હિન્દ ન્યુઝ, આણંદ લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત તા. ૦૭ મે ૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે.મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે ચૂંટણી કાયદા,આચારસંહિતા અને ચૂંટણી આયોગની સુચનાનો ભંગ કરતા શોર્ટ મેસેજ પર પ્રસારીત થતા અટકાવવા જિલ્લા મેજીસ્ટ્રેટ આણંદ દ્વારા પ્રતિબંધ દર્શવાતો હુકમ કર્યો છે. જે અન્વયે કોઈપણ રાજકિય પક્ષ,ઉમેદવાર,તેના ચૂંટણી એજન્ટ,કાર્યકરો કે સમર્થકોએ કે અન્ય કોઈ વ્યક્તિએ મતદાનના દિવસે એટલે કે તા. ૭ મે ૨૦૨૪ના રોજ મતદાન પુરૂ થવાના ૪૮ કલાક પહેલાથી મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી રાજકીય પ્રકારના તમામ SMSs મોકલવા પર પ્રતિબંધ કર્યો છે.…
Read MoreCategory: Politics
મતદારો મતદાનના દિવસે ચૂંટણી કાર્ડ (EPIC) અથવા અન્ય ૧૨ દસ્તાવેજો પૈકી કોઈ પણ એક ફોટો ઓળખપત્ર રજૂ કરી મતદાન કરી શકશે
હિન્દ ન્યુઝ, આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ નું મતદાન આણંદ જિલ્લામાં તારીખ ૭ મી મેના રોજ કરવામાં આવનાર છે. લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લાની લોકસભાની બેઠકની સાથે જિલ્લાની ૧૦૮ – ખંભાત વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી અન્વયે મતદાન થનાર છે. મતદાનના દિવસે એટલે કે, તા. ૭ મી મે ના રોજ મતદારોને ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ મતદાર ફોટો ઓળખ કાર્ડ -(ચૂંટણી કાર્ડ) EPIC રજૂ કરી મતદાન કરવાનું હોય છે. મતદાનના દિવસે જે મતદારો ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ મતદાર ફોટો ઓળખ કાર્ડ – EPIC રજૂ ન કરી શકે તો…
Read Moreતા.૭ મી મે ના રોજ લોકશાહીના પર્વમાં મતદાન અવશ્ય કરો – જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી
હિન્દ ન્યુઝ, આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ નું મતદાન આણંદ જિલ્લામાં ત્રીજા તબક્કામાં ૭ મી તારીખના મંગળવાર ના રોજ યોજાનાર છે. ચૂંટણીના દિવસે મતદાનનો સમય સવારે ૭-૦૦ કલાકથી સાંજના ૬-૦૦ કલાક સુધીનો છે. વહેલી સવારના ઠંડકના સમયમાં વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ અપીલ કરી છે. આણંદ જિલ્લામાં યોજાનાર લોકશાહીના પર્વમાં મતદારો પોતાનું બહુમૂલ્ય યોગદાન આપી મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ અપીલ કરતાં જણાવ્યું છે કે, બી.એલ.ઓ. દ્વારા ઘરે-ઘરે ફરીને કાપલીઓ આપવામાં આવી રહી છે. જે કાપલીમાં તમારું…
Read Moreમતદાનના દિવસે સંભવિત હીટવેવની અસર સામે સજ્જ આણંદનો આરોગ્ય વિભાગ
હિન્દ ન્યુઝ, આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન યોજાનાર છે. મતદાનને ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે આણંદ જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા જરૂરી તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચુક્યો છે. ગુજરાતમાં તા. ૦૭ મેના રોજ યોજાનાર મતદાનના દિવસે સંભવિત હીટવેવની અસર સામે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાનો આરોગ્ય વિભાગ જરૂરી તમામ વ્યવસ્થાઓ સાથે સુસજ્જ છે. ચૂંટણીને અનુલક્ષીને આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા વિશે હીટ વેવ ના નોડલ ઓફિસર અને જિલ્લા…
Read Moreઆણંદ જિલ્લાના મતદારોને ગમે તેટલો તાપ પડે તો પણ ૧૦૦ ટકા મતદાન કરવા અપીલ કરતાં પેટલાદના દાદા ગંગારામજી કિન્નર અખાડાના દાનાકુંવર પૂજાકુંવર
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટલાદ ખાતે મદદનીશ ચૂંટણી અધિકારી પી. આર. જાની દ્વારા ત્રીજી જાતિના મતદારોના સહયોગથી મતદાર જાગૃતિના અનેકવિધ કાર્યક્રમો યોજાયા છે. આણંદ લોકસભા સામાન્ય ચૂંટણીમાં સમગ્ર જિલ્લામાં કુલ ૧૩૧ થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે. જે પૈકી ૧૧૩-પેટલાદ વિધાનસભા મતદાર વિભાગમાં સૌથી વધુ ૧૦૯ થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે. જયારે ૧૦૯-બોરસદ, ૧૧૧-ઉમરેઠ અને ૧૧૪-સોજીત્રા મતદાર વિભાગમાં ૬-૬ અને ૧૧૨-આણંદ મતદાર વિભાગમાં ૪ થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે. આ તમામ થર્ડ જેન્ડર મતદારો આગામી તા.૭ મે ના મંગળવારના રોજ પોતાના મતાધિકારનો ઉપયોગ…
