હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે ૧૩-જૂનાગઢ લોકસભા મતવિસ્તાર માટે આજે પ્રાંત કચેરી વેરાવળ ખાતે જૂનાગઢ લોકસભા મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર મોહંમદ જુબેર અલી હાશમીની ઉપસ્થિતિમાં માઈક્રો ઓબ્ઝર્વર અને પોલિંગ સ્ટાફનું થર્ડ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું.
ચૂંટણીપંચની ગાઈડલાઈન મુજબ જિલ્લામાં સમાવિષ્ટ ૯૦- સોમનાથ, ૯૧-તાલાલા, ૯૨-કોડિનાર અને ૯૩-ઉના એક કુલ ૪ વિધાનસભા વિસ્તાર માટે સોફ્ટવેર દ્વારા માઈક્રો ઓબ્ઝર્વર અને પોલિંગ સ્ટાફનું થર્ડ રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ રેન્ડમાઇઝેશનને આધારે કયા માઈક્રો ઓબ્ઝર્વર અને પોલિંગ સ્ટાફ કયા મતવિભાગમાં, કઇ જગ્યાએ કાર્ય કરશે તે નક્કી થાય છે.
આ રેન્ડમાઇઝેશન વખતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા, અધિક નિવાસી કલેક્ટર આર.જી.આલ, નાયબ ચૂંટણી અધિકારી પલ્લવીબહેન બારૈયા અને ચૂંટણી સાથે સંકળાયેલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.