હિન્દ ન્યુઝ, ભાવનગર વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર દેશ સહિત ગુજરાત અને ભાવનગર જિલ્લામાં હાલમાં ભ્રમણ કરી રહી છે. આ યાત્રા થકી સરકારની યોજનાઓની નાગરિકોને જાણકારી લઈને ગામેગામ ફરી રહી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નાગરિકોને વિકસિત ભારતના એમ્બેસેડર બનવા અને વિકાસના સંદેશને વિસ્તૃત કરવા નાગરિકોને આહવાન કર્યું છે. ભાવનગર જિલ્લાના ગામે ગામ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન થઈ રહ્યું છે ત્યારે નાગરિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવા સમયે વિકસિત ભારત એમ્બેસેડર બની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને મળવાની તક જિલ્લાના નાગરિકો પણ લઈ શકે છે. જેમાં ૧૦૦ દિવસની ચેલેન્જ…
Read MoreDay: December 9, 2023
મેરી કહાની મેરી ઝુબાની – અન્નપુર્ણા યોજના અંતર્ગત ૮ લાભાર્થીઓને સ્થળ પર જ અનાજ કિટનું વિતરણ
હિન્દ ન્યુઝ, ભાવનગર વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ઘણા લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત સ્થળ ઉપર જ લાભ અપાઇ રહ્યા છે. ત્યારે ઉમરાળા તાલુકાના વાંગધ્રા પ્રાથમિક શાળામાં વિકસિત રથ આવ્યો હતો. વિકસિત ભારત સંકલ્પ કાર્યક્રમ થકી NFSA અન્નપુર્ણા યોજનાના લાભાર્થીઓને સ્થળ ઉપર જ 5 કિ.લોના અનાજ કિટનું વિતરણ કરી સહાય આપવામાં આવી હતી. સોલંકી લીલાબેન દિનેશભાઈ, વાઘેલા મગનભાઇ છગનભાઇ, વાઘેલા દૂધીબેન પ્રેમજીભાઈ, લકુમ શાંતુબેન પરષોતમભાઈ, ગોહિલ ધર્મેન્દ્રસિંહ અજીતસિંહ, ગોહિલ શંભુભા મનુભા, લકુમ પ્રવિણભાઈ અર્જણભાઈ અને સોલંકી આશાબેન મુકેશભાઈને અનાજ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગોહિલ ધર્મેન્દ્રસિંહ અજીતસિંહ અને લકુમ પ્રવિણભાઈ અર્જણભાઈના…
Read Moreમેરી કહાની મેરી ઝુબાની – પ્રધાનમંત્રી આવાસ યોજનાના થકી પાકું મકાન બન્યુ: કાનજીભાઈ મકવાણા
હિન્દ ન્યુઝ, ભાવનગર ઉમરાળા તાલુકાના વાંગધ્રા ગામ ખાતે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત કાનજીભાઈએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. કાનજીભાઈએ જણાવ્યું હતું કે, પહેલાં મારે કાચું મકાન હતું. જેના કારણે ચોમાસા દરમિયાન ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો અને ખૂબ જ અગવડતા પડતી હતી. ત્યારબાદ મને પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે જાણકારી મળી અને મેં આ યોજનાનું ફોર્મ ભર્યું હતું. જેથી મને આ યોજના અંતર્ગત પાકું મકાન બનાવવા માટે સરકાર તરફથી રૂ. ૧ લાખ ૨૦ હજારની સહાય મળી છે. આ સહાયની મદદથી…
Read More