મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયાનો રાજકોટ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ 

રાજકોટ, તા.૧૩ ડીસેમ્બર- અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયા તા.૧૪ થી ૧૬ સુધી રાજકોટ જિલ્લાના પ્રવાસ પર છે. જે અંતર્ગત શ્રી જયેશભાઈ રાદડિયા તા.૧૪-૧૨-૨૦૧૯ને શનિવારે રોજ સવારે ૯ કલાકે રાજકોટ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ – ૨૦૧૯ના ઈનામ વિતરણ કાર્યક્રમના અઘ્યક્ષશ્રી તરીકે વીર સાવરકર ઈન્ડોર સ્ટેડિયમ, રાજકોટ ખાતે ઉપસ્થિત રહેશે. મંત્રીશ્રી રાદડિયા ૧૫ ડીસેમ્બરે સવારે ૯ કલાકે શ્રી રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપ.બેન્ક દ્વારા આયોજિત કાર્યક્રમમાં અને બપોરના ૩ કલાકે જેતપુરના રબારી સમાજ દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેશે. મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયા ૧૬ ડીસેમ્બરના રોજ મતવિસ્તાર ખાતે રોકાણ કરીને અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે.

Related posts

Leave a Comment