કોરોના વાયરસની મહામારીમાં મેડીકલ ડીગ્રી વિના જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરનાર “બોગસ ડૉક્ટર” ને ઝડપી પાડતી મોડાસા રૂરલ પોલીસ

  હિન્દ ન્યૂઝ, મોડાસા     પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓના પત્ર ક્રમાંક:-જી-૧/કા.વ્ય./ટે-૨/કોવીડ-૧૯(ફેક ડૉક્ટર)/૨૨૯૦/૨૦૨૧ તા.૨૧/૦૫/૨૧ અન્વયે તથા અભય ચુડાસમા પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા સંજય ખરાત પોલીસ અધીક્ષક અરવલ્લી મોડાસા તથા બી.બી.બસીયા નાયબ પોલીસ અધિક્ષક મોડાસા વિભાગ મોડાસા નાઓએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડૉક્ટર પર કાયદેસર રીતે કડક હાથે કામ લેવા સુચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે એમ.બી.તોમર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન નાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા…

Read More

ડભોઈ યુવાનોને હવે કોરોના ની રસી માટે વડોદરાના ધક્કા નહીં થાય

હિન્દ ન્યૂઝ, ડભોઈ        ડભોઇ એસટી ડેપો પાસે ના ITI કેન્દ્ર ખાતે ૧૮ થી ૪૪ ની વય ધરાવતા નાગરિકો માટે વેક્સિનેશન ની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેથી ડભોઇ નગરના યુવાનો માં રસી મુકાવવા માટે વહેલી સવારથી અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.      છેલ્લા કેટલાક દિવસોથી ડભોઇ નગર ના ૧૮ થી ૪૪ વય ધરાવતા નાગરિકો માટે વેક્સિનેશન ની કામગીરી બંધ હતી. જેના કારણે ડભોઇનો યુવાવર્ગ રસી મુકવા માટે વડોદરા જતો હતો. પરંતુ આજરોજથી આરોગ્ય વિભાગ દ્વારા ડભોઇ નગરના યુવાનો માટે ITI કેન્દ્ર ખાતે અને તાલુકાના યુવાનો માટે…

Read More

સર ટી. હોસ્પિટલ ખાતે આગામી સોમવાર થી પોસ્ટ કોવિડ ઓ.પી.ડી. શરૂ કરવામાં આવશે –

હિન્દ ન્યૂઝ, ભાવનગર      કોરોના મહામારીની બીજી લહેરની ગતિ ધીમી પડી છે. ફ્રન્ટલાઇન કોરોના યોદ્ધાઓએ કરેલી અવિરત મહેનતથી કોરોના કેસોની સામે ડિસ્ચાર્જની સંખ્યા વધી છે. ત્યારે ભાવનગરની સર.ટી હોસ્પિટલના ટીમની આગવી સૂઝબૂઝ ફરી એક વખત કોરોના મુક્ત દર્દીઓની સાર સંભાળ કેવી રીતે લઈ શકાય તે માટે બહાર આવી છે.     સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીએ અજગરી ભરડો લીધો હતો. ત્યારે ગુજરાતમાં પણ બીજી લહેરમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો હતો અને હજારોની સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસો આવી રહ્યાં હતાં. ત્યારે કોઈપણ જગ્યાએ પ્રાઇવેટ કે સરકારી હોસ્પિટલમાં પણ બેડ મળવો મુશ્કેલ…

Read More

૧૮ વર્ષથી ઉપરનાં વ્યક્તિને રસી માટે યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો

હિન્દ ન્યૂઝ, ભાવનગર      કોવિડ-૧૯ માં બીજી લહેરમાં અનેક લોકોને આપણે ગુમાવ્યાં છે. વિશ્વના અનેક દેશો જ્યારે રસીકરણથી તમામ લોકોને આવરી લઈને કોરોના મુક્ત દેશ બન્યાં છે. આજે આપણી પાસે પણ કોરોનાથી બચવા બે જ વિકલ્પ છે એક માસ્ક અને બીજું જરૂરી છે રસીકરણ.      ભાવનગર જિલ્લામાં પણ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એન.સી.વેકરીયા, આર.સી.એચ.ઓ. ડો.પી.વી.રેવર, લાયઝન અધિકારી ડો.બી.પી.બોરીચાના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઇ વકાણીની સીધી દેખરેખ હેઠળ તાલુકા હેલ્થ સુપરવાઈઝર અનિલભાઈ પંડિત, ટી.એચ.વી. હસુમતીબેન ગોહિલના સુપરવિઝન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સણોસરા, સોનગઢ, ટાણા, મઢડા, ઉસરડ અર્બન હેલ્થ…

