ઉનાળું પાકોમાં થતી જીવાતો અને નિયંત્રણ મેળવવાના ઉપાયો

હિન્દ ન્યુઝ, બોટાદ            ખેડૂતમિત્રો ચાલું વર્ષે ઉનાળું પાકોનું વાવેતર સારું એવું થયેલ છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રનાં વિસ્તારમાં મુખ્ય તલ પાકનું વાવેતર થયું છે, ત્યારબાદ મગફળી, બાજરી, મગ, અડદ, શાકભાજીનાં પાકો (ભીંડો, ગુવાર, તુરિયા, ચોળી, વિગેરે) અને ઘાસચારાનું વાવેતર થાય છે. ઉનાળું પાકોમાં પાક ઉત્પાદન સારું મળતું હોય છે જેનું મુખ્ય કારણ ઉનાળું સિઝનમાં ચોમાસું સિઝનની સરખામણીમાં રોગ અને જીવાતનું પ્રમાણ ઓછું રહે છે. તેમ છતાં ઉનાળું સિઝનમાં તાપમાન ઊંચું રહેવાના કારણે ચુસિયા પ્રકારની જીવાતો જેવી કે થ્રીપ્સ અને સફેદ માખીનો ઉપદ્રવ વધારે રહે છે.…

Read More

લૂ લાગવાનાં પ્રારંભિક લક્ષણો ઓળખો 

હિન્દ ન્યુઝ, બોટાદ                  હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી હીટવેવની આગાહી અન્વયે બોટાદ જિલ્લામાં હીટવેવથી બચવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. પ્રવર્તમાન સમયમાં આકસ્મિક રીતે વાતાવરણમાં થયેલ ફેરફારોનાં કારણે અને વધુ પડતી ગરમી(લૂ)ની અસરથી બચવા માટે જનહિતમાં લોકોનાં સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતાં, લૂથી બચાવ માટેનાં કેટલાક સરળ સૂચનો કરવામાં આવ્યા છે. જે રીતે સમગ્ર જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે ખેતરમાં કામ કરતાં શ્રમિકો, રોડકામ કરતાં તથા બાગ બગીચાનું કામ કરતાં શ્રમિકોને સન-સ્ટ્રોક (લૂ) લાગવાની શકયતા ઘણી…

Read More

શંકરા આઇ હોસ્પિટલ-મોગર અને સોની પરિવારના સહયોગથી નેત્રદાન શિબિરનું આયોજન

હિન્દ ન્યુઝ, આણંદ ઓડ સામુહિક આરોગ્ય કેન્દ્ર સરકારી દવાખાનામાં શિબિરનું આયોજન કરાયું ઓડમાં સ્વ.વિનોદચંદ્ર ભોગીલાલ સોની, પરિવારના સૌજન્યથી ભાવેશ સોની(સુદર્શન ન્યુઝ, હિન્દ ન્યૂઝ) ધ્વારા શંકરા આઈ હોસ્પિટલ-મોગર.જીલ્લા અંધાપા નિયંત્રણ સોસાયટી દ્વારા આયોજીત મફત આંખની તપાસ,મફત મોતીયાનાં ઓપરેશનનો કેમ્પ         ઓડમાં તારીખ ૨૦ માર્ચ ૨૦૨૫ ના ગુરુવારે સામુહિક આરોગ્ય કેન્દ્ર,સરકારી દવાખાનામાં નેત્ર નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ. આ શિબિરમાં આંખ દર્દી ઓની આંખોની તપાસ કરી નંબર વાળા દર્દી ઓને રાહત દરે નંબર ના ચશ્મા આપવામાં આવ્યા. જે દર્દી ને મોતીયા હોય, આંખમાં છારી હોય, આંખના ઓપરેશનની જરુર હોય…

Read More

“શબ્દની આરપાર જીવ્યો છું, હું બહુ ધારદાર જીવ્યો છું.”

