હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, છોટાઉદેપુર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા તથા તેમના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે અમલમાં રહેલી “વ્હાલી દીકરી યોજના” અંગે મહિલા સરપંચો સાથે સહાયતા ઝુંબેશ અને યોજનાકીય જાગૃતિ સંવાદનું આયોજન જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. સેમીનારમાં છોટાઉદેપુર, કવાંટ અને જેતપુર પાવી તાલુકાની કુલ ૮૭ મહિલા સરપંચઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રમુખ માલકાબેન દ્વારા દીકરીઓના શિક્ષણનું મહત્વ સમજાવી જણાવ્યું કે “દીકરી શિક્ષિત થશે તો પરિવાર અને સમાજ બંને પ્રગતિ કરશે.” તેમણે…
Read MoreDay: February 6, 2026
સંજેલી તાલુકાના એ.પી.એમ.સી ચેરમેનના હસ્તે સંજેલી તાલુકાની ૩ નવિન આંગણવાડી કેન્દ્રનુ લોકાર્પણ કરાયું
હિન્દ ન્યુઝ, દાહોદ પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત તૈયાર થયેલી સંજેલીના તાલુકાની લુંજાના મુવાડા,ચંદાનામુવાડા અને કાવડાના મુવાડા એમ ૩ નવીન આંગણવાડીના કેન્દ્રનું સંજેલી તાલુકાના એ.પી.એમ.સી ના ચેરમેન જશુભાઇ અને સરપંચ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરપંચ સહિત મહિલા અને બાળ વિકાસ યોજના અધિકારી અને આઇ.સી.ડી.એસ. સ્ટાફ ઉપસ્થિતિ રહ્યા હતા. આ પ્રસંગે ચેરમેન એ કહ્યું હતું કે, આંગણવાડી મકાનનું નિર્માણ પ્રધાનમંત્રી આદિઆદર્શ ગ્રામ યોજના અંતર્ગત મંજૂર કરવામાં આવ્યું છે, જેનાથી બાળકોને ઉત્તમ શૈક્ષણિક તેમજ પોષણ સેવાઓ મળી રેહશે. નવા મકાનથી ગામના નાનકડા ભુલકાઓને વધુ સારી અને સુવિધાસભર…
Read Moreવેરાવળ કે.સી.સી. મેદાન ખાતે ‘સ્વદેશી મેળો’ યોજાશે
‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ હિન્દ ન્યુઝ, વેરાવળ રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાઓમાં સ્થાનિક કારીગરો, સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો, લોકલ ઉત્પાદકો તેમજ નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે માટે સ્વદેશી મેળાઓનું સમયાંતરે આયોજન થતું હોય છે. જે અંતર્ગત ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાનને લક્ષમાં લઈ કે.સી.સી મેદાન, મણીબહેન સ્કૂલની પાછળ વેરાવળ ખાતે તા.૦૮/૦૨/૨૦૨૬ થી તા.૧૫/૦૨/૨૦૨૬ સુધી સવારે ૧૦.૦૦ થી રાત્રે ૧૦.૦૦ દરમિયાન સ્વદેશી મેળો યોજાશે. સ્વદેશી ઉત્પાદનોને પ્રેરણા આપી અને ‘લોકલ ફોર વોકલ’ની વિભાવનાને પ્રાધાન્ય આપી મેળા દરમિયાન હસ્તકલા, ભરતગૂંથણ વિવિધ હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ, બાંધણી, માટીકામની…
Read Moreસોમનાથમાં મહાશિવરાત્રીના પર્વને અનુસંધાને વન-વે રૂટ અને પ્રવેશબંધી
