જનરલ ઓબ્ઝર્વર ટી.આનંદનું આણંદ ખાતે આગમન

હિન્દ ન્યુઝ, આણંદ

     લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અને ૧૦૮- ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ દ્વારા આણંદ લોકસભા મતદાર વિભાગ માટે ચૂંટણીલક્ષી કામગીરીને અનુલક્ષીને ટી.આનંદ(આઈ.એ.એસ.)ની નિમણૂંક કરવામાં આવી છે.

૧૬-આણંદ લોકસભા મતદાર વિભાગ અને ૧૦૮-ખંભાત વિધાનસભા મતદાર વિભાગમાં મૂકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે આ મતદાર વિભાગોમાં ચૂંટણીના અનુસંધાને જાહેર જનતા તથા ઉમેદવારોને કોઈપણ સમસ્યા હોય તો તેઓ જનરલ ઓબ્ઝર્વર ટી.આનંદના મોબાઈલ નં.૮૭૯૯૨ ૦૨૯૩૯ ઉપર સંપર્ક કરી શકશે, તેમજ સોમવાર અને બુધવારે બપોર બાદ ૪-૦૦ કલાક થી ૫-૦૦ કલાક દરમિયાન આણંદ સરકીટ હાઉસ ખાતે રૂબરૂમાં મળી શકશે, તેમ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જણાવાયું છે.  

Related posts

Leave a Comment