લાલપુર તાલુકાના ઝાંખર ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રેલી તેમજ શપથ ગ્રહણનો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર

   આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત લોકોમાં મતદાન જાગૃતિ લાવવા માટે જામનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.તેના ભાગરૂપે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ઝાંખર ખાતે વિદ્યાર્થીઓમાં મતદાનના મહત્વ અંગે જાગૃતિ આવે તે હેતુથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ પોતાના વાલીઓને મતદાન કરાવવા અંગે વિદ્યાર્થીઓએ શપથ પણ લીધા હતા.

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ઝાંખરના સામૂહિક પ્રયત્નો થકી મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન સફળ રહ્યું હતું.

 

 

 

 

 

 

 

 

Related posts

Leave a Comment