હિન્દ ન્યુઝ, ભાવનગર
લક્ષ્મણદેવસિંહ ગોહિલ ઘોઘા તાલુકાના અવાણીયા ગામના એક પ્રગતિશીલ ખેડૂત છે. છેલ્લા ૪ વર્ષથી તેઓ પ્રાકૃતિક ખેતી દ્વારા ઉપજ મેળવી રહ્યા છે. આ ઉપજ દ્વારા મૂલ્યવર્ધન થાય છે. લક્ષ્મણદેવસિંહનું કહેવું છે કે આ ઉપજના વેચાણ દ્વારા તેમને ખૂબ ફાયદો થાય છે.
ઉલ્લેખનીય છે કે અવાણીયા ગામ મરચીના વાવેતર માટે પ્રખ્યાત છે. લક્ષ્મણદેવસિંહ પણ મરચીનો પાક ઉગાડી તેનું વેચાણ ખેતરમાં જ કરે છે. તેઓ જણાવે છે કે પ્રાકૃતિક ખેતી શરુ કર્યા બાદ આવક બમણી થઈ છે અને ખર્ચ ઓછો થયો છે. જેથી બીજા ખેડૂતભાઇઓએ પણ પ્રાકૃતિક ખેતી શરુ કરવી જોઇએ.