હિન્દ ન્યુઝ, સોમનાથ બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના આંગણે મહાશિવરાત્રીનું પર્વ ઉજવવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ આવતા હોય છે. જેથી ટ્રાફિકની સમસ્યા નિવારવા તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાને જિલ્લા મેજિસ્ટ્રેટ એન.વી.ઉપાધ્યાય દ્વારા તા. ૦૯ ફેબ્રુઆરી થી લઈ અને તા. ૨૦ ફેબ્રુઆરી સુધી સોમનાથમાં વન-વે રૂટ અને પ્રવેશબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. ગીર સોમનાથ જિલ્લો સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ ધરાવતો જિલ્લો છે. મહાશિવરાત્રીના પર્વને અનુલક્ષી દેશ-વિદેશમાંથી અસંખ્ય લોકો યાત્રાધામની મુલાકાતે આવતાં હોય છે ત્યારે, જાહેરનામા અનુસાર સફારી બાયપાસ તરફથી ગુડલક સર્કલ થઈ વેણેશ્વર આવતા…
Read Moreદ્રોણેશ્વર ખાતે રાજ્ય કક્ષા ખેલ મહાકુંભ -૨૦૨૫/૨૬ યોગાસન સ્પર્ધા યોજાશે
હિન્દ ન્યુઝ, દ્રોણેશ્વર ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગીર સોમનાથ દ્વારા ખેલમહાકુંભ-૨૦૨૫/૨૬ અંતર્ગત રાજ્યકક્ષાની યોગાસનમાં વયજૂથ (ભાઈઓ/બહેનો)ની સ્પર્ધા યોજાશે. તા.૦૬-૦૨-૨૦૨૬ થી તા.૧૬-૦૨-૨૦૨૬ દરમિયાન તમામ સ્પર્ધાઓ યોજાશે. રીપોર્ટીંગ/નિવાસ અનેસ્પર્ધાનું સ્થળ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, દ્રોણેશ્વર, ગીર ગઢડા રહેશે. અં-૧૪ (બહેનો)ની સ્પર્ધાનો રિપોર્ટિંગ સમય ૦૬/૦૨/૨૦૨૬ શુક્રવાર સાંજે ૦૫ કલાકે રહેશે તેમજ સ્પર્ધાની તારીખ ૦૭/૦૨/૨૦૨૬અને ૦૮/૦૨/૨૦૨૬ રહેશે.અં-૧૭ અને ઓપનવયજૂથ(બહેનો) રિપોર્ટિંગ સમય ૦૮/૦૨/૨૦૨૬ રવિવાર સાંજે ૦૫ કલાક રહેશે તેમજ સ્પર્ધાની તારીખ ૦૯/૦૨/૨૦૨૬ અને ૧૦/૦૨/૨૦૨૬…
Read Moreઆયોજિત શિક્ષણ પે ચર્ચા કાર્યક્રમમાં સહભાગી બન્યા રાજ્યના શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા
હિન્દ ન્યુઝ, જૂનાગઢ રાજ્યના શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ આજે જૂનાગઢ આયોજિત શિક્ષણ પે ચર્ચા કાર્યક્રમમાં સહભાગી બની વિદ્યાર્થીનીઓની પરીક્ષાલક્ષી મૂંઝવણો અને તનાવ દૂર કરવા માટે પ્રેરક માર્ગદર્શન કર્યું હતું. જૂનાગઢ શહેરની આર. જે. કનેરીયા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચુલ વર્ચ્યુઅલ માધ્યમથી પરીક્ષા સંદર્ભે પ્રેરણાદાયી માર્ગદર્શન કરવાની સાથે માનવ જીવનને વધુ ઉન્નત બનાવવા માટે તલસ્પર્શી બાબતોને વણી લઇ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને પ્રેરક સંબોધન કર્યું હતું. રાજ્ય શિક્ષણ મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાએ પણ વિદ્યાર્થીઓનો ઉત્સાહવર્ધન કરવાની સાથે વિદ્યાર્થીનીઓ સાથે મુક્તમને સંવાદ સાધ્યો હતો, અને…
Read Moreડાંગ જિલ્લામાં તા. ૨૪ ફેબ્રુઆરીના રોજ યોજાશે “તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ”
હિન્દ ન્યુઝ, ડાંગ મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમના અનુસંધાને તાલુકાના પ્રજાજનોની ફરિયાદ કે પ્રશ્નોના નિવારણ માટે આગામી તા.૨૪/૨/૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યા થી શરૂ કરીને લોકો તરફથી મળેલ ફરિયાદ કે પ્રશ્નોનું નિવારણ થાય ત્યાં સુધી “તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ” ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓમા યોજવામાં આવનાર છે. નિયત કાર્યક્રમ મુજબ આહવા તાલુકાનો કાર્યક્રમ કલેક્ટર કચેરી, આહવાના સભાખંડમાં જિલ્લા પુરવઠા અધિકારી, આહવા-ડાંગના અધ્યક્ષ સ્થાને, વઘઇ તાલુકાનો કાર્યક્રમ તાલુકા સેવા સદન-વઘઇ ખાતે પ્રાંત અધિકારી, આહવા-ડાંગના અધ્યક્ષ સ્થાને, અને સુબીર તાલુકાનો કાર્યક્રમ તાલુકા સેવા સદન-સુબીર ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, આહવા-ડાંગના અધ્યક્ષ સ્થાને યોજાશે.…