Read More

૨ વિશાળ PSA ઓક્સિજન પ્લાન્ટ ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલ ખાતે સ્થપાશે : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

હિન્દ ન્યૂઝ,ભાવનગર      કોરોના મહામારીના સેકન્ડ વેવમાં ઓક્સિજનની ઉભી થયેલી જરૂરિયાત અને ત્રીજી લહેરની નિષ્ણાતો દ્વારા વ્યક્ત થયેલી શક્યતાઓની પૂર્વ તૈયારીના ભાગરૂપે અને ભાવનગરના મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રકચરને મજબૂત કરવાં માટે, કેન્દ્રીય પોર્ટસ, શિપિંગ અને વોટરવેઝ (સ્વ.હ.), કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રી મનસુખ માંડવિયાએ ૨ વિશાળ કદના PSA ટેક્નોલોજી આધારિત ઓક્સિજન પ્લાન્ટ બનાવા માટેની જાહેરાત કરી હતી. આ જાહેરાત સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કૉમર્સ દ્વારા યોજાયેલા વેબિનારમાં કરવામાં આવી હતી.     વિશાળ કદના ૨ ઓક્સિજન પ્લાન્ટ ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલ ખાતે સ્થપાશે. આ બંને પ્લાન્ટ દીનદયાલ પોર્ટ(કંડલાપોર્ટ) દ્વારા રૂ.૨.૫-૩ કરોડના ખર્ચે સ્થપાશે…

Read More

ભાવનગર તાલુકાના અધેવાડા જળાશય વિસ્તારમાં ખેતી, અન્ય પ્રવૃતિ કે ઢોર ન ચરાવવાં અનુરોધ

હિન્દ ન્યૂઝ, ભાવનગર  કાર્યપાલક ઈજનેર, ક્ષાર અંકુશ વિભાગ, ભાવનગર દ્વારા જાહેર જનતાને જણાવાયું છે કે, ચાલુ વર્ષ-૨૦૨૧ના ચોમાસા ઋતુ દરમ્યાન ભાવનગર વિસ્તારના અધેવાડા આર.આર. જળાશય યોજનામાં ભરપૂર સપાટી એટલે કે ૧૮.૭૫ મીટરના લેવલ (એફ.એસ.એલ.) સુધી પાણી ભરાવાની શક્યતા છે. આથી, આ પરિસ્થિતિને ધ્યાને લઈ ઉપરવાસમાં જળાશય વિસ્તારમાં ખેતી તેમજ અન્ય કોઈ પ્રવૃત્તિ કરવી નહીં. તેમજ ઢોર-ઢાંખરને પણ આ વિસ્તારથી દૂર રાખવાં તથા આ યોજનાની હેઠવાસના અધેવાડા, માલણકા, તરસમિયા ગામના લોકોને ભારે પૂર વખતે સલામત સ્થળે ખસી જવા વિનંતી કરવામા આવેલ છે. બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Read More

અરવલ્લી જિલ્લા માંથી બે બોગસ ડોકટરો ઝડપાયા

હિન્દ ન્યૂઝ, અરવલ્લી  જિલ્લા એલસીબી અને એસઓજી એ એક-એક ડોકટર ઝડપ્યા મોડાસા ના વિષ્ણુપુરા અને મેઘરજ ના રામગઢી માંથી ઝડપાયા બોગસ ડોકટર  કોઈપણ ડીગ્રી વગર કરી રહ્યા હતા એલોપેથીની પ્રેક્ટિસ હિતેશ પટેલ અને જયેશ ગોર નામના બોગસ ડોકટર ને પોલીસે ઝડપી પડ્યા બંને ડોક્ટરો પાસેથી મેડિકલ સાધનો, એલોપેથી દવાઓ અને ઈન્જેકશન સહિત નો મુદ્દામાલ કરાયો જપ્ત અરવલ્લી જિલ્લામાંથી બે બોગર્સ તબીબો ઝડપાયા મોડાસાના વિષ્ણુપુરા અને મેઘરજના રામગઢીમાં થી બે બોગર્સ તબીબ ઝડપ્યા કોરોના મહામારીમાં ડીગ્રી વિના દર્દીઓના ના આરોગ્ય સાથે ચેડાં કરતા પોલીસની કાર્યવાહી અરવલ્લી LCB અને SOG પોલીસની કાર્યવાહી…