હિન્દ ન્યુઝ, રાજકોટ કવિ- ગઝલકાર અમૃત ઘાયલની આ પંક્તિ કવિતાના શબ્દોની તાકાતને અને કવિ હ્રદયના જીવનની સાર્થકતાને રજૂ કરે છે. કવિતાએ સાહિત્યનું એવું સ્વરૂપ છે કે જેને યાદ રાખવા નાના બાળકને પણ પ્રયત્ન કરવો પડતો નથી. ગાયનથી લોકોના હ્રદય અને આત્મા સુધી પહોચતું આ સાહિત્ય હાઈકુ જેવા નાના સ્વરૂપ થી લઈને મહાકાવ્યો સુધીના વિવિધ સ્વરૂપે ઓછાં શબ્દોમાં સુંદર કે ધારદાર તમામ રસો પીરસે છે. આ કાવ્યોની અનેરી અસરને જાણીને યુનેસ્કોએ ૧૯૯૯મા ૨૧ માર્ચને વિશ્વ કવિતા દિવસ તરીકે ઉજવવાનો પ્રારંભ કર્યો.      કવિતાના મહત્વ વિષે યુનેસ્કોના વડા ઓડ્રે ઓઝ્લોવે કહ્યું…

Read More

રાજકોટ ખાતે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, રાજકોટ     જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીના અધ્યક્ષ સ્થાને જામકંડોરણાના રાયડી મુકામે નારી સંમેલન યોજાયું હતું. ગુજરાત રાજ્ય મહિલા આયોગ, ગાંધીનગર તેમજ સંકલિત બાળ વિકાસ યોજના કચેરી જામકંડોરણા દ્વારા મહિલાઓને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત બનાવવા તેમજ ગ્રામીણ મહિલાઓ સુધી કાયદાનું જ્ઞાન પહોંચે તે હેતુથી નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓને સશક્ત બનાવવા ભ્રૂણ હત્યા નાબૂદીથી માંડી તેમને આર્થિક સશક્ત બનાવવા સુધીની વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. દેશ તો જ મજબૂત બનશે, જો તેનું ભાવિ ઘડતર કરનાર મહિલાઓ મજબૂત હશે, આ માટે જ તમામ…

Read More

હિન્દ ન્યુઝ, રાજકોટ     આધુનિક ટેકનોલોજીયુક્ત માધ્યમો સામે પરંપરાગત માધ્યમોના કલાકારો પોતાની કલાને જીવંત રાખવા અને છેવાડાના માનવી સુધી મનોરંજન સાથે માહિતી પીરસવા ગામે ગામ ફરી તનતોડ મહેનત કરતા હોય છે. પ્રાચીન કલાઓને જીવંત રાખવા વૈશ્વિક સ્તરે પણ સામૂહિક પ્રયાસો થાય છે. દર વર્ષે ૨૧મી માર્ચ “વિશ્વ કઠપૂતળી દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. ભવાઈ, ડાયરો, નાટક, કઠપૂતળી કે પરંપરાગતના અન્ય કલાકારો આધુનિક ટેકનોલોજીના સમયમાં પોતાની કલાની પ્રસ્તુતિ કરી રોજગારી મેળવવાની સાથે કલાને જીવંત રાખી શકે તે જરૂરી છે. ત્યારે પરંપરાગત માધ્યમોના કલાકારોને જન કલ્યાણકારી યોજનાઓના પ્રચાર-પ્રસાર માટે કાર્યક્રમો આપીને…

Read More

રાજ્યમાં ડ્રગ્સ સહિત ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કડક હાથે કામગીરી કરવા ગૃહમંત્રીના આદેશ બાદ પોલીસ વિભાગ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી

હિન્દ ન્યુઝ, રાજકોટ     રાજ્યમાં ડ્રગ્સ સહિત ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કડક હાથે કામગીરી કરવા ગૃહમંત્રીના આદેશ બાદ પોલીસ વિભાગ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, ત્યારે રાજકોટ શહેરમાં પણ ડ્રગ્સ વિરોધી પ્રવૃત્તિઓ અટકાવવા નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટર (નાર્કોડ)ની બેઠકમાં ડ્રગ્સ વેચતા લોકો પર વોચ રાખવા, રેકેટ તોડવા ખાસ કોમ્બિંગ કરવા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાએ પોલીસ વિભાગને ખાસ સૂચના આપી હતી. ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન હેઠળ શાળા કોલેજ ઉપરાંત ડ્રગ્સ વેચાણ સાથે જોડાયેલા જંગલેશ્વર, રૈયાધાર જેવા વિસ્તારોમાં પણ કાયદાકીય માર્ગદર્શન આપતા કાર્યક્રમો હાથ ધરવા અધિક પોલીસ કમિશનરશ્રીએ…

