જામનગર કે.વી.રોડ ખાતે “શ્રી અંગારક વ્રત પૂજન” નું આયોજન કરવામાં આવ્યું હતું

શ્રી સૂર્યદેવને ગ્રહ મંડળના રાજા કહેવાય છે. પરંતુ સાંસારિક સુખ માટે શ્રી મંગળના ગ્રહ દેવતા જેને “અંગારક” કહેવાય છે. તે જ શ્રેષ્ઠ છે, કેમકે આયુ, આરોગ્ય, સુખ, પુત્ર પ્રાપ્તિ માટે તેની કૃપા અનિવાર્ય માનવામાં આવે છે. શ્રી અંગારક ઋણહર્તા એવં પુત્રસંતાન કારક છે. કપાલી જિયો કોસ્મિક રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા માગશર શુક્લ ભૌમવારે(મંગળવાર) શ્રી દયાશંકર બ્રહ્મ પુરી કે.વી.રોડ ખાતે “શ્રી અંગારક વ્રત પૂજન” નું આયોજન કરવામાં આવ્યું હતું. સુશ્રી.વિનીતા જોશી દ્વારા વિશિષ્ટ સ્કંદ પુરાણમાં ઉલ્લેખન કરવામાં આવ્યું. આ વ્રતના સમાપનમાં યજમાનો પાસે ત્રણ રેખાઓને ઉન્માર્જિત કરવામાં આવી હતી. જેથી દુઃખ, દારિદ્ર્ય…

Read More

ગોંડલ પાસે ર૭ લાખનો દારૂ ભરેલ કન્‍ટેનર પકડાયું

દારૂ અને ટેન્‍કર સહિત ૩૪ લાખનો મુદ્દામાલ કબ્‍જે : હરીયાણાની દારૂ ભરેલ ટેન્‍કરનો ડ્રાઇવર રાજસ્‍થાનની વિજય શર્માએ સંભાળ્‍યો’તો અને જુનાગઢ પંથકમાં આપવાનો હતો : તપાસ એલસીબીને સોપાઇ   શિયાળાની ઠંડકમાં પ્‍યાસીઓના કોઠા ગરમ કરવા બુટલેગરોએ દોડધામ શરૂ કરી હોય તેવામાં ગોંડલ હાઇવે પર સ્‍ટેટ વિજિલન્‍સ ટીમે વિદેશી દારૂનો જથ્‍થો ભરેલ કન્‍ટેનર પકડી પડી રૂ. ૩3,95,700 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરતા બુટલેગરોમાં ફફડાટ વ્‍યાપી જવા પામ્‍યો છે. પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ઉમવાડા ચોકડી પાસે સ્‍ટેટ વિજિલન્‍સ ટીમે હરિયાણા પાસિંગની ણ્‍ય્‍૭૪ ખ્‍ ૬૬૦૧ ઉપર શંકા જતા તલાશી…

Read More

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વોર્ડ નં.૪માં અંદાજીત રૂ/-૩૯.૯૧ લાખના ખર્ચે બનનારા રસ્તાના કામનું ખાતમુહર્ત કરી લોકોની સુખાકારીમાં વધારો કરતાં રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજા

જામનગર તા. ૧૩ ડિસેમ્બર, અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાએ આજરોજ શહેરના મહાનગરપાલિકાના વોર્ડ નં.૪માં ઈન્દિરા સોસાયટી ૭/એ અને સાંઇ પાનથી ખડખડનગર સ્કુલ મેઈન રોડ વાયા એસ.ટી.પી. રોડ પાસે સી.સી.રોડ/સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ.૩૯.૯૧ લાખના ખર્ચે બનનારા રસ્તાના કામનું ખાતમુહર્ત કરી લોકોની સુખાકારીમાં વધારો કરવાના વિકાસ કાર્યનો શુભારંભ કરાવેલ હતો. આ વિકાસ કાર્ય સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના-૨૦૧૯/૨૦ની મુખ્યમંત્રી શહેરી સડક યોજનાની ગ્રાન્ટ અંતર્ગત થનાર છે. આ તકે તેમની સાથે મેયરશ્રી હસમુખભાઈ જેઠવા, જામનગર મહાનગરપાલીકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી સુભાષ જોષી, દંડકશ્રી જડીબેન, શહેર ભાજપ મહામંત્રીશ્રી વિમલભાઇ કગથરા, વોર્ડના…

