ગાંધીનગર શહેરના 62મા સ્થાપના દિવસની ઉજવણી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     ગાંધીનગર શહેરના 62મા સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત શ્રી અરુણોદય સેવા ટ્રસ્ટ – ગાંધીનગર દ્વારા આયોજિત વિશેષ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા કલેક્ટરશ્રી રવિન્દ્ર ખતાલે ઉપસ્થિત રહ્યા હતા.  જી.ઈ.બી. થર્મલ પાવર સ્ટેશન ખાતે સ્થિત વી.આઈ.પી. ગેસ્ટહાઉસ ખાતે જ્યાં નગરની પ્રથમ ઈંટ મૂકાઈ હતી તે ઐતિહાસિક સ્થળે તક્તીપૂજન સાથે કલેક્ટરશ્રીએ સમગ્ર ગાંધીનગર પરિવારને શહેરના સ્થાપના દિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. 

Read More

વડોદરા જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા પશુઓમાં રસીકરણ, કૃમિનાશક દવાઓનું વિતરણ અને બીમાર પશુઓની સારવાર માટે વિશેષ ઝુંબેશ

હિન્દ ન્યુઝ, વડોદરા     વડોદરા જિલ્લામાં વરસાદી પાણી ઓસરતા પશુપાલન વિભાગ દ્વારા પશુધનની સુરક્ષા અને આરોગ્યની જાળવણી માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ જિલ્લાભરમાં વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે વિવિધ તાલુકાઓમાં સર્વે, રસીકરણ, કૃમિનાશક દવાઓનું વિતરણ અને બીમાર પશુઓની સ્થળ પર જ સારવાર કરવામાં આવી રહી છે. તાલુકાવાર હાથ ધરાયેલી મુખ્ય કામગીરી અંતર્ગત સાવલી તાલુકામાં મુવાલ, મોટા મોતીપુરા-પ્રતાપનગર અને વસંતપુરા ગામોમાં પશુ દવાખાના સાવલી અને ટીમ દ્વારા સર્વે હાથ ધરીને જરૂરી રસીકરણ તથા કૃમિનાશક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ પશુપાલકોને આપત્તિ સમયની…

Read More

જસ્કી ગામના અસરગ્રસ્ત પરિવારોની રૂબરૂ મુલાકાતા લેતા- કલેકટર ગાર્ગી જૈન

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     છોટાઉદેપુર જિલ્લામાં હાલ સતત વરસાદ વરસી રહ્યો છે.છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જસ્કી અને ધનીયાઉમરવા વિસ્તાર વરસાદથી અસરગ્રસ્ત થયા છે.આ અસરગ્રસ્ત વિસ્તારોની કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા સર્વગ્રાહી મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે અતિભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિ અને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી રાહત તથા બચાવ કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ ભારે વરસાદને કારણે જસ્કી ગામ ખાતે રસ્તાનો એપ્રોચ ધોવાઈ જવાની ઘટનાની સ્થળ પર પહોંચીને ગંભીરતાપૂર્વક નોંધ લીધી હતી. આ સાથે જ તેમણે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોના ઘરોની રૂબરૂ…

Read More

સાવલી પંથકમાં ભારે વરસાદ બાદ વિવિધ વિસ્તારોમાં નગરપાલીકા દ્વારા સઘન સફાઇ અભિયાન

હિન્દ ન્યુઝ, સાવલી      વડોદરા જિલ્લાના સાવલી પંથકમાં ભારે વરસાદ બાદ વિવિધ વિસ્તારોમાંથી પાણી ઓસરતાં જ નાગરિકોના આરોગ્ય અને સુવિધાને ધ્યાને રાખીને સાવલી નગરપાલિકા તંત્ર દ્વારા યુદ્ધધોરણે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. પાણી ભરાવાના કારણે માર્ગો પર જમા થયેલ કાદવ-કચરાનો તાત્કાલિક નિકાલ કરવામાં આવી રહ્યો છે. જેથી રોગચાળો ન ફેલાય અને વાહનવ્યવહાર પૂર્વવત કરી શકાય. અસરગ્રસ્ત વિસ્તારોમાં સાવલી મેઇન બજાર, બારોટવાગા વિસ્તાર, ભીમનાથ મંદિર પોઇચા ચોકડી જેવા વિસ્તારોમાં સાવલી નગરપાલિકા તંત્ર દ્વારા ઝુંબેશરૂપે સફાઇ અભિયાન હાથ ધરાયું છે.  

Read More

ડભોઇ તાલુકાનું ઐતિહાસિક તેન તળાવ વર્ષો બાદ પાણી ભરાયું. ગ્રામજનોમાં ખુશીનો માહોલ

હિન્દ ન્યુઝ, ડભોઇ વરસાદના પરિણામે ડભોઇ તાલુકાનું ઐતિહાસિક તેન તળાવ વર્ષો બાદ ફરી પાણીથી ભરાઈ જતાં ગ્રામજનોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત તળાવમાં પાણીથી ભરાતા સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. ઐતિહાસિક મહત્વ ધરાવતા આ તળાવમાં પાણીની આવક થતાં આસપાસના વિસ્તારનું સૌંદર્ય પણ વધી ગયું છે. તાજેતરમાં તળાવના પગથિયાંના સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાથી હવે તળાવ વધુ આકર્ષક બન્યું છે. તળાવમાં પાણીની સારી આવકથી વિસ્તારના પર્યાવરણને પણ લાભ થશે અને આ ઐતિહાસિક સ્થળ ફરી જીવંત બન્યું છે.

