝાંખર ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રેલી તેમજ શપથ ગ્રહણનો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર    આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત લોકોમાં મતદાન જાગૃતિ લાવવા માટે જામનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.તેના ભાગરૂપે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ઝાંખર ખાતે વિદ્યાર્થીઓમાં મતદાનના મહત્વ અંગે જાગૃતિ આવે તે હેતુથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ પોતાના વાલીઓને મતદાન કરાવવા અંગે વિદ્યાર્થીઓએ શપથ પણ લીધા હતા. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ઝાંખરના સામૂહિક પ્રયત્નો થકી મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન સફળ રહ્યું હતું.                

Read More

જનરલ ઓબ્ઝર્વર ટી.આનંદનું આણંદ ખાતે આગમન

હિન્દ ન્યુઝ, આણંદ      લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અને ૧૦૮- ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ દ્વારા આણંદ લોકસભા મતદાર વિભાગ માટે ચૂંટણીલક્ષી કામગીરીને અનુલક્ષીને ટી.આનંદ(આઈ.એ.એસ.)ની નિમણૂંક કરવામાં આવી છે. ૧૬-આણંદ લોકસભા મતદાર વિભાગ અને ૧૦૮-ખંભાત વિધાનસભા મતદાર વિભાગમાં મૂકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે આ મતદાર વિભાગોમાં ચૂંટણીના અનુસંધાને જાહેર જનતા તથા ઉમેદવારોને કોઈપણ સમસ્યા હોય તો તેઓ જનરલ ઓબ્ઝર્વર ટી.આનંદના મોબાઈલ નં.૮૭૯૯૨ ૦૨૯૩૯ ઉપર સંપર્ક કરી શકશે, તેમજ સોમવાર અને બુધવારે બપોર બાદ ૪-૦૦ કલાક થી ૫-૦૦ કલાક દરમિયાન આણંદ સરકીટ હાઉસ ખાતે રૂબરૂમાં…

Read More

પોલીસ નિરીક્ષક સુ. મેરીન જોસેફનું આણંદ ખાતે આગમન

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨ હિન્દ ન્યુઝ, આણંદ     લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અને ૧૦૮- ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ દ્વારા આણંદ લોકસભા મતદાર વિભાગ માટે ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા માટે પોલીસ નિરીક્ષક પોલીસ નિરીક્ષક સુ મેરીન જોસેફ (આઈ.પી.એસ.)ની નિમણૂંક કરવામાં આવી છે. ૧૬-આણંદ લોકસભા મતદાર વિભાગ અને ૧૦૮-ખંભાત વિધાનસભા મતદાર વિભાગમાં મૂકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે આ મતદાર વિભાગોમાં ચૂંટણીમાં કાયદા અને વ્યવસ્થાના અનુસંધાને જાહેર જનતા તથા ઉમેદવારોને કોઈપણ સમસ્યા હોય તો તેઓ પોલીસ નિરીક્ષક સુ મેરીન જોસેફના મોબાઈલ નં.૬૩૫૧૧૩૮૨૮૦ ઉપર સંપર્ક કરી શકશે, તેમજ…

Read More