Read More

જામનગરમાં વિકાસના વિવિધ આયામોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાવતા કૃષિમંત્રી આર.સી.ફળદુ

જામનગર મહાનગરપાલિકાના વિવિધ વોર્ડમાં અંદાજીત રૂ.૧૧૧.૫૪ લાખનાં ખર્ચે બનનારા રસ્તાના કામોનું ખાતમુહર્ત કરી લોકોની સુખાકારીમાં વધારો કરતાં કૃષિમંત્રીશ્રી આર.સી.ફળદુ   જામનગર તા.૧૩ ડિસેમ્બર, ગુજરાત રાજયના કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુએ આજરોજ જામનગર શહેરના મહાનગરપાલિકાના વોર્ડ નં.૮માં જનતા સોસાયટી, કોમન પ્લોટમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ/-૩.૫૦ લાખ, હરીયા કોલેજ પાછળ, કૈલાશ નગર શેરી નં.૪માં આવેલ કોમન પ્લોટમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ/-૩.૫૫ લાખ,નારાયણ નગર કોમન પ્લોટમાં  આગળ તેમજ સાઈડના ભાગમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ/-૪.૦૨ લાખ,વ્રજધામ સોસાયટી શેરી નં.૧-૨માં સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ/-૪.૯૭ લાખ, વોર્ડ નં.૧૫માં સુભાષ પાર્ક પાસે,કેનાલના કાંઠે મેઈન દુકાનવાળા રોડ પર સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ…

Read More

પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાનો રાજકોટ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ 

રાજકોટ તા. ૧૩ ડિસેમ્બર – પાણીપુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા તા. ૧૪ ડીસેમ્બરે સવારે ૯:૦૦ કલાકે લીંબડી ખાતેનાં જિલ્લા કક્ષાનાં ખેલ મહાકુંભ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મંત્રીશ્રી બાવળિયા તા. ૧૫ ડિસેમ્બરે સવારે ૯:૧૫ કલાકે રાજકોટ જિલ્લાના વીંછીયા તાલુકાના જનડા ગામ ખાતે એ.ટી.વી.ટી. યોજના હેઠળ નિર્માણ થનારા વિકાસકામો જેવા કે  બગલીયાપરા પાણીનો ટાંકો, ભૂગર્ભ ગટર તેમજ સી.સી. રોડના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તા. ૧૬ ડિસેમ્બરે મંત્રીશ્રી બાવળિયા ડોળીયા ખાતે આયોજિત રેલીમાં ઉપસ્થિત રહેશે.

Read More

મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયાનો રાજકોટ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ 

રાજકોટ, તા.૧૩ ડીસેમ્બર- અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયા તા.૧૪ થી ૧૬ સુધી રાજકોટ જિલ્લાના પ્રવાસ પર છે. જે અંતર્ગત શ્રી જયેશભાઈ રાદડિયા તા.૧૪-૧૨-૨૦૧૯ને શનિવારે રોજ સવારે ૯ કલાકે રાજકોટ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ – ૨૦૧૯ના ઈનામ વિતરણ કાર્યક્રમના અઘ્યક્ષશ્રી તરીકે વીર સાવરકર ઈન્ડોર સ્ટેડિયમ, રાજકોટ ખાતે ઉપસ્થિત રહેશે. મંત્રીશ્રી રાદડિયા ૧૫ ડીસેમ્બરે સવારે ૯ કલાકે શ્રી રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપ.બેન્ક દ્વારા આયોજિત કાર્યક્રમમાં અને બપોરના ૩ કલાકે જેતપુરના રબારી સમાજ દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેશે. મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયા ૧૬ ડીસેમ્બરના રોજ મતવિસ્તાર ખાતે રોકાણ કરીને અનુકૂળતાએ…

Read More

ધ્રોલના જાયવા ગામના રૂદ્વારાજને મળ્યું નવજીવન

જામનગર, પ્રજાવત્સલ અને દરેક વર્ગ માટે સંવેદનશીલ એવી રાજ્ય સરકાર પ્રજાની સુખાકારી માટે સતત નવા પગલાં ભરતી રહી છે. આરોગ્ય, શિક્ષણ અને આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવી હંમેશા લોકોની ખુશાલી માટે નિમિત્ત બનતાં રાજ્ય સરકારનાં વિવિધ વિભાગો અને તેની કલ્યાણકારી યોજનાઓના માધ્યમથકી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના સંવેદનશીલ અભિગમ અને નેતૃત્વનો સંકલ્પ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે. સમાજનાં બાળકો, યુવાનો હોય કે વૃધ્ધો એટલે કે સમાજનું ભવિષ્ય, વર્તમાન નિર્માતાઓ કે અનુભવી ભવ્ય વારસો રાજ્ય સરકાર સતત તેમને પ્રોત્સાહિત કરી, તેમનું ઘડતર અને જાળવણી થાય તેની ચિંતા કરે છે. સમાજનું ભવિષ્ય એવા બાળકો આવતીકાલનો પાયો…