Read More

જામનગર જિલ્લામાં જળાશયો અને વરસાદની હાલની સ્થિતિ

હિન્દ ન્યુઝ, જામનગર       સિંચાઈ વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ ઉમિયાસાગર ડેમ 54.69% જ્યારે રણજીતસાગર ડેમ 36.13% ભરાયો; જિલ્લાના 25 મુખ્ય જળાશયોમાં કુલ 1,510.32 Mcft પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 11.51 ટકા જેટલો છે. જિલ્લા કલેક્ટર પી.બી.પંડયાના માર્ગદર્શન હેઠળ સિંચાઈ વિભાગ દ્વારા તમામ જળાશયોની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ચાલુ સીઝનમાં જિલ્લામાં સરેરાશ 7.7 ઈંચ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ જામજોધપુર તાલુકામાં 11.37 ઈંચ વરસાદ નોંધાયો છે.

Read More

હડફ ડેમમાંથી નિયંત્રિત માત્રામાં પાણી છોડવામાં આવશે : નદી કાંઠાના ગામોના નાગરિકોને સાવચેત રહેવા અપીલ

હિન્દ ન્યુઝ, દાહોદ,       મોરવા હડફ તાલુકા સ્થિત હડફ ડેમમાં રૂલ લેવલ જાળવી રાખવા માટે આજ રોજ તા. ૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે ડેમનો ૧ ગેટ ૦.૫ ફૂટ સુધી ખોલી અંદાજિત ૬૨૩ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવશે. આ અંગે સંબંધિત વિભાગો તથા અધિકારીઓને જરૂરી જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કિનારે આવેલા તમામ ગામોના નાગરિકોને ખાસ સાવચેત રહેવા અપીલ કરવામાં આવે છે. નદીમાં પાણીના પ્રવાહમાં વધારો થવાની શક્યતા હોવાથી કોઈપણ વ્યક્તિએ નદી કાંઠે જવું નહીં તેમજ નદીમાં પ્રવેશ કરવો નહીં.  પશુઓને…

Read More

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે નવસારી જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લઈ ભારે વરસાદની પરિસ્થિતિની સમીક્ષા કરી

હિન્દ ન્યુઝ,      નવસારી જિલ્લામાં તેમજ ઉપરવાસ અને ડાંગ જિલ્લામાં પડી રહેલા અતિભારે વરસાદની પરિસ્થિતિને પગલે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે આજે નવસારી જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લઈ વરસાદની સ્થિતિ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી રાહત, બચાવ અને પૂર્વ સાવચેતીની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. આ બેઠકમાં રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.          જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ કેન્દ્રીય મંત્રીશ્રી, આદિજાતિ વિકાસ મંત્રી તથા ઉપસ્થિત મહાનુભાવોને નવસારી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદની સ્થિતિ અંગે વિગતવાર માહિતી…

Read More

નવસારી ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ બાદ સફાઈ, દવા છંટકાવ અને ક્લોરીનેશનની કામગીરી શરુ

હિન્દ ન્યુઝ, નવસારી     નવસારી જિલ્લામાં ભારે વરસાદના પાણી ઓસર્યા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં જન આરોગ્યને ધ્યાનમાં રાખીને સફાઈ, દવા છંટકાવ અને પીવાના પાણીના સ્ત્રોતોમાં ક્લોરીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નવસારી જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ગ્રામ પંચાયતો, આરોગ્ય વિભાગ અને સંબંધિત વિભાગોના સંકલનથી આ કામગીરી ઝુંબેશના સ્વરૂપે શરૂ કરવામાં આવી છે. અસરગ્રસ્ત ગામોમાં રસ્તાઓ, જાહેર સ્થળો અને પાણી ભરાયેલા વિસ્તારોની સફાઈ ઉપરાંત જંતુનાશક દવાનો છંટકાવ તથા પીવાના પાણીની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને પણ સ્વચ્છતા…

Read More

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે રામજી મંદિર અને ભક્તાશ્રમ ખાતે આશ્રયસ્થાનની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, નવસારી     નવસારી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં થયેલા અતિભારે વરસાદને પગલે સુરક્ષાના ભાગરૂપે સ્થળાંતર કરાયેલા નાગરિકો માટે નવસારી શહેરના રામજી મંદિર અને ભક્તાશ્રમ ખાતે કાર્યરત આશ્રયસ્થાનની આજે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ તથા રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે મુલાકાત લીધી હતી.             મંત્રીશ્રીઓએ આશ્રયસ્થાનમાં રહેતા સ્થળાંતરિત પરિવારો સાથે રૂબરૂ મુલાકાત કરી તેમની સુખાકારી અંગે પૂછપરછ કરી હતી તેમજ આશ્રયસ્થાનમાં ઉપલબ્ધ રહેઠાણ, ભોજન, પીવાના પાણી, આરોગ્ય અને અન્ય જરૂરી સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. તેમણે અસરગ્રસ્ત નાગરિકોને જરૂરી તમામ સહાય સમયસર અને…

Read More