Read More

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ગુજરાત એસ. ટી. નિગમ દ્વારા અંદાજે રૂા. ૪૩ કરોડથી વધુના ખર્ચે કુલ-૧૪ બસ સ્ટેશન- વર્કશોપનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ- ખાતમૂહુર્ત સંપન્ન

હિન્દ ન્યૂઝ, ભાવનગર ભાવનગર ખાતે રૂા. ૨૨ કરોડના ખર્ચે તૈયાર થયેલ ડેપો- વર્કશોપનું પણ મુખ્યમંત્રીના હસ્તે ઇ- લોકાર્પણ : પ્રવાસન મંત્રી જવાહર ચાવડાની વિશેષ ઉપસ્થિતિ    ગુજરાતે સામાન્ય માનવીઓ માટેની પરિવહન સેવા એસ.ટી ના બસમથકોને એરપોર્ટ જેવાં અદ્યતન બસપોર્ટ તરીકે વિકસાવીને દેશમાં નવું મોડેલ પ્રસ્થાપિત કર્યુ છે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી એક જ દિવસમાં રૂ. ૨૮.૨૦ કરોડના લોકાર્પણ- રૂ. ૧૫.૫૨ કરોડના ખાતમૂર્હત સાથે કુલ રૂ. ૪૩.૭ર કરોડના વિકાસ કામોની રાજ્યની મુસાફર જનતાને ભેટ ધરતા મુખ્યમંત્રી       આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, અગાઉના જર્જરિત બસ મથકો, ખખડધજ બસોની…

Read More

કોરોના સામે લડવાં ઓક્સિજન કોન્સન્ટ્રેટરની આ સગવડ ઉપયોગી બની રહેશે – ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી

હિન્દ ન્યૂઝ, ભાવનગર       ભાવનગર જિલ્લામાં કોરોના સંક્રમણના સમયમાં અનેક સેવાભાવી લોકોએ અનેક રીતે રાજ્ય સરકાર સાથે ખભેખભો મીલાવી કાર્ય કર્યું છે. આવા જ ભાવનગરના સેવાભાવી અને જાણીતી મધુ સિલિકા કંપનીના માલિક શ્રી દર્શક રમેશભાઇ શાહ દ્વારા આજે ભાવનગરમાં કોરોનાના ગંભીર દર્દીઓની સારવાર માટે ૧૦ લીટર પ્રતિ મિનિટની ક્ષમતાના ૧૮ ઓક્સિજન કોન્સન્ટ્રેટર આપ્યા છે.    ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીની અપીલને પગલે મધુ સિલિકા કંપની તરફથી રૂા. ૧૫ લાખથી વધુની કિંમતના ૧૮ ઓક્સિજન કોન્સન્ટ્રેટર સર ટી. હોસ્પિટલને અર્પણ કર્યા હતાં. ભાવનગર મેડિકલ કોલેજ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સર ટી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.…

Read More

નડિયાદ વોર્ડ નંબર ૮, દેસાઈ સંસ્કાર કેન્દ્ર ખાતે વિસ્તારના ત્યકતા અને ગંગા સ્વરૂપ માતા-બહેનોને માસ્ક, સેનેટાઇઝર અને રેશનકીટનું વિતરણ કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, નડિયાદ  જે બાળકોના માતા-પિતાનું કોરોનાના કારણે અવસાન થયું છે તેવા બાળકો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે જાહેર કરેલ યોજનાઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જાહેર કરવામાં આવેલ સહાય યોજના • બાળકોના નામે ફિક્સ ડિપોઝીટ : દરેક બાળક 18 વર્ષનું થાય ત્યારે તેને 10 લાખ રૂપિયા મળી રહે તે માટે પીએમ કેર્સ આ માટેની વિશેષ યોજનામાં યોગદાન આપશે. તેનો ઉપયોગ બાળક 18 વર્ષનું થાય ત્યારથી માસિક આર્થિક સહકાર / સ્ટાઇપેન્ડના સ્વરૂપમાં આગામી પાંચ વર્ષ સુધી અપાશે જેથી જે તે બાળકની ઉચ્ચ શિક્ષણ માટેની અંગત જરૂરિયાત પૂરી કરી શકાય અને તે…

Read More