Read More

ગામદીઠ એક ખેડૂત પ્રતિનિધિને માસ્ટર ટ્રેનર તરીકે તાલીમ આપી તેમના દ્વારા અન્ય ખેડૂતોને શીખવવામાં આવશે પ્રાકૃતિક ખેતીના પાઠ

જામનગર, તા.૫/૧૨/૧૯ થી સાત દિવસ સુધી રાજ્યભરમાં શરૂ થયેલ પ્રાકૃતિક ખેતી અંગેનું વડતાલ ખાતેથી જીવંત પ્રસારણ રાજ્યના તમામ જિલ્લામાં કરવામાં આવેલ હતું. આ દરમ્યાન જામનગર જીલ્લાના ઘૂનડા ગામે સંતશ્રી જેન્તીરામ બાપા આશ્રમ ખાતે ગત તારીખ ૦૫ ડીસેમ્બર થી ૧૧ ડીસેમ્બર દરમ્યાન પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યશાળાનું આયોજન આત્મા પ્રોજેક્ટ જામનગર દ્વારા કરવામાં આવ્યું હતું. પદ્મશ્રી સુભાષ પાલેકર પ્રેરિત પ્રાકૃતિક ખેતી વિષય પર માર્ગદર્શન માટે યોજાયેલા આ વર્કશોપમાં પ્રાકૃતિક કૃષિ દ્વારા ખેતી ખર્ચમાં ઘટાડો કરી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થાય તે માટે તાલીમ આપવામાં આવી હતી. આ સેમીનારમાં જામનગર જિલ્લાના ખેડૂતો બહોળી સંખ્યામાં…

Read More

સમગ્ર ગુજરાતમાંથી ફકત રાજકોટની આઇ.ટી.આઇમાં રૂ. ૮૦ લાખના ખર્ચે સેમસંગ ટેકનિકલ સ્કુલના સહયોગથી વિદ્યાર્થીઓને અપાઈ રહ્યું છે વિશિષ્ટ કૌશલ્ય

ગુજરાતના મોટા શહેરોમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગરનો સમાવેશ થાય છે. વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરોની ફોર્બ્સની સૂચિમાં અમદાવાદ અને રાજકોટનો સમાવેશ થઈ રહ્યો છે. ગુજરાત ઓદ્યોગિક, વ્યાપારીક, સેવાકીય અને શૈક્ષણિક દ્રષ્ટિએ સમૃદ્ધ રાજ્ય છે. ત્યારે યુવાનોને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તુરંત રોજગાર મળે તેવા હેતુથી કૌશલ્ય નિર્માણના વિવિધ કાર્યક્રમોને સરકારશ્રીએ સફળતાપુર્વક અમલીકૃત કર્યા છે. રાજકોટ આઈ.ટી.આઈ કે જેની સ્થાપના વર્ષ ૧૯૫૯ માં કરવામાં આવી હતી. તેનો મહત્વનો હેતુ બદલાતા સમયના મૂલ્યને અનુરૂપ રાજ્યના આર્થિક અને સામાજિક રીતે ટકાઉ વિકાસ માટે વ્યાવસાયિક તાલીમ દ્વારા ગુણવત્તા અને ઉદ્યોગને અનુરૂપ…

Read More

વિજરખી ફાયરીંગ રેન્જમાં અવર-જવર પર પ્રતિબંધ

જામનગર, તા.૧૨ ડિસેમ્બર, તા.૨૬-૧૨-૨૦૧૯ થી તા. ૨૮-૧૨-૨૦૧૯ દિવસ- ૦૩ સુધી પોલીસ અધિક્ષકશ્રી, જામનગર હસ્તકની વિજરખી ફાયરીંગ રેંજમાં ફાયરીંગ પ્રેકટીસ હાથ ધરવામાં આવનાર હોય, તેથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જામનગર દ્વારા જાહેરનામું બહાર પાડી આ દિવસો દરમિયાન જાહેર જનતાને આ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર અધિનિયમની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Read More