Read More

રાજકોટ દ્વારા તા.૨૧ માર્ચના રોજ “વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ” ની ઉજવણી

હિન્દ ન્યુઝ, રાજકોટ     ભારતીય માનક બ્યુરો, રાજકોટ દ્વારા તા.૨૧ માર્ચના રોજ “વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ” ની ઉજવણી નિમિત્તે આર.પી.જે. હોટલ ખાતે સેમિનાર યોજાયો હતો, જેમાં ગ્રાહક અધિકાર, ગ્રાહક સુરક્ષા વગેરે અંગે નિષ્ણાતોએ વક્તવ્ય આપ્યું હતું. “ટકાઉ જીવનશૈલી તરફ એક ન્યાયી સંક્રાતિ”થીમ આધારિત યોજાયેલ ઇ કાર્યક્રમમાં ભારતીય માનક બ્યુરો, રાજકોટના ડાઇરેકટર પારિજાત શુક્લાએ સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમનો હેતુ, ગ્રાહકના અધિકારો, ફરજો તેમજ તેમની સુરક્ષા માટે કાર્યરત ભારતીય માનક બ્યુરો વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.૭૬૯ ઉત્પાદનોમાં નિર્માણ, આયાત અથવા વેચાણ માટે બી.એસ.આઇ. દ્વારા અપાતા માનક ચિન્હ વિશે પણ જાણકારી આપી હતી.…

Read More

“રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” નાં પરિણામે અનેક નાદુરસ્ત બાળકોને નવજીવન પ્રાપ્ત થયું

હિન્દ ન્યુઝ, રાજકોટ       ગુજરાત સરકારના બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની પણ આ જ ભૂમિકા રહી છે. દરેક બાળ તંદુરસ્ત રહે તે માટે “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” હેઠળ ઘેર-ઘેર જઈ જઈ દરેક બાળકની આરોગ્યની તપાસ સાથે તેની ફિટનેસ ટેસ્ટ કરે છે. જેના પરિણામે બાળકનું સ્વાસ્થ્ય કાર્ડ નક્કી થતું હોય છે. આ કાર્યક્રમના પરિણામે અનેક નાદુરસ્ત બાળકોને નવજીવન મળ્યું છે. જેનો તાજેતરમાં એક કિસ્સો જોવા મળ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સામાન્ય પરીવારમાં બાળક યુવરાજનો જન્મ ગત વર્ષે બીજી માર્ચના રોજ થયેલો. તેના પિતા બીપીનકુમાર ચોટલીયા મજુરીકામ કરી પરિવારનો ગુજારો કરે. રાષ્ટ્રીય…

Read More

અમદાવાદ ખાતે વેજલપુર સ્ટાર્ટ-અપ ફેસ્ટિવલ 2.0નો શુભારંભ

હિન્દ ન્યુઝ, અમદાવાદ    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમદાવાદ ખાતે વેજલપુર સ્ટાર્ટ-અપ ફેસ્ટિવલ 2.0નો ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભ માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં સ્ટાર્ટ-અપ ઈકોસિસ્ટમ ડેવલપ કરવા અને યુવા ઉદ્યોગ સાહસિકોના આઈડિયાને માઈન્ડ ટુ માર્કેટ સુધી પહોંચાડવાની આગવી વ્યવસ્થા વિકસાવી છે : મુખ્યમંત્રી મુખ્યમંત્રીએ આ અવસરે વિવિધ સ્ટાર્ટ-અપ્સના સ્ટોલ્સની મુલાકાત લઈ તેમના ઇનોવેશન્સ અને આઈડિયાઝ બાબતે રસપૂર્વક માહિતી મેળવી તેમને પ્રોત્સાહિત કર્યા

Read More