પોલીસ નિરીક્ષક સુ. મેરીન જોસેફનું આણંદ ખાતે આગમન

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨

હિન્દ ન્યુઝ, આણંદ

    લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અને ૧૦૮- ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ દ્વારા આણંદ લોકસભા મતદાર વિભાગ માટે ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા માટે પોલીસ નિરીક્ષક પોલીસ નિરીક્ષક સુ મેરીન જોસેફ (આઈ.પી.એસ.)ની નિમણૂંક કરવામાં આવી છે.

૧૬-આણંદ લોકસભા મતદાર વિભાગ અને ૧૦૮-ખંભાત વિધાનસભા મતદાર વિભાગમાં મૂકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે આ મતદાર વિભાગોમાં ચૂંટણીમાં કાયદા અને વ્યવસ્થાના અનુસંધાને જાહેર જનતા તથા ઉમેદવારોને કોઈપણ સમસ્યા હોય તો તેઓ પોલીસ નિરીક્ષક સુ મેરીન જોસેફના મોબાઈલ નં.૬૩૫૧૧૩૮૨૮૦ ઉપર સંપર્ક કરી શકશે, તેમજ સોમવાર,મંગળવાર અને બુધવારે બપોરે ૧૨:૦૦ કલાક થી ૧૩:૦૦ કલાક દરમિયાન આણંદ સરકીટ હાઉસ ખાતે રૂબરૂમાં મળી શકશે, તેમ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જણાવાયું છે.

Related posts

Leave a Comment