Read Moreતેજસ્વિની સંસ્કૃતિ ધામ-વાસુરણા ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું કરાયુ આયોજન
હિન્દ ન્યુઝ, આહવા ‘પ્રગતિશીલ દેશ નહી હોતા ધન કે ભરે ખજાનો સે, પ્રગતિશીલ દેશ નહી હોતા મોટર વાહનો સે, પ્રગતિશીલ દેશ હોતા હૈ પ્રગતિશીલ યુવાનો સે’ આ યુક્તિને સાર્થક કરતા, ડાંગના યુવાનોની સર્વાંગીણ પ્રગતિ થાય તથા તેમના સદભાવના, સદ્વિચાર, ભાઈચારો, અને ખેલદિલીના ગુણો વિકસે તેવા આશય સાથે તેજસ્વિની સંસ્કૃતિ ધામ-વાસુરણા ખાતે ટી.પી.એલ વન ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું બે દિવસીય આયોજન કરાયુ હતું. આ ટુર્નામેન્ટમાં ડાંગના ગ્રામીણ ક્ષેત્રમાંથી ૧૬ જેટલી ટીમોએ ઉત્સાહકપૂર્વક ભાગ લીધો હતો. ફાઈનલ મેચ વાંગણ અને સાકર પાતાળની ટીમ વચ્ચે રમાઈ હતી. જેમાં વાંગણ ગામના યુવાનો વિજેતા થયા…
Read Moreકોસંબા-માંગરોલ-ઝંખવાવ પાસે વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવતું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું
હિન્દ ન્યુઝ, સુરત કોસંબા-માંગરોલ-ઝંખવાવ પાસે એમ.ડી.આર.બી. બનાવવાની કામગીરી કરવાની હોય કાયદો અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ સુરત અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ વિજય રબારીએ એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે અનુસાર તા.૧૫/૦૨/૨૦૨૬ સુધી કોસંબા-માંગરોલ-ઝંખવાવ પાસે એમ.ડી.આર.બી. બનાવવા ભારે વાહનો અને માલવાહક વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અને વૈકલ્પિક રૂટ તરીકે કોસંબા-માંગરોલ-ઝંખવાવ તરફ આવવા જવા માટે કોસંબાથી-કિમ ચોકડીથી-તડકેશ્વરથી-નાની નરોલીથી-મોસાલી ચોકડી થઈને અવાર-જવર કરવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ગણાશે.
Read Moreજિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશીએ વીબી-જી રામજી કાયદા વિશે વિસ્તૃતમાં માહિતી આપી
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં ગ્રામીણ પરિવારોને મજબૂત આજીવિકાની સુરક્ષા મળી રહે અને મૂળભૂત ગ્રામીણ માળખાગત સુવિધાઓ મજબૂત બને તે હેતુસર વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) માટે ગેરંટી (વીબી-જી રામજી) કાયદો અમલમાં આવેલો છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશીએ વીબી-જી રામજી કાયદા વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી અને કાયદા અંતર્ગતના પ્રાવધાન, વિશિષ્ટ અધિકારો, બેરોજગારી ભથ્થા સહિત ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને રોજગારના વધુ સારા અવસરો પૂરા પાડવા પ્રતિબદ્ધતા દાખવી હતી. વીબી-જી રામજીની મુખ્ય વિશિષ્ટતાઓ -૧૨૫ દિવસ રોજગારની ગેરંટી ; ગ્રામીણ સમુદાય માટે…
Read More