Read Moreમતદાન મથકો ખાતે ટાંકણીથી લઈને લખવા માટેના ફુલ સ્કેપ કાગળ સહિત નાનામાં નાની ૨૦૦ જેટલી સામગ્રીઓની જરૂર રહે છે
હિન્દ ન્યુઝ, આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત ૭ મી તારીખે મતદાન યોજાનાર છે, ત્યારે આણંદ જિલ્લાના ૧૭૭૩ મતદાન મથકો ઉપર ચૂંટણી પ્રક્રિયા માટે ઉપયોગમાં લેવાતી જરૂરી તમામ લેખન, સાધન-સામગ્રીની જરૂરીયાત રહે છે. જેને ધ્યાને લઈ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ તમામ નાનામાં નાની જરૂરી લેખન, સાધન – સામગ્રી પહોંચાડવામાં આવે છે. જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી ખાતેથી મળેલી માહિતી અનુસાર મતદાન મથકો ખાતે સેફટી પિન્સ, અવિલોપ્ય શાહીની બોટલ રાખવા માટેનું ટીન, દિવાસળીની પેટી, બ્લેડ, રબર બેન્ડ, બોલ પોઇન્ટ પેન અને રીફીલ, મતદાન સામગ્રી રાખવા માટે હેન્ડલવાળું…
Read More૧૩-જૂનાગઢ લોકસભા મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર મોહંમદ જુબેર અલી હાશમીની ઉપસ્થિતિમાં માઈક્રો ઓબ્ઝર્વર અને પોલિંગ સ્ટાફનું થર્ડ રેન્ડમાઈઝેશન
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે ૧૩-જૂનાગઢ લોકસભા મતવિસ્તાર માટે આજે પ્રાંત કચેરી વેરાવળ ખાતે જૂનાગઢ લોકસભા મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર મોહંમદ જુબેર અલી હાશમીની ઉપસ્થિતિમાં માઈક્રો ઓબ્ઝર્વર અને પોલિંગ સ્ટાફનું થર્ડ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું. ચૂંટણીપંચની ગાઈડલાઈન મુજબ જિલ્લામાં સમાવિષ્ટ ૯૦- સોમનાથ, ૯૧-તાલાલા, ૯૨-કોડિનાર અને ૯૩-ઉના એક કુલ ૪ વિધાનસભા વિસ્તાર માટે સોફ્ટવેર દ્વારા માઈક્રો ઓબ્ઝર્વર અને પોલિંગ સ્ટાફનું થર્ડ રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ રેન્ડમાઇઝેશનને આધારે કયા માઈક્રો ઓબ્ઝર્વર અને પોલિંગ સ્ટાફ કયા મતવિભાગમાં, કઇ જગ્યાએ કાર્ય કરશે તે નક્કી થાય છે. આ રેન્ડમાઇઝેશન વખતે જિલ્લા…
Read Moreગીર સોમનાથ જિલ્લામાં લોકશાહીના ઢોલ ઢબૂક્યા
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ લોકશાહીના મહાપર્વ એવી લોકસભા સામાન્ય ચૂંટણીના ઢોલ ઢબૂકી રહ્યાં છે. ત્યારે લોકશાહીના મહોત્સવને વધાવવા માટે મતદારોમાં થનગનાટ પણ વધી રહ્યો છે. મતદારોના ઉમંગ-ઉત્સાહને વધુ બળ આપવાના ઉદ્દેશ્યથી સમગ્ર રાજ્યમાં યોજાયેલી ‘રન ફોર વોટ’ યાત્રા સાથે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં પણ વિવિધ જગ્યાઓએ મતદાર જાગૃતિ માટે ‘વોકેથોન’નું આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ઢબૂકતા ઢોલ અને શરણાઈની સૂરાવલીઓ વચ્ચે સવારે ૭.૦૦ વાગ્યે વેરાવળ ચોપાટી થી ટાવરચોક સુધીની વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં…
Read Moreભાવનગરમા મતદાન જાગૃતિ અંતર્ગત “રન ફોર વોટ” યોજાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાન જાગૃતિના ભાગરૂપે ભાવનગર ખાતે ગુલિસ્તા મેદાન ખાતેથી યોજાયેલ “રન ફોર વોટ” ને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આર. કે. મહેતાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. “રન ફોર વોટ”નો પ્રારંભ ગુલિસ્તા મેદાનથી આતાભાઈ ચોક-સંસ્કાર મંડળ-વેલિંગટન સર્કલ-સેન્ટ્રલ સોલ્ટથી ફરી ગુલિસ્તા મેદાનના રુટ મા “રન ફોર વોટ” અંતર્ગત અચૂક મતદાનના સંદેશ સાથે બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત સૌ એ અવશ્ય મતદાન કરવાના શપથ લીધા હતા. આ તકે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર. કે. મહેતા એ જણાવ્યું હતું કે આગામી તા. 7 મે…
Read Moreજામનગરમાં મતદાન જાગૃતિ અંતર્ગત રન ફોર વોટ કેમ્પેઇન યોજાયું
હિન્દ ન્યુઝ, જામનગર આગામી તા.7 મે ના રોજ ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત મતદાન યોજવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે દિશામાં મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે જામનગરમાં તા.5મે ના રોજ સવારે 7 વાગ્યે અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન (ક્રિકેટ બંગલો) ખાતેથી રન ફોર વોટ કેમ્પેઇન અંતર્ગત રેલી યોજવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટર બી. કે પંડયા સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં મતદાન જાગૃતિલક્ષી સંદેશાઓ જેવાકે, મતદાન દરેક નાગરિકની ફરજ, મતદાન જરૂર કરો, મારો મત મારો અધિકાર,…
Read More