રાજકોટ શહેર વિસ્તારમાં તા.૧૫/૧૦/૨૦૨૩ થી ૨૪/૧૦/૨૦૨૩ સુધી નવરાત્રીના નવ દિવસ તથા દશેરાનો એક દિવસ દરમ્યાન કોઇપણ ખાનગી કે જાહેર સ્થળે રાત્રીના કલાક ૧૨ : ૦૦ વાગ્યા પછી કોઇપણ રાસ-ગરબા કે કાર્યક્રમમાં માઇક તથા લાઉડ સ્પીકર ચાલું રાખી શકાશે નહીં

હિન્દ ન્યુઝ, રાજકોટ

      રાજકોટ શહેરમાં દર વર્ષે નવરાત્રી નો તહેવાર ખૂબ ઉત્સાહ અને ધામધૂમ પૂર્વક મનાવવામાં આવે છે. રાજકોટ શહેરમાં આ વર્ષે નવરાત્રી તહેવાર દરમ્યાન રાજકોટ શહેરમાં જાહેર જનતાને થતી હેરાનગતી અટકાવવા માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ની કલમ-૧૪૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૭૫૧ કલમ-૩૩(બેન),૩૬(છ) (ઐ),૪૮ તથા ૩૩(૬) મુજબ મળેલ સત્તાની રૂએ હું રાષ્ટ્ર ભાર્ગવ (આઇ.પી.એસ.) પોલીસ વિકાર, રાજકોટ શહેર. આથી હુકમ ફરમાવે છે કે, રાજકોટ શહેર વિસ્તારમાં તા.૧૫/૧૦/૨૦૨૩ થી ૨૪/૧૦/૨૦૨૩ સુધી નવરાત્રીના નવ દિવસ તથા દશેરાનો એક દિવસ દરમ્યાન કોઇપણ ખાનગી કે જાહેર સ્થળે રાત્રીના કલાક ૧૨ : ૦૦ વાગ્યા પછી કોઇપણ રાસ-ગરબા કે કાર્યક્રમમાં માઇક તથા લાઉડ સ્પીકર ચાલું રાખી શકાશે નહીં. માઇક તથા લાઉડ સ્પીકરનો ઉપયોગ નોઇસ પ્રોટ્યુશન (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) રુલ્સ ૨૦૦૦ ની કલમ-પ(૨) (૩) ની જોગવાઇઓને આધીન તથા ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના જાહેરનામા ક્રમાંક:એનવી-૧૦-૨૦૧૬-૧૩૩-ટી તા.૨૫/૦૯૨૨૦૨૪ ની જોગવાઇ મુજબ રાત્રીના બાર વાગ્યા સુધી કરવાની રહેશે ત્યારબાદ કોઇ પબ્લીક એડ્રેસ સીટમાં લાઉડ સ્પીકર વગાડવા નહીં, જે અંગેનું ના,૧૫/૧૦/૨૦૨૩ ના ક્લાક ૦૦/૦૦ થી તા.૨૪/૧૦/૨૦૨૩ ના કલાક ૨૪/૦૦ સુધીનું ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ ની ક્લમ ૧૪૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ કલમ-૩૩(એન),૩૬(છ) (૨) ૩૮ તથા ૩૩૪૬) મુજબનું જાહેરનામું બહાર પાડેલ હોય, જેની નકલ આ સાથે રાખી મોકલેલ છે. 

Related posts

